Logo image

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે...અંત૦ ૧

રોમ કોટિ વીંછીની તનમાં થાય વેદના, કફ જાળે કંઠ રુંધાય છે...અંત૦ ૨

શૂધ ન રહે જ્યારે પોતાના શરીરની, તનડાની નાડી તૂટી જાય છે...અંત૦ ૩

ઘરનાં માણસ જ્યારે ઘેરી બેસે પાસળે, પૂમડું લઈને જળ પાય છે...અંત૦ ૪

દેવાનંદ કહે દેહ તજ્યા ટાણે, હૈડું હાલક-ડોલક થાય છે...અંત૦ ૫
 

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
દેવાનંદ સ્વામી
વિવેચન:
ભાવાર્થઃ- ભક્ત ભગવાનને વિનવે છે કે અંતકાળે આવી સંભાળી લેજો શામળા. હે પ્રભુ! અમારા અવગુણ સામે જોશો નહીં. “મારા જનને અંતકાળે, જરૂર મારે આવવું, બિરૂદ મારું એ ન બદલે, તે સર્વેજનને જણાવવું.” એ બિરૂદ પ્રમાણે સ્વામી પ્રભુજીને ભલાંમણ કરે છે, કે “હે અધમના ઉદ્ધારક! કરુણાનાં સિંધુ ! તમે તમારું બિરુદ પાળજો. ફક્ત અર્ધનામ ઉચ્ચાર કરનાર ગજને ગ્રાહના મુખથી છોડાવ્યો. બસ એવી રીતે હે સુંદરવર શામળા ! તમે જલ્દી આવો, હું તમારી અનિમેષનયને વાટ જોઉ છું. સ્નેહભાવે “નારાયણ” એવા પુત્રનો પોકાર કરનાર અજામિલનો ઉદ્ધાર પણ આપે કર્યો છે. અર્થાત અંતકાળે એવા અલ્પજ્ઞ જીવોની પણ સંભાળ તમે લીધી છે. તો શું મારી સંભાળ નહીં લો ? હે પ્રભુ ! અમારે તો એક તમારો જ આધાર છે. વળી દોહ્યલી વેળામાં, એટલે કે દુઃખદ સમયે અમે કોની આશા કરીએ ? કોને શરણે જઈએ ? આપના વિના અન્ય કોઈ સ્વરૂપમાં ભરોસો બેસતો જ નથી. માટે આપ જ અમારો આધાર છો. અમારી ગતિ છો. અને અમારે ઠરવાનું ઠામ છો. માટે એવું વિચારી વ્હેલા આવી આ દાસને તેડી આપની પાસે લઈ લો પ્રભુ, II૧ થી ૪ II રહસ્યઃ- પ્રસ્તુત પદમાં કવિની હૈયાવરાળ શબ્દે શબ્દે ઝરે છે. પ્રાર્થના નિખાલસતાના ભાવે રજૂ કરાઈ છે. ભગવાન એકવાર પોતાનો હાથ ઝાલશે પછી છોડી નહીં દે એવી કવિને ખાતરી છે. ભગવાનના બિરુદ ઉપર કવિને ઊંડો ભરોસો છે. કાવ્યમાં કવિની ભાવાભિવ્યક્તિ આકર્ષક છે. શબ્દોમાં કોમળતા, ૠજુતા, અને મધુરતા સહજપણે ઊતરી આવે છે. પદોનો રાગ મેવાડો છે. મેવાડો રાગ વિરહપ્રધાન છે. મેવાડો રાગ વધુમાં વધુ લાંબા ઢાળથી ગવાય છે. અંતિમ ઘડીનો શ્વાસ પણ લાંબો હોય છે. જેને લોકો એક દંડો શ્વાસ કહે છે. આ રાગ ગાવામાં પણ શ્વાસને વધુ ઘૂંટવો પડે છે. એટલે કવિની રાગ પસંદગી પણ ઉચિત છે. વળી, પ્રસ્તુત પદના ચોથા પદમાં ભક્તની ભાવાત્મક અરજી ભગવાને સાંભળી અને મુક્તમુનિની અંતકાળે સાર લીધી છે. તેની ખાતરી આ શબ્દોથી થાય છે. “ભલેને પધાર્યા રે ગિરિધર ગાજતા રે, લીધી છેલછબીલે મારી સાર.” આમ, અનેક શબ્દોથી પ્રસ્તુત પ્રસંગે જ આ કીર્તન રચાણું છે. એવું નક્કી થાય છે. શબ્દો વિરહ અને વિનંતી પ્રધાન છે. ઢાળ સહેલો છે. અને તાલ કહરવા છે.
ઉત્પત્તિ:
ઉત્પત્તિઃ- સંવત ૧૮૮૬ જેઠ વદિ ૧૦ ના રોજ અનંત બ્રહ્મનિષ્ઠ ભક્તોના પ્રાણઆધાર એવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામીનારાયણે પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો. જીવનું જીવન જતાં અનેક ભક્તોના જીવનમાં કારમો ઘા લાગ્યો. પ્રાણ વિના પૂંજા ડોડિયા અને મહારાજને અખંડ ધારનારી માણકી ઘોડીએ મહારાજનાં તેરમાના દિવસે જ પ્રાણ છોડ્યા. સદ્ગુરુ મુક્તાનંદસ્વામી સારાયે સત્સંગની ‘મા’ કહેવાતા. પરંતુ બાપનું ઓઢણું બેટા ઉપરથી દૂર થતાં ‘મા’ નું જ��વન ઝેર થઈ ગયું. મહારાજ સ્વધામ સિધાવ્યા પછી સ્વામી જીવનથી ઉદાસ થઈ ગયા. એક પળ પણ એમને કલ્પસમ લાગવા માંડી. તીક્ષ્ણ ધારદાર ભાલા શરીરમાં ભોંકાય અને જે વેદના થાય, એવી અધિક વેદના ખાનપાનાદિક ભોગથી સ્વામીને થવા લાગી. ચિત્ત ક્યાંય ચોંટતું નથી. ગોપાળાનંદસ્વામી અને રઘુવીરજી મહારાજના આગ્રહથી સ્વામી અનીચ્છાએ લઘુઆહાર કરે છે. પણ મન મહારાજને મળવા મથી રહ્યું છે. વાતની વાતમાં સ્વામી ગાઈ ઊઠે છે. કે ‘ક્યારે હવે દેખું, હરિ હસતા મારા મંદિરમાં વસતા.’ શ્રીજી મહારાજ ધામમાં સિધાવ્યાને આજે દોઠ માસ થવા આવ્યો છે. ૧૮૮૬ ની અષાડ વદિ-૧૧ ની સવારનો સમય છે. સૌના અંતરમાં આજે અવનવા વિચારો અને અપશુકનો થઈ રહ્યાં છે. સૂરજનારાયણ પણ ભારેખમ થયા છે. ધૂંધળી અવસ્થામાં દશેય દિશાઓ નિસ્તેજ જણાય છે. વહેલી સવારની ગાયો ભાંભરી રહી છે. કૂતરાઓ દાદાની ડેલી આગળ આવી ઊંચુ મોં રાખી રડી રહ્યાં છે. પગ નીચેથી પૃથ્વી સરી જતી હોય તેવો અનુભવ સૌને થાય છે. એવા સમયે ગોપીનાથજી મહારાજની શણગાર આરતી બાદ દર્દીલા દિલમાંથી નીકળતો કરુણભીનો અવાજ સૌને સંભળાયો. ‘મેરે તો તુમ એક હી એક આધારા.’ આજે તોતેર વર્ષની વયના માંદગીભર્યા શરીરવાળા મુક્તાનંદસ્વામી જેમ પાણી વિના માછલી તરફડે તેમ પ્રભુ વિના વલવલી રહ્યા છે. બધા સંતો-ભક્તો મંદિરમાં એકત્રિત થઈ ગયા છે. સૌના હૈયા કકળી ઊઠ્યાં છે કે બાપ તો ગયા અને આ ‘મા’ પણ ચાલી. સૌ સ્વામીને વિનવી રહ્યા છે, કે ‘સ્વામી! આપ તો ધીરજના ડુંગર છો. સારાયે સત્સંગની આપ ‘મા’ છો. ‘મા’ જો ધીરજ છોડી દે તો દીકરાની શી દશા થાય? સ્વામી ! આપના સાન્નિધ્યથી સમગ્ર સત્સંગને શાતા વળે છે. માટે આપ ધામમાં જવાની ઉતાવળ ન કરો સ્વામી !” પરંતુ ઉદાસ બનેલા મુક્તાનંદ સ્વામી તો શ્રીજી મહારાજે વ.ગ.મ.-૫૮ માં કરેલ આજ્ઞા પ્રમાણે કલમ હાથમાં લઈને અંતિમ કીર્તન લખતા જાય છે. અને ગાતા જાય છે. ‘અંતકાળે આવી રે સંભાળી લેજો શ્યામળા.” એક પદ લખાણું, બીજું લખાણૂં, ત્રીજું અને ચોથું પદ લખવા જાય છે. ત્યાં તો ધ્રૂજતા હાથમાંથી કલમ નીચે સરી પડી. એટલે નિત્યાનંદસ્વામીએ કલમ પોતાના હાથમાં લઈ અંતસમયે સ્ફૂરતા શબ્દોને નોંધી લીધા. અને મુક્તાનંદસ્વામીની પાસે બેસીને કહ્યું, કે “સ્વામી ! તમારો અધૂરો રહેલો ધર્માખ્યાનનો ગ્રંથ હું પૂરો કરીશ અને રઘુવીરજી મહારાજને વડોદરામાં પધરાવીશ.” એમ કહી સ્વામીના શરીરે હાથ ફેરવવા લાગ્યા. જીવનભર શ્રીહરિની આજ્ઞા અણીશુદ્ધ પાળતાં પાળતાં પ્રભુભક્તિનાં પદો ગાતાં-ગાતાં અને ઈષ્ટદેવનાં લીલાચરિત્રો છેલ્લી ઘડી સુધી લખતાં થકા મુક્તાનંદસ્વામી શ્રીહરિના ધામમાં સિધાવ્યા. ભક્તો, પ્રસ્તુત પદ છે મુક્તાનંદસ્વામીના અંતિમ આર્તનાદની છેલ્લી પ્રસાદી.
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.

अरे ! सुन रे युवान, क्यूं भूल गया भान

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

एक पूरा ज्ञान (२) तुझको पाने में उपयोगी है

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે,જોશો મા અમારા અવગુણ શ્યામરે

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧૦

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઈ

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;      

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;        

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૫ / ૮

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૪

અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી શ્રીજી પધાર્યા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી સંતોની સંગાથ જો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે

નારાયણદાસજી
૧ / ૪

અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,          

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૪ / ૮

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;    

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાંમેં અબીર ગુલાલ

દેવાનંદ સ્વામી
૧ / ૪

અખિયાંમેં જાદુ ભારી ગીરધારી રાજ

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અગત્રાઇએઆવી અલબેલરે સંતપતિ શોભે રે

જગદીશાનંદ સ્વામી
૧ / ૨

અગત્રાઈના પર્વતભાઈ રે, સદા રહેતા તે મૂર્તિમાંઈ રે,

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અગમ અગાધ બાત ત્રિભુવન નાથ તેરી

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અગર ચંદનથી રે, ઓરડીએ ભીંતો ઓપી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અચજા મું ઘર કાનડે વલા, અચજા મું ઘર કાનડે વલા

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

અચરજ એના અંગમાં અતિ અદ્‌ભુત ભાળી

ભૂમાનંદ સ્વામી
૪ / ૫

અચલ ધણી શ્રીનાથજી રે, સખી વર્યા મેં તો નાથ

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અચાનક અખિયનમેં પિચકારિ રે, ઇન મારી રે

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અચાનક આકાશેથી અંગારાની વૃષ્ટિ થાય

જગદીશાનંદ સ્વામી
૧ / ૨

અજ સુત સુતા સુત રહો ઉર

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અજબ તમાસા વા દુનિયાકા, દોઇ પલમેં નાશ પમાસા રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અજબ દેખ શામ છબિ દેખ સલુની

૪ / ૪

અજબ બની બંગલેકી બેઠક

પ્રેમાનંદ સ્વામી
૨ / ૨

અજબ બની રે છબી અજબ બની

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અજબ બન્યા હે આજ, અવસર અજબ બન્યા હે આજ

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અજબ વસંત વધાવા ચાલો સબ સખી સાજ કરીને

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

અજબ સુરંગ ઉમંગ ભરી હરિ

પુર્ણાનંદ સ્વામી
૪ / ૪

અજબ સુરત તેરી બનીરે કનૈયા

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અજહું ઘર ન આયો મોરે પિયરા, જાદુ કરીકે ગયો મોહની ડારી

દેવાનંદ સ્વામી
૧ / ૪

અજહું ઘર નાયો શામ પિયારે

દેવાનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025