અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે...અંત૦ ૧
રોમ કોટિ વીંછીની તનમાં થાય વેદના, કફ જાળે કંઠ રુંધાય છે...અંત૦ ૨
શૂધ ન રહે જ્યારે પોતાના શરીરની, તનડાની નાડી તૂટી જાય છે...અંત૦ ૩
ઘરનાં માણસ જ્યારે ઘેરી બેસે પાસળે, પૂમડું લઈને જળ પાય છે...અંત૦ ૪
દેવાનંદ કહે દેહ તજ્યા ટાણે, હૈડું હાલક-ડોલક થાય છે...અંત૦ ૫
ભાવાર્થઃ- ભક્ત ભગવાનને વિનવે છે કે અંતકાળે આવી સંભાળી લેજો શામળા. હે પ્રભુ! અમારા અવગુણ સામે જોશો નહીં. “મારા જનને અંતકાળે, જરૂર મારે આવવું, બિરૂદ મારું એ ન બદલે, તે સર્વેજનને જણાવવું.” એ બિરૂદ પ્રમાણે સ્વામી પ્રભુજીને ભલાંમણ કરે છે, કે “હે અધમના ઉદ્ધારક! કરુણાનાં સિંધુ ! તમે તમારું બિરુદ પાળજો. ફક્ત અર્ધનામ ઉચ્ચાર કરનાર ગજને ગ્રાહના મુખથી છોડાવ્યો. બસ એવી રીતે હે સુંદરવર શામળા ! તમે જલ્દી આવો, હું તમારી અનિમેષનયને વાટ જોઉ છું. સ્નેહભાવે “નારાયણ” એવા પુત્રનો પોકાર કરનાર અજામિલનો ઉદ્ધાર પણ આપે કર્યો છે. અર્થાત અંતકાળે એવા અલ્પજ્ઞ જીવોની પણ સંભાળ તમે લીધી છે. તો શું મારી સંભાળ નહીં લો ? હે પ્રભુ ! અમારે તો એક તમારો જ આધાર છે. વળી દોહ્યલી વેળામાં, એટલે કે દુઃખદ સમયે અમે કોની આશા કરીએ ? કોને શરણે જઈએ ? આપના વિના અન્ય કોઈ સ્વરૂપમાં ભરોસો બેસતો જ નથી. માટે આપ જ અમારો આધાર છો. અમારી ગતિ છો. અને અમારે ઠરવાનું ઠામ છો. માટે એવું વિચારી વ્હેલા આવી આ દાસને તેડી આપની પાસે લઈ લો પ્રભુ, II૧ થી ૪ II રહસ્યઃ- પ્રસ્તુત પદમાં કવિની હૈયાવરાળ શબ્દે શબ્દે ઝરે છે. પ્રાર્થના નિખાલસતાના ભાવે રજૂ કરાઈ છે. ભગવાન એકવાર પોતાનો હાથ ઝાલશે પછી છોડી નહીં દે એવી કવિને ખાતરી છે. ભગવાનના બિરુદ ઉપર કવિને ઊંડો ભરોસો છે. કાવ્યમાં કવિની ભાવાભિવ્યક્તિ આકર્ષક છે. શબ્દોમાં કોમળતા, ૠજુતા, અને મધુરતા સહજપણે ઊતરી આવે છે. પદોનો રાગ મેવાડો છે. મેવાડો રાગ વિરહપ્રધાન છે. મેવાડો રાગ વધુમાં વધુ લાંબા ઢાળથી ગવાય છે. અંતિમ ઘડીનો શ્વાસ પણ લાંબો હોય છે. જેને લોકો એક દંડો શ્વાસ કહે છે. આ રાગ ગાવામાં પણ શ્વાસને વધુ ઘૂંટવો પડે છે. એટલે કવિની રાગ પસંદગી પણ ઉચિત છે. વળી, પ્રસ્તુત પદના ચોથા પદમાં ભક્તની ભાવાત્મક અરજી ભગવાને સાંભળી અને મુક્તમુનિની અંતકાળે સાર લીધી છે. તેની ખાતરી આ શબ્દોથી થાય છે. “ભલેને પધાર્યા રે ગિરિધર ગાજતા રે, લીધી છેલછબીલે મારી સાર.” આમ, અનેક શબ્દોથી પ્રસ્તુત પ્રસંગે જ આ કીર્તન રચાણું છે. એવું નક્કી થાય છે. શબ્દો વિરહ અને વિનંતી પ્રધાન છે. ઢાળ સહેલો છે. અને તાલ કહરવા છે.
ઉત્પત્તિઃ- સંવત ૧૮૮૬ જેઠ વદિ ૧૦ ના રોજ અનંત બ્રહ્મનિષ્ઠ ભક્તોના પ્રાણઆધાર એવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામીનારાયણે પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો. જીવનું જીવન જતાં અનેક ભક્તોના જીવનમાં કારમો ઘા લાગ્યો. પ્રાણ વિના પૂંજા ડોડિયા અને મહારાજને અખંડ ધારનારી માણકી ઘોડીએ મહારાજનાં તેરમાના દિવસે જ પ્રાણ છોડ્યા. સદ્ગુરુ મુક્તાનંદસ્વામી સારાયે સત્સંગની ‘મા’ કહેવાતા. પરંતુ બાપનું ઓઢણું બેટા ઉપરથી દૂર થતાં ‘મા’ નું જ��વન ઝેર થઈ ગયું. મહારાજ સ્વધામ સિધાવ્યા પછી સ્વામી જીવનથી ઉદાસ થઈ ગયા. એક પળ પણ એમને કલ્પસમ લાગવા માંડી. તીક્ષ્ણ ધારદાર ભાલા શરીરમાં ભોંકાય અને જે વેદના થાય, એવી અધિક વેદના ખાનપાનાદિક ભોગથી સ્વામીને થવા લાગી. ચિત્ત ક્યાંય ચોંટતું નથી. ગોપાળાનંદસ્વામી અને રઘુવીરજી મહારાજના આગ્રહથી સ્વામી અનીચ્છાએ લઘુઆહાર કરે છે. પણ મન મહારાજને મળવા મથી રહ્યું છે. વાતની વાતમાં સ્વામી ગાઈ ઊઠે છે. કે ‘ક્યારે હવે દેખું, હરિ હસતા મારા મંદિરમાં વસતા.’ શ્રીજી મહારાજ ધામમાં સિધાવ્યાને આજે દોઠ માસ થવા આવ્યો છે. ૧૮૮૬ ની અષાડ વદિ-૧૧ ની સવારનો સમય છે. સૌના અંતરમાં આજે અવનવા વિચારો અને અપશુકનો થઈ રહ્યાં છે. સૂરજનારાયણ પણ ભારેખમ થયા છે. ધૂંધળી અવસ્થામાં દશેય દિશાઓ નિસ્તેજ જણાય છે. વહેલી સવારની ગાયો ભાંભરી રહી છે. કૂતરાઓ દાદાની ડેલી આગળ આવી ઊંચુ મોં રાખી રડી રહ્યાં છે. પગ નીચેથી પૃથ્વી સરી જતી હોય તેવો અનુભવ સૌને થાય છે. એવા સમયે ગોપીનાથજી મહારાજની શણગાર આરતી બાદ દર્દીલા દિલમાંથી નીકળતો કરુણભીનો અવાજ સૌને સંભળાયો. ‘મેરે તો તુમ એક હી એક આધારા.’ આજે તોતેર વર્ષની વયના માંદગીભર્યા શરીરવાળા મુક્તાનંદસ્વામી જેમ પાણી વિના માછલી તરફડે તેમ પ્રભુ વિના વલવલી રહ્યા છે. બધા સંતો-ભક્તો મંદિરમાં એકત્રિત થઈ ગયા છે. સૌના હૈયા કકળી ઊઠ્યાં છે કે બાપ તો ગયા અને આ ‘મા’ પણ ચાલી. સૌ સ્વામીને વિનવી રહ્યા છે, કે ‘સ્વામી! આપ તો ધીરજના ડુંગર છો. સારાયે સત્સંગની આપ ‘મા’ છો. ‘મા’ જો ધીરજ છોડી દે તો દીકરાની શી દશા થાય? સ્વામી ! આપના સાન્નિધ્યથી સમગ્ર સત્સંગને શાતા વળે છે. માટે આપ ધામમાં જવાની ઉતાવળ ન કરો સ્વામી !” પરંતુ ઉદાસ બનેલા મુક્તાનંદ સ્વામી તો શ્રીજી મહારાજે વ.ગ.મ.-૫૮ માં કરેલ આજ્ઞા પ્રમાણે કલમ હાથમાં લઈને અંતિમ કીર્તન લખતા જાય છે. અને ગાતા જાય છે. ‘અંતકાળે આવી રે સંભાળી લેજો શ્યામળા.” એક પદ લખાણું, બીજું લખાણૂં, ત્રીજું અને ચોથું પદ લખવા જાય છે. ત્યાં તો ધ્રૂજતા હાથમાંથી કલમ નીચે સરી પડી. એટલે નિત્યાનંદસ્વામીએ કલમ પોતાના હાથમાં લઈ અંતસમયે સ્ફૂરતા શબ્દોને નોંધી લીધા. અને મુક્તાનંદસ્વામીની પાસે બેસીને કહ્યું, કે “સ્વામી ! તમારો અધૂરો રહેલો ધર્માખ્યાનનો ગ્રંથ હું પૂરો કરીશ અને રઘુવીરજી મહારાજને વડોદરામાં પધરાવીશ.” એમ કહી સ્વામીના શરીરે હાથ ફેરવવા લાગ્યા. જીવનભર શ્રીહરિની આજ્ઞા અણીશુદ્ધ પાળતાં પાળતાં પ્રભુભક્તિનાં પદો ગાતાં-ગાતાં અને ઈષ્ટદેવનાં લીલાચરિત્રો છેલ્લી ઘડી સુધી લખતાં થકા મુક્તાનંદસ્વામી શ્રીહરિના ધામમાં સિધાવ્યા. ભક્તો, પ્રસ્તુત પદ છે મુક્તાનંદસ્વામીના અંતિમ આર્તનાદની છેલ્લી પ્રસાદી.
अरे ! सुन रे युवान, क्यूं भूल गया भान
एक पूरा ज्ञान (२) तुझको पाने में उपयोगी है
અંખી આયકે મોય લગી, જીવન જાદુગારે કી
અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે
અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન
અંગુઠી આપો અમને અવતારી, તમોને કર જોડી કહીએ
અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત
અંગુલીકા મૃદુલ રુપાળીરે, અનુક્રમે નાની મોટી
અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી
અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો
અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો
અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો
અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય
અંત સમો જ્યારે તારો આવશે રે
અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે
અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે,જોશો મા અમારા અવગુણ શ્યામરે
અંતકાળે કઠણ વેળા આવશે રે
અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે
અંતર ચતુર હરે, સુંદર હરિ
અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે
અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે
અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે
અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે
અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારી હો
અંતરજામી શ્રીકૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો
અંતરના જામી શું કહીએ આપને, નથી અજાણ્યું આપ થકી તલ ભારજો
અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે
અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો
અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો
અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી
અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર
અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી
અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી
અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય
અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે
અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઈ
અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે
અંતે સંતને તેડાવે રે, પ્રભુનું ભજન કરવા
અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને
અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ
અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન
અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી
અંસુવન સુખે રે મોરી અખિયાં
અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર
અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી
અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો
અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;
અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે
અક્ષર પર હરિ શ્રીજીમહારાજ
અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે
અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;
અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય
અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં
અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ
અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે
અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;
અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ
અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે
અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ સુખ આપવા રે
અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો
અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલો
અક્ષરધામથી શ્રીજી પધાર્યા
અક્ષરધામથી સંતોની સંગાથ જો
અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;
અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે
અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ?
અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર
અક્ષરના વાસી રે અવની આવીયા
અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર
અક્ષરના વાસીરે અવની આવ્યાછે
અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રે
અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ
અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે
અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ
અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી
અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા
અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો
અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ
અક્ષરપતી આવિયા અવતારી રે
અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે
અક્ષરવાસી અલબેલા તમ પરવારી
અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે
અક્ષરવાસી વિલાસી વડતાલના રે
અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે
અક્ષ્રરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી
અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,
અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા
અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં
અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ
અખંડ રહો મંદિરીયે મારે, મોહી હું તો છોગલીયે તારે રે
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;
અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી
અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર
અખિયનકી લગી ચટકી સજની અંખિ
અખિયનમેં હો અખિયનમેં લટક, લાલનકી વસી
અખિયાં અટકી દેખત બનવારી