મને સ્વામિનારાયણ પ્યારા રે, મને સુખ દેનારા;
હું છું તમારો તમે નાથ મારા રે, મારાં દુ:ખ હરનારા...ટેક.
શરણાગતને સદાયે પાળો છો,
સંસાર દુ:ખને ટાળો છો રે...મને સુખ૦ ૧
આપની મૂર્તિ સદા ભજ્યા જેવી,
ચરણ લેવાં મારે સેવી રે...મને સુખ૦ ૨
ભક્ત ઇચ્છાઓને આપ પૂરનારા,
ભક્ત વિઘન હરનારા રે...મને સુખ૦ ૩
નેત્ર કટાક્ષથી કામ બાળનારા,
જ્ઞાનને સદા પાળનારા રે...મને સુખ૦ ૪
ઇ.સ.૨૦૦૯, વડતાલ, ગાદીવાળા મેડે આસન