Logo image

લટકાં લટકાળા ઘનશ્યામનાં રે, ખટકે ઊંડા અંતરમાંય

લટકાં લટકાળા ઘનશ્યામનાં રે, ખટકે ઊંડા અંતરમાંય-૦૧
પ્રીત કરી મુજને બોલાવતા રે, તે સંભારી બહુ દુ:ખ થાય-૦૨
આ સજ્યા તે શ્રીમહારાજની રે, આ બાજોઠે બેસતા લાલ-૦૩
આ ઠેકાણે ના’તા નટવરજી રે, લુતા અંગ કર લઈ રૂમાલ-૦૪
આ ઠેકાણે જમવા બેસતા રે, જમતા વિધવિધનાં પકવાન-૦૫
સુંદર શાક કરી વંતાકનાં રે, જમીને દેતા પ્રસાદી કાન-૦૬
આ ખળખળીએ ના’તા નાથજી રે, નાહીને હરિજન મુનિ લઈ સાથ-૦૭
આવતા માણેકચોકમાં મલપતા રે, પુરજન થાતા જોઈ સનાથ-૦૮
વાલો બેસતા જઈ ફૂલબાગમાં રે, પેરતા ગજરા ગુલાબી હાર-૦૯
જેમ જેમ સાંભરે તેમ થાય વેદના રે, પ્રેમાનંદના પ્રાણઆધાર-૧૦
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
વિરહ, શ્રીહરિ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પ્રસંગ :
સુદ, શુક્લ, જેઠ, જ્યેષ્ઠ, દશમ, દશમી, અંતર્ધાન તિથી
વિવેચન:
ભાવાર્થઃ- હે લટકાળા ઘનશ્યામ! તમારા આજાનબાહુ અનુપમ હાથનાં લટકાં મારા અંતરમાં હંમેશને માટે ખટકે છે. ‘મારા મન મંદિરિયામાં વસતાં’ હું ગાતો ત્યારે હસતા-હસતા મારી કને આવતા ખસતા. અને મને પ્રીત કરીને બોલાવતા. આ બધું સંભારતા મને અત્યંત દુઃખ થાય છે. II૧II જે શૈયામાં સહજાનંદજી પોઢતા, જે બાજોઠે બેસતા, જે ઠેકાણે સ્નાન કરતા, જે રૂમાલથી શરીર લૂછતા, જે ઠેકાણે બેસીને વિવિધ પ્રકારનાં ભોજન અને સુંદર મજાનાં શાક જમતાં. વળી, મને પ્રસાદી આપતા. વળી, સંતો-ભક્તોને સાથે લઈ ખળખળીને સ્નાન કરી માણકીના અસવાર માણેકચોકમાં મલપતા માણકીને કૂંડાળે નાખતા. ફૂલબાગમાં જઈ બેસતા. ગજરા ગુલાબી અને સુંદર હાર પહેરતા. હે પ્રભુ ! આપની આ બધી અલૌલિક ક્રિયા જેમ જેમ સાંભરે છે. તેમ મારા અંતરમાં અત્યંત વેદના થાય છે. માટે હે મારા પ્રાણના આધાર ! હે દીનાનાથ ! હવે મને એ સુખથી કેટલા દિવસ વંછિત રાખવો છે ? હે કરુણાનિધાન ! જલ્દી પધારો મને તેડવા. II૨ થી ૯ II રહસ્યઃ- પ્રેમીએ પ્રેમની પરાકાષ્ઠાએ જઈ આર્તસ્વરે ઘણુંઘણું સંભાર્યું. ઘોડી ફેરવતા, પાદુકા પહેરતા, સભા કરતા, કીર્તન ગવરાવતા, ભેળા ગાતા. જેમ જેમ સ્વામી એક એક પ્રસંગને સંભારતા જાય, તેમ તેમ દરેક સભાજનને તે પ્રસંગ તાદ્રશ્ય થતા જાય. એક એક પ્રસંગમાં દરેકમાં મન અટકી જાય. વળી, પરાણે ધક્કો દઈને વૃત્તિને આગળ કરતા સ્વામી તો રડતી આંખે કકળતા હૈયે પદ ઉપર પદ ગાતા રહ્યા. જેમ કોઈ કુશળ સંગીતકાર અતિ વિરહી સ્વરે દીપક રાગ ગાઈને દીપોને પ્રગટાવી દે તેમ આજે તેવા જ કરુણભીના કંઠે પદો ગાઈને પ્રેમસખી પ્રેમાનંદસ્વામીએ સૌના અંતરમાં સ્મરણ દીપાગ્નિ પ્રજ્જ્વલિત કરી દીધો. સૌને લાગ્યું કે ચારે દિશાઓએથી અને અંતરીક્ષમાંથી કોઈ જલદ અગ્નિની વર્ષા થઈ રહી છે. જોતજોતામાં ઝાડવાં ઉપરનાં પંખીઓ નીચે પડવા લાગ્યા. સૌ અકળાવા લાગ્યા. હિબકા અને ધ્રુસકાની સાથે આંખોમાંથી ધારાઓ છૂટી. કવિ દલપતરામ નોંધે છે તે પ્રમાણે એ ચાલીસ હજાર આંખોમાંથી એવી એક પણ આંખ નહોતી કે જેમાંથી વિરહાશ્રુ સર્યાં ન હોય. અરે! કેટલાકની આંખોમાંથી તો લોહી ટપક્યું હતુ. કહેવાય છે કે એ કરુણ રુદનથી વડતાલ મંદિરની દીવાલો પણ ધ્રુજી ઊઠી હતી. પદ ઉપર પદ સ્વામી ગાતા રહ્યા અને ભક્તો રડતા રહ્યા. એમાંય ચોથા પદની છેલ્લી કડી ‘જેમ જેમ સાંભરે તેમ થાય વેદના રે, પ્રેમાનંદના પાણ આધાર.’ આ છેલ્લી કડી ગાતાં-ગાતાં સ્વામી ઢળી પડ્યા. બેશુદ્ધ બની ગયા, એ મૂર્છિત અવસ્થામાં સ્વામી મંચ નીચે પડી ગયા. આજે શોકનો સાગર માઝાં મૂકીને ઘૂઘવતો હતો. વિરહી મેઘ નવલખ ધારે રોઈ રહ્યો હતો. કોણ કોને છાનું રાખે? કોણ કોને આશ્વાસન આપે? છતાં રઘુવીરજી મહારાજે પોતાનું હૈયું કઠણ કરી સ્વામીની આંખે પાણીનાં પોતાં મૂકી શરીર પર હાથ ફેરવી આશ્વાસન આપી મહામહેનતે સ્વામીને શુદ્ધિમાં આણ્યાં. કહેવાય છે કે, ત્યાર પછી પ્રેમસખી પોતાનાં પ્રિયતમની ઝંખનામાં ઝૂરતા રહ્યા પદો રચતા રહ્યા અને ગાતા રહ્યા. હરિ સ્મરણનાં સાત વારનાં, બાર મહિનાનાં ઘણાં પદો રચ્યાં, વિનંતીઓ લખી, સંદેશાઓ મોકલ્યા, અને કારતકે કાગળિયા લખ્યા. શ્રીહરિએ પણ આ પ્રેમીની પરાકાષ્ઠને પામવા વિરહ-વિલાપનાં પદો રચાવવા, સર્વોપરી પ્ર્રેમભક્તિની સ્થાપના કરાવવા, ભાવિ ભક્તોને માટે ભક્ત અને ભગવાન વચ્ચેના પ્રેમાત્મક સંબંધો તથા પોતાનાં લીલાચરિત્રો અને સ્વમૂર્તિની સ્મૃતિ ચિરઃકાળ, ચિરસ્થાયી બને તેવા હેતુથી પ્રેમાનંદ સ્વામીને પોતાના ગયા પછી પંચભૌતિક દેહમાં સંવત્ ૧૮૮૬ થી ૧૯૧૧ સુધી એમ પચીસ વર્ષ રાખ્યા હતા. પ્રસ્તુત પદમાં સ્મરાણાત્મક વિરહ કોઈ અદ્ભુત રીતે આલેખાયો છે. પદ સુગેય છે . પદના ઢાળ, તાલ, લય, સૂર, શબ્દ, અને ભાવ અતિ વિરહાત્મક છે.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025