Logo image

મારે રહો સ્મૃતિ સદા તારી રે, મારી ન જાઓ વૃત્તિ હરિ બારી રે

મારે રહો સ્મૃતિ સદા તારી રે, મારી ન જાઓ વૃત્તિ હરિ બારી રે; 
મને વાલા લાગો જીવ જેવા રે, મારે કરવી સદા તારી સેવા રે...૧
તારા વિના નથી રહેવું પળ રે, મારે પામવું સુખ અટળ રે;
તમ કાજે થાઓ સારું મારું રે, હું તો તમને સ્નેહે સંભારું રે...૨
જોયા કરું હરિ મુખ તારું રે, બીજું નાશ થાઓ બધું મારું રે;
જ્ઞાનજીવનને અતિ પ્યારા રે, તમે સ્વામી સદા હરિ મારા રે...૩

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
સ્તુતિ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026