Logo image

આશકોંદી યારીવે, માશુક ન જાના ભૂલી

 આશકોં દિયારી વે, માશુક ન જાના ભૂલી...ટેક.
સુન સાંવરે સાહેબા, મહોબત હમારી વે;
	ખાવંદ ખુશી હોય રખના, દિલમેં વિચારી વે... આશકોં ૦ ૧
એક આશરા હે તેરા, કહું ક્યા પુકારી વે;
	પરવરદિગાર દિલકી, તુમ જાનતા સારી વે...આશકોં૦ ૨
સુરત લગી કદમોંસે, ન ટરેગી ટારી વે;
	પ્રેમાનંદ કે પ્યારે હમકો, લેના સંભારી વે...આશકોં૦ ૩ 
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
પ્રેમ,સ્નેહ,હેત,પ્રીત, લક્ષણ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષણ :
બહુવિધ
વિવેચન:
આસ્વાદ : પેમસખી પ્રેમાનંદની કવિતા એટલે હૃદયની સ્વાનુભૂત પ્રબળ પ્રેમોર્મિની પરંપરાને આવિષ્કારતી ભક્તિસંકીર્તનાત્મક પદરચના. મુસ્લિમ નવાબના મહેલમાં પ્રસંગ અને વાતાવરણને અનુરૂપ અરબી-ફારસી શબ્દોના પ્રચૂર પ્રયોગથી રેખતા રાગમાં*( ગઝલની ચાલને રેખતો કહે છે.) પ્રેમાનંદ સ્વામીએ જે બે ગઝલો ગાઈ તેમાં સૂફી પ્રેમની આશક માશૂકના સ્વાર્થરહિત વિશુદ્ધ પ્રેમની તાલાવેલી અને મસ્તી બહુ સ્પષ્ટ રીતે અભિવ્યક્ત થાય છે. સૂફી પ્રેમની અસર બતાવતી આ ગઝલો દયારામની ગઝલો કરતાં પણ ચડે એવી છે. પ્રીયાતમાભાવે પ્રિયતમ પ્રભુને પ્રેમ કરવો એ પ્રેમલક્ષણા ભક્તિનું મુખ્ય અને મહત્વનું લક્ષણ છે. જયારે સૂફિમત પ્રમાણે આશક ભાવે પરવરદિગારને માશૂક (પ્રિયતમ) માનીને મહોબ્બત કરવાની હોય છે. એમાં જેમ આશક ભક્ત માશૂક ખૂદને પ્યાર કરી મસ્તી માણે છે એમ આ ગઝલોમાં પ્રેમસખીએ આવી સૂફીભક્તિની મસ્તીની અને કુરબાનીની અનુભૂતિ વર્ણવી છે. પ્રથમ ગઝલમાં આશક ભક્ત પોતાની મશૂકને- પરવરદિગારને ‘યારી’ યા ‘મહોબ્બત’ ભૂલી નહિ જવા પ્રેમભાવે પ્રાર્થના કહે છે; આશકોં‌દી યારી વે, માશૂક ન જાના ભૂલી; સુન સાંવરે સાહેબા , મહોબત હમારી વે .’ અહીં કવિ પંજાબી ભાષાનો છઠ્ઠી વિભાક્તિનો પ્રત્યય ‘દી’ નો પ્રયોગ બહુ ખૂબીથી કરે છે. આશક મશૂકને કહે છે: ‘પ્રિયે ! તારા આ આશકની મહોબ્બતને તું ક્યારેય વિસારે ન પાડીશ. ખાવાન્દને ખુશ રાખવો એ તારે જોવાનું છે એ તારી ફરજ છે.’ સૂફી કવિઓની જેમ પ્રેમસખીએ પણ અહીં ‘ઈશ્કે મિજાજી’ (માનવીય પ્રણય)ની વાણીમાં ‘ઈશ્કે હકીકી’ (પ્રભુપ્રેમ) ગાયો છે , તેથી એ ક્યારે તો સ્વાર્પણના ભાવમાં સરી જાય છે એની ખબર પણ પડતી નથી. એક આસારા હૈ તેરા, કહે ક્યા પુકારી વે; પરવરદિગાર દિલકી, તું જાનતા સારી વે.’ છેલ્લા અંતરામાં કવિ ભક્તહૃદયની પરમાત્મા પ્રત્યેની અનન્યનિષ્ઠા દ્રઢતાપૂર્વક વ્યક્ત કરતાં પ્રાર્થે છે; ‘પ્રભુ ! આપ તો અંતર્યામી છો, મારા દિલની બધી જ વાત સારી રીતે જાણો છો. આપનાં ચરણોમાં – આપના સ્વરૂપમાં મને દ્રઢ પ્રીતિ થઇ ગઈ છે , મને આપની લગની લાગી ગઈ છે અને એ કોઈ પણ સંજોગોમાં ટાળી ટળે તેમ નથી. માટે મહારાજ મને સાંભળી લેજો.’ ગઝલના ભાવ ને ગાંભીર્યને વિચારતાં એમ લાગ્યા વિના રહેતું નથી કે સૂફીઓની પરિભાષામાં ‘ અહીં બોલી તો રહ્યો છે પ્રેમલક્ષણા ભક્તિનો બંદો ! પ્રેમસખીનું શાસ્ત્રીય રાગરાગિ‌ણીઓ તથા એકથી વધુ ભાષાઓ ઉપરનું પ્રશસ્ય પ્રભુત્વ અહીં‌ બહુ સ્પષ્ટપણે જણાઈ આવે છે. બીજી ગઝલમાં આશક ભક્તની માશૂક પરમાત્માના દિદાર એટલે કે દર્શન માટેની તીવ્ર અભિપ્સા વ્યક્ત થાય છે. ‘દીખલા દિદાર પ્યારા મહેબુબ હમારા ; માશૂક જરા દે દેના, નેનોં‌કા નજરા ,’ માશૂકની પ્રણયભરી એક મીઠી નજર પણ આશકને મન જીવનામૃત જેવી છે. એક માત્ર નજરનું જ નજરાણું ! અને આ તો પ્રેયસીની નહિ પણ શ્રેયસ્કર પ્રભુની પ્રેમભરી નજરનું નજરાણું છે. એમની અમીભરી નજર માત્ર જ આશકની જિંદગીભારનું પાથેય બની રહે તેમ છે. ‘કુરબાન કિયા તેરે નામ પર,ઘરબાર –સંસાર ; ફકીરી લે કે ફિરતા હું , કરનેકું દીદારા ,’ આશક ભક્તે માશૂકાના દિદાર માટે જ ઘરબાર સંસાર છોડી ફકીરી લીધી છે.પરમાત્માના દર્શન માટેની ભક્તહૃદયની તીવ્ર ઉત્કંઠા અહીં અભિવ્યક્તિ પામે છે. અંતિમ અંતરામાં કવિ પ્રાર્થે છે કે મારી તકસીર- મારા અપરાધ ક્ષમા કરીને પ્રભુ મને મુલાકાત જરૂર દેજો.પ્રેમીભક્તની હરિમિલનની પ્યાસ ક્યારેક આ રીતે અનાયાસે પણ વ્યક્ત થયા વિના રહેતી નથી. આ પદનો પૂર્વાર્ધ સૂફી ઢંગનો છે તો ઉતરાર્ધ અને એમાંય ખાસ કારીને છેલ્લી પંક્તિ વૈષ્ણવી પ્રેમલક્ષણા ભક્તિ નિદર્શિત કરે છે. આ ગઝલોમાં કવિની ભાવાભિવ્યક્તિ આકર્ષક છે. એમની વાણીમાં કોમળતા ને માધુર્ય સહજ પણે ઊતરી આવે છે. પ્રેમસખીનું અરબી-ફારસી ભાષા પરનું અહીં વ્યક્ત થયા વિના રહેતું નથી .
ઉત્પત્તિ:
સં. ૧૮૮૪ના વૈશાખ વદ બીજના દિવસે શ્રીજીમહારાજે જૂનાગઢ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો. જૂનાગઢમાં મંદિર બાંધવા માટે મહારાજે બ્રહ્માનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામીને જૂનાગઢ મોક્લેલા . જૂનાગઢના નવાબ બહાદુરખાન બાબી સાથે બ્રહ્મમુનિને બહુ જૂના મૈત્રી સંબંધ હતા , તેથી નવાબે મંદિરના બાંધકામમાં અંગત રસ લઈને રાજ તરફથી સારી એવી સહાય કરી હતી. સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામીના પુણ્ય પ્રતાપે મંદિરનાં સર્વ કાર્યો નિર્વિઘ્ને પાર પડ્યા. નવાબ બહાદુરખાનજી ગુણાનુરાગી હતા, એટલું જ નહિ સંગીતજ્ઞ પણ હતા. બ્રહ્મમુનિના શતાવધાન પ્રયોગો એમણે જોયેલા, એમનો કાવ્યપ્રસાદ પણ માનેલો. યોગમૂર્તિ ગોપાળાનંદ સ્વામીના સાંનિધ્યમાં એમનાં કારભારીને થયેલો સમાધિનો દીવ્યાનુભવ નવાબે નજરે નિહાળ્યો ત્યારે એમને થયું કે જેના ફકીરો આટલા મહાન છે એ સ્વામિનારાયણ સ્વયં કેવા હશે ? નવાબના દિલમાં એ દિવસથી જ શ્રીજીમહારાજના દર્શનની ઝંખના જાગી હતી! મૂર્તિ પ્રતિષ્ઠા પછી બીજા દિવસે નવાબ સરકારની વિનંતી સ્વીકારીને શ્રીજીમહારાજ મોટા મોટા સદ્‌ગુરુઓ, બ્રહ્મચારી, પાર્ષદો , દાદા ખાચર આદિ સર્વ કાઠ�� દરબારો સાથે નવાબના રાજમહેલે પધાર્યા . નવાબે શ્રીજીમહારાજનો સત્કાર કર્યો. કચેરીમાં પધરામણી કરાવી; બ્રાહ્મણો પાસે શ્રીહરિની પૂજા કરાવી. પછી સંતોને ચંદન ચર્ચાવી ચાદરો ઓઢાડી. શ્રીહરિ સન્મુખ સોનેરી પોષક , શેલા , શાલ, દુશાલા , પાઘ અને સુવર્ણના અલંકારો સાથે નવાબે કોરીઓના તથા રૂપીયાઓના થાળો તેમજ મેવા આદિ વસ્તુઓની ભેટ ધરી. નવાબે મસ્તક નમાવી હાથ જોડી પ્રાર્થના કરી કે “ આપ ખુદાતાલા હો. આપકા હી દિયા હુઆ યે રાજ મૈં‌ કરતાં હૂં. એ બડે સ્વામીજી (ગોપાળાનંદ સ્વામી) ઔર કવિ સ્વામીજી ( બ્રહ્માનંદ સ્વામી ) જૈસે બડે બડે મહાત્મા આપકે કદમપોશ શાગિર્દ હૈં‌ ઔર ઐસે તો કઇ ફકીર આપકી તહેનાતમે રહતે હૈ ઐસા મૈંને સુના હૈ. આજ આપકે દિદારસે મેરે દિલકો બહોત ચૈન ઔર સુકૂન મિલા હૈ.” નવાબની ઈબાદત સાંભળી અત્યંત પ્રસન્ન થઈને મહારજે આશિષ આપતા કહ્યું: “ આ બ્રહ્મમુનિ જેવા સંત સાથે તમારે હેત થયું છે તેથી તમારો બેડો પાર છે એમ સમજજો અને નીતિ – ધર્મથી રાજ્ય ચલાવી પ્રજાને પાળી પોષી જગતમાં જશ લેજો. જ્યાં સુધી હિન્દુ મુસ્લિમ બંને ધર્મને તમો સમાન દ્રષ્ટિથી પોષશો ત્યાં સુધી તમારું રાજ્ય સલામત ને શ્રેષ્ઠ રહેશે”*( શ્રી બ્રહ્મસંહિતા : પ્ર. પ. અ. ૪ ( પાના નં. ૪૨૭ )) મહારાજને નમસ્કાર કરી નવાબે પોતાનું સ્થાન લીધું . પછી નવાબના આદેશથી રાજના દરબારી ગવૈયાઓએ રેખતા રાગમાં સૂફીમતની ફારસી ગઝલો ગાઈ સંભળાવી. એમનું સંગીત પૂરું થતાં નવાબે મહારાજને આજીજીપૂર્વક કહ્યું: “મહારાજ ! હમને સુના હૈ આપકે ફકીર બહુત બહેતરીન સંગીત જાનતે હૈ, અગર વો સુનને કો મિલે તો એ હમારી ખુશનસીબી હોગી.” આ સાંભળી મહારાજ મર્માળુ હાસ્યા. મહારાજે પાસે બેઠેલા પ્રેમાનંદ સ્વામીને ઈશારો કરતાં પ્રેમસખીએ રાજ દરબારમાં પ્રસંગોચિત રેખતા રાગના સૂર છેડ્યા અને આલાપ લઈને પ્રભુ પ્રેમમસ્ત સૂફી ઓલિયાની અદાથી બે ઉર્દુ ગઝલો શીઘ્ર રચના કરીને ગાઈ સંભળાવી. પહેલી ગઝલ ‘આશકોંદી યારી વે , માશૂક ન જાના ભૂલી’ નો પહેલો અંતરો સાંભળતા જ ચારે બાજુથી ‘ માસ્સા અલ્લાહ .... સુભાન અલ્લાહ ... ‘ ના પોકારો ઉઠવા લાગ્યા. ‘સુરત લગી કદમોં‌ સે ન ટરેં‌ગી ટારી વે ‘ છેલ્લા અંતરાને હૃદયના અટલ ઊંડાણથી ઘૂંટીને પ્રેમસખીએ એવો મધુર સ્વર આપ્યો કે મુસ્લિમ ઉસ્તાદો તેમજ નવાબ સરકાર ખૂદ ‘આફરિન આફરિન ‘ પોકારી ઉઠ્યા. પહેલી ગઝલ પૂરી થતાં પ્રેમાનંદ સ્વામીએ એના અનુસંધાનમાં જ બીજી ગઝલ ‘દીખલા દિદાર પ્યારા, મહેબૂબ હમારા ...’ ઉપાડી . ગઝલના શબ્દે શબ્દે આશક ભક્તકવિની માશૂક પરમાત્માના દિદાર માટેની તીવ્ર અભિપ્સા વક્ત થવા લાગી. એના છેલ્લા અંતરમાં કવિ સૂફીમત તરફથી પ્રેમલક્ષણા ભક્તિભાવમાં એવી સલૂકાઈથી સરકી ગયા કે સૂફીવાદી મુસ્લિમ ધર્મીઓના અંતર પણ એ પ્રેમભાવથી પ્લાવિત થઇ ગયાં. સ્વામી ગાતા ગાતા ભગવદ્‌ભાવમાં એવા તલ્લીન થઇ ગયા કે આંખોમાંથી આંસુઓની ધારા વછૂટી હતી એનું પણ એમને ભાન ન રહ્યું. એમનાં સંગીતમાં એવો જાદુ હતો કે સાંભળનાર સર્વેના પ્રાણ સંગીતની રસસમાધિમાં લીન થઇ ગયા. સ્વામીનું સંકીર્તન પૂરું થયા પછી પણ એ સંગીતની અસરમાંથી ક્યાંય સુધી કોઈ મુક્ત ન થઇ શક્યું. થોડી વારે નવાબ સાહેબ ઊભા થઇ શ્રીજીમહારાજને હાથ જોડી બોલ્યા: ‘આફરિન! ખુદા વંદે –આલમ ! હમને ઇસ દરબારમેં દેશ- પરદેશકે બહુત ગાયક સુને હૈ, મગર ઐસા રૂહાની સંગીત કભી નહિ સુના. સ્વામીજી કા સંગીત સુનકે હમકો ઐસા મહસૂસ હુઆ માનો હમ નૂરાની રૂહકા કોઈ કરિશ્મા સુન રહે હો!’ મહારાજે મોહક સ્મિત કરી નવાબને યોગ્ય પ્રતિભાવ આપ્યો . નવાબ બહાદુરખાનજી ત્યાર બાદ પ્રેમાનંદ સ્વામી તરફ જોઈ બોલ્યા : ‘સ્વામીજી ! ઐસા રૂહાની સંગીત સુનાને કી બદૌલત હમ આપકે શુક્રિયા ગુજર હૈ! ખુદા કસમ, આજકે બાદ હમ કિસી દરબારી ગવૈયા કા સંગીત નહીં સુન પાએંગે .’ સ્વામીએ વિનયપૂર્વક કહ્યું : ‘ નવાબ સાહેબ ! હું તો સાધન માત્ર છું. જેવી મારી સારંગી એવો હું ! ગાનારો કોઈ બીજો જ છે . એ દિવ્ય ગાયકના હાથનું હું સાધન બની શક્યો એટલું જ મારું સદ્‌ભાગ્ય ! ‘ નવાબે જિંદગીમાં પહેલી જ વાર આવા શબ્દો સાંભળ્યા . કેટલી નમ્રતા ! કેટલી દીનતા ! આજે પહેલી વાર એમણે એવો માણસ જોયો જે પોતે યશનો માલિક થવાને બદલે માલિકને- ખુદાને યશનો માલિક ગણી ગર્વ લે છે. પ્રેમાનંદ સ્વામીનું રૂહાની સંગીત અને તેમના નિર્માની વચનો નવાબના હ્રદયમાં હંમેશને માટે અંકાઈ ગયા.

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લોભાનીરી, દેખી છબી કુંજબિહારી;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાંમેં અબીર ગુલાલ રે ઇન મોહન ડાર્યો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અખિયાંમેં જાદુ ભારી ગીરધારી રાજ

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અગમ અગાધ બાત ત્રિભુવન નાથ તેરી,

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અચાનક અખિયનમેં પિચકારિ રે, ઇન મારી રે,

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અજઉં ન આયોરે પિયરા મોરી પીર ન જાની;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અજબ બની બંગલેકી બેઠક, બેઠે બનવારી બિહારી લાલ

પ્રેમાનંદ સ્વામી
૨ / ૨

અજબ સુરત તેરી બનીરે કનૈયા, કહાં કહું કછુ બનત ન કૈયા.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અટકી રહો ચેહી ઠોર દીલા રે,

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અટારિયાં મોરી આજરે(૨), નંદકુંવર નટવર આઇલોરે.1/4

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અડકે વિધવાને અંગે નર જે સતસંગી૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અણિયાળી રે, મરમાળી રે, કાનુડાની આંખલડી

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અતરંગ રસભર મચત બિહારી, કરત કલ્લોલ કલા સકલારી; લેત સરસ રસ તાન પ્યારી.

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અતહિં ચતુર મૈયા મોહન પ્યારો

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અધમ ઉદ્ધારણ એવું પોતાનું નામ ૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અધિક માસે અલબેલા જાણી, અબળાની પૂરણ પ્રીત રે;

પ્રેમાનંદ સ્વામી
૧૩ / ૧૩

અનંત કળા અનંત રૂપ, અનંત શકિતધર શ્યામ, ૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અનવટવા લે ગયો સાવરો, સાવરો કે કાન બાવારો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અનિહાંહાંરે અલબેલા મોહન ઘેર આવો,

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અનિહાંહાંરે આવો જાદવ જોયા જેવા,

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અનિહાંહાંરે ઝૂલો રસિયાજી રતન હિંડોરે

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અનિહાંહાંરે ઝૂલો સુંદરશ્યામ વિહારી,

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અનિહાંહાંરે ઝૂલો હિંડોળે ઘનશ્યામ,

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અનિહાંહાંરે ઝૂલો હિંડોળે છેલ ગુમાની,

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અનિહાંહાંરે મનમોહન પ્રીતમ પ્યારા,

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અનિહાંહાંરે વાલી લાગે વાલા તારી વાણી,

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અનિહોરે સનેહિ શામળા સોરઠવાસી શ્યામ નેહ નિભાવણ નાથજી છોજી પૂરણકામ

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અનિહોરે સોરઠિયા, નાથજી નવ રહિએ દૂર સનેહ ભર્યા આવી ભેટ્જો

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અનિહોરે સોરઠિયા સાયેબા સોરઠના શિરદાર, સોરઠ ગાતા સાંભરો, શ્રીધર્મ કુમાર. હોરે

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અનિહોરે સોરઠીયા શ્રી હરિ તજી સોરઠ દેશ; કયાં રે વસ્યા અલબેલડા તમે નટવર વેષ; હોરે

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અનેક જનમનાં મારા પૂન્ય ઉગીયાં૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અન્નકૂટકો આયો ઉત્સવ, અન્નકૂટકો આયો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અપને લાલકું સીખ લગાયકે બરજ જસોદા રાની

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અપનો બિરુદ બિચારો નાથ, અશરનશરન અધમઉધારન

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અબ કેસેં કરીહુંરે પ્યારે બિના મોયે પરત ન ચેના;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અબ કોન તોસે જોરેરે જીયા જોરેરે;૨/૪

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અબ તો નાથ નિભાઈ લીજે, જેહી ભુજ તારે પતિત બહુ તાકો

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અબ તો સનેહી સુધ લીજે જરી

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અબ ધર્મકુંવર કહાં બીલમાયે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૬

અબ ધર્મકુંવર બિસરત નાઇ;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૬

અબ ન જીયુંગી અબ ન જીયુંગી, નંદકુંવર બીના

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અબ નહિ છોડું ચરન સરોજ, એ ચરનસરોજ, ૨/૪

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અબ નહીં છાંડુ ચરન સરોજ નાથ, મન ક્રમ વચ કર ગિરિધર શ્રી હરિ

પ્રેમાનંદ સ્વામી
૧ / ૬

અબ ના દેસાંરે જાવા ના દેસાં કેસરિયા, જાવા ના દેસાં૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અબ ના સુનુંગી તેરી બાંસુરીકી તાન;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અબ પનિયાં ભરન કેસે જાઉં, સાંવરે બિચમેં ધૂમ મચાઇ.

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અબ મેં કેસી કરુવે, સૈયા મોરી વે સૈયા મોરી;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અબ મોહે નાહીં ન ચેનારી, બિનું દેખે શ્યામ સુંદરવર સુખ દેના

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અબ રે મોયે વૃજચંદ, બાવરીયા કીની બાવરી, ૨/૪

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અબ સાંવરે બિના માઇ, મોપે રહ્યોઉં ન જાઇ.

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અબજી ન ધીરો કોઇરે, કપટીકું, અબજી ન ધીરો કોઇ

પ્રેમાનંદ સ્વામી
૪ / ૬

અબતો તનિક હેરો હમરી ઓર

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અબતો નિઠુર ભયે મોરે નાવ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૨

અબતો મેં તુમસેં કનૈયા, ન ડરૂંગિ લરૂંગિ વે;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અબળાની અરજી નાથજી સાંભળજો રે;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અબળાની અરજી વહાલારે સંભાળીને લેજો, ૫/૧૨

પ્રેમાનંદ સ્વામી
૫ / ૧૨

અભિનવો આનંદ અમલ દશો દિશ, પ્રગટે જય જયકારી હો;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અમદાતેવાદમાં આવિયા જીરે, વહાલો નરનારાયણ નાથ; મુનિરાય રે

પ્રેમાનંદ સ્વામી
૫ / ૮

અમને ઓધવ હરિ બહુ સાંભરે રે, ૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અમને રમાડોને રાસ શામળિયા વહાલા અમને રમાડોને રાસ;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અરજ કરે છે અબળા, તે ઉર ધારોરે વહાલાજી

પ્રેમાનંદ સ્વામી
૧ / ૧

અરજ મોરી માનોજી હો, હાંરે ઘનશ્યામ ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૫

અરજી ઉર ધારો રે વહાલા, અવિનાશી અબળા તણી

પ્રેમાનંદ સ્વામી
૫ / ૬

અરજી એક અબળાતણી, તમે સાંભળજો ઘનશ્યામ રે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અરજી સુણજો અલબેલા, કે નંદકુંવર નટવર છેલારે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૧૩

અરસ પરસ દોઉ હોત ગુલતાન, નિજ નિજ મુખકો કરત બખાન

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અરી મા તેરો માધો જાદુ ડારી ગયો, એરી મા તેરો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અરુન ઉદયે દોઉ કરત સિંગાર, નિરખી રતિપતિ કોટિ બલિહાર

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અલબેલા આતમરામ કે પ્રીતમ પાતળિયા

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અલબેલા આનંદકંદ, વાલા લાગો છો, મારા મેટતા ભવના ફંદ

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અલબેલા આવો ઓરા, આંખડલિમાં રાખું વહાલા;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અલબેલા આવો ઓરારે, અરજ કરું છું;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અલબેલા આવો મારે ઘેર, કે જાઉં તારે વારણે રે લોલ

પ્રેમાનંદ સ્વામી
૬ / ૮

અલબેલા આવો રે આજ મારે આંગણે જો,

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અલબેલા આવો રે રમિયે એકાંતે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અલબેલા ચતુર નંદલાલ, હો લાડીલા છેલ મોહી તારે છોગાલે,

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અલબેલા તમારે કાજ, ફરું હું તો ઘેલી રે, મને વાલા છો મહારાજ

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અલબેલી ચલત તું નવલ ચાલ

પ્રેમાનંદ સ્વામી
૮ / ૮

અલબેલો અમદાવાદરે, આવ્યા અવિનાશી; જેનો મહિમા અગમ અગાધરે.

પ્રેમાનંદ સ્વામી
૧ / ૧૧

અલબેલો ઉઠયા હરિ હસતા, આવીને ઉભા ઓસરીયે૨/૪

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અલબેલોજી આનંદમાં દીઠડા જો

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અળગા ન મેલું રે અળગા ન મેલું રે, નાથ તમને આંખડલીથી રે ૨/૪

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪
www.swaminarayankirtan.org © 2025