મન મોહ ટળે (૨) રામ મળે નિર્મળ હરિજનના સંગથી; ઉર ગ્રંથી ગળે (૨) અવિદ્યાનાં આવરણ સર્વે નાસે અંગથી...ટેક. નિત્ય સંત સભામાંહી રામ રટે, સુનતેં વિષ વ્યાધિ ઉપાધિ ઘટે; મન શુદ્ધ હોયે અહંભાવ મટે...મન૦ ૧ જે સંત સભામહીં ચલી આવે, તેનું જીવપણું તતક્ષણ જાવે; તે બ્રહ્મ થઈને પરબ્રહ્મ ગાવે...મન૦ ૨ દુબધા દિલ માયા પાસ દહે, નિત્ય સંતસભા મહીં રામ રહે; એમ વેદ પુરાન કુરાન કહે...મન૦ ૩ જેને ગ્રંથી ત્રણ જડમૂળ ગઈ, સત્ય પદમાં કીધો વાસ સઈ; બ્રહ્માનંદ કે’ તેની શરણ લઈ...મન૦ ૪
મન મોહ ટળે, રામ મળે નિર્મળ હરિજનના સંગથી
નિરજ રાધનપુરા