Logo image

સંતો વિચારે છે મનમાંય રે, હાલોને લોજ જઈએ   

સંતો વિચારે છે મનમાંય રે, હાલોને લોજ જઈએ;
         આવા ક્યાંથી મળે તપીરાય, હાલોને લોજ જઈએ...૧
એને રાખીએ આશ્રમમાંય રે, હાલોને લોજ જઈએ;
         ગુરુજી તો અતિ રાજી થાય રે, હાલોને લોજ જઈએ...૨
મુક્ત મુનિએ કર્યો વિચાર રે, હાલોને લોજ જઈએ;
          આપું ગુરુજીને સમાચાર રે, હાલોને લોજ જઈએ...૩
પત્ર મોકલ્યો છે ભટ્ટ સાથ રે, હાલોને લોજ જઈએ;
         ભુજ બિરાજે સહુના નાથ રે, હાલોને લોજ જઈએ...૪ 
જ્ઞાન કહે રામાનંદ સ્વામી રે, હાલોને લોજ જઈએ;
         આવ્યા પીપલાણે સુખ પામી રે, હાલોને લોજ જઈએ...૫

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
લોજપુર લીલા
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૩
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ઉત્પત્તિ:

સં.૨૦૭૪ અધિક જેઠ વદ-૬, મંગળવાર તા.૫/૦૬/૨૦૧૮, વડોદરા, પૂજામાં

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026