Logo image

સતસંગ વિના જનમ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને

 સતસંગ વિના (૨) જન્મ મરણ ભ્રમજાળ મટે નહીં જંતને,
	મન માન તજી (૨) તે માટે શરણે જઈ રૈયે સંતને...ટેક.
જો અડસઠ તીરથ ફરી આવે, નિત્ય નિગમ વિધિ કરી કરી નાવે;
	કે દી જીવપણું તેનું નવ જાવે...સતસંગ૦ ૧
જો ઇંગલા પિંગલાની ખબર જડે, કરી આગ્રહ તેને કેડ પડે;
	તેણે ચિત્તને બમણો ફેર ચડે...સતસંગ૦ ૨
કોઈ વાસ કરે જઈને કાશી, કોઈ અન્ન ન ખાય રહે અપવાસી;
	એ મનની છે સર્વે હાંસી...સતસંગ૦ ૩
જો ફિરતા સંત સમાજ મળે, તો સુખે મનની ભ્રાંતિ ટળે;
	કહે બ્રહ્માનંદ સંતમાંહી ભળે...સતસંગ૦ ૪ 

 

 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
સત્સંગ -સમાગમ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
સંત સમાગમ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કિર્તન દિવાળી
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026