સ્વામી મુક્તાનંદજી દયાળુ રે, પૂછયું પ્રશ્ન સુખાળું રે;
સુણો હે શ્રીજીમહારાજ રે, પ્રશ્ન થયો મને આજ રે...૧
નિર્વિકલ્પ સમાધિ વિનાય રે, શાંતિ રહે સદાય રે;
એવો હોય કોઈ જો ઉપાય રે, કહોને મારા રાય રે...૨
ત્યારે બોલ્યા સહજાનંદસ્વામી રે, સુણો મુક્તાનંદસ્વામી રે;
જેવી આત્મબુદ્ધિ દેહમાંય રે, સંત-શ્રીજીમાં તેવી થાય રે...૩
વળી નિજ દેહમાં પ્રીતિ જેવી રે, સંત હરિમાં થાય તેવી રે;
ત્યારે સમાધિ વિના સદાય રે, શાંતિ રહે મનમાંય રે...૪
જ્ઞાનસખી બેસી દૂર ત્યાંય રે, સભાનું ધ્યાન કરાય રે;
આને સપાર્ષદ ધ્યાન કહેવાય રે, ધ્યાન ધરતાં સુખ થાય રે...૫