વારે વારે જાઉં વહાલાજી તારે વારણે રે ...ટેક. આદિપુરુષ ઈશ્વર અવતારી, કરુણારસમય મૂર્તિ ધારી; પતિતપાવન પ્રગટયા આજ અમ કારણે રે ...વારે૦ ૧ નરનારી અગણિત અથડાતાં, ભવસાગરમાં ડૂબકાં ખાતાં; બળવંત બાંહ્ય ગ્રહીને કાઢયાં બારણે રે ...વારે૦ ૨ અધમઉધારણ નામના નામી, બિરુદ તમારું સદાયે સ્વામી; કીધું સત્ય કળીમાં બહુજન તારણે રે ...વારે૦ ૩ મળિયા પુરુષોત્તમ એમ જાણી, અચળ આશરો ઉરમાં આણી; પ્રેમાનંદ ઠરીને બેઠો ઠારણે રે ...વારે૦ ૪
વારે વારે જાઉં વહાલાજી તારે વારણે રે
હસમુખભાઈ પાટડિયા
વારે વારે જાઉં વહાલાજી તારે વારણે રે
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી