હે જડબુદ્ધિ જીવ (૨) પ્રભુપદને ઇચ્છે તો કર સંતનું પારખું; રંગ પીત્તપણે (૨) સોનું ને પીતળ ન હોય એકસરખું...ટેક. હોઈ સંત અનંત ફીરે જગમેં, રહે દામ ચામ જેની દૃગમેં; તું ભૂલીશ મા ધોળે ભગમેં...હે જડબુદ્ધિ૦ ૧ અંગે ભસ્મ ઘસે શિર જુટ જટા, ગળે માળ તિલક તન ચટાપટા; મહીં કામ ક્રોધ મદ મોહ ઘટા...હે જડબુદ્ધિ૦ ૨ જે મૈથુન અષ્ટ પ્રકારે તજે, નિત્ય સાર અસાર મરમ સમજે; ભજ તેને જે હરિ પ્રગટ ભજે...હે જડબુદ્ધિ૦ ૩ જેને કામ ક્રોધ મદ મોહ નહીં, જેની વૃત્તિ બ્રહ્માકાર થઈ; કહે બ્રહ્માનંદ સો સંત સહિ...હે જડબુદ્ધિ૦ ૪
હે જડબુદ્ધિ જીવ, પ્રભુપદને ઇચ્છે તો કર સંતનું પારખું
હરિવલ્લભદાસજી સ્વામી-વડતાલ
હે જડબુદ્ધિ જીવ, પ્રભુપદને ઇચ્છે તો કર સંતનું પારખું
અજાણ (ગાયક )