Logo image

પછી સંત પંગતની માંય રે, પીરસે આવીને ત્યાંય રે

પછી સંત પંગતની માંય રે, પીરસે આવીને ત્યાંય રે;
         રૂડો શોભી રહ્યો દરબાર રે, બેઠી પરમહંસ હાર રે...૧
વાલો પીરસે ને સંતો જમે રે, ભક્તજનોને ગમે રે;
         કદી લીલા કરે એવી નાથ રે, વધુ જમો તો મૂકું હાથ રે...૨
પછી જમનારા બહુ જમે રે, વાલીડાને બહુ ગમે રે;
         એમ લીલા કરે લાલ બહુ રે, સંભારે જન સહુ રે...૩
એમ સલીલ ધ્યાન સદાય રે, કર્યા કરીએ મનમાંય રે;
         તેથી વિયોગ તાપ ટળી જાય રે, હેતમાં દિન વહી જાય રે...૪
સખી આ પદ સુણશે ને ગાશે રે, અંતરે સુખ બહુ થાશે રે;
          જ્ઞાનસખીનો પિયુ રાજી થાશે રે, બ્રહ્મપુરે તેડી જાશે રે...૫

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ધ્યાન
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૨
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026