Logo image

કરું વિનંતિ વાલા અપાર રે, મને રહેજ્યો તમારામાં પ્યાર રે

કરું વિનંતિ વાલા અપાર રે, મને રહેજ્યો તમારામાં પ્યાર રે;
           માયા આદિમાં મન ના જાવો રે, મારા ઉપર એવા રાજી થાવો રે...૧ 
તમે રાજી તો છો અતિ ઘણા રે, રાજી થાવામાં નથી રાખી મણા રે;
           તોય જીવ અમારો છે એવો રે, માગી માગી આશિર્વાદ લેવો રે...૨
જો કે આપ્યા છે બહુ આશિર્વાદ રે, એ છે વાત બધી મને યાદ રે;
           બહુ હેત કર્યું છે સુખ આપી રે, જ્ઞાનસખીને પોતાની સ્થાપી રે...૩

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
સ્તુતિ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026