સ્વામિનારાયણ નાથ મારા રે, તમે પિયુ છો ભક્તિ દુલારા રે;
આપ્યું જ્ઞાન તમારું તમે આપે રે, બીજા ક્યાંથી બિચારા તે આપે રે ..૧
સર્વોપરી હરિ તમે આવ્યા રે, તમને મળ્યા તે તો બહુ ફાવ્યા રે;
તવ મૂર્તિમાં મન જેણે રાખ્યું રે, તેણે કારણ દેહ તોડી નાખ્યુ રે...૨
રહ્યા મૂર્તિનું મહાસુખ માણે રે, બીજા જીવ બિચારા ન જાણે રે;
જ્ઞાનજીવન કરે વાત ખરી રે, તમે છો હરિ સર્વોપરી રે...૩