Logo image

સબહી બરનમેં વોહી બડે જીન, સ્વામિનારાયણ રટા રટા રે

સબહી બરનમેં વોહી બડે જીન, સ્વામિનારાયણ રટા રટા રે	...ટેક.
સ્વામિનારાયણ જેહી મન રાચે, સંસાર તિનકો ખટા ખટા રે	...૧
સહજાનંદ કો દર્શન જીન કીનો, ત્રિવિધ તાપ સો કટા કટા રે	...૨
સ્વામિનારાયણ કો મુખ ગાવે, પંડિત જોગી ભટા ભટા રે	...૩
સહજાનંદ કો ધ્યાન ધરી મુનિ, શિર ધરિ કે બડી જટા જટા રે	...૪
સ્વામિનારાયણ આશ્રય જીન કિનો, તિનકી ઓર હૈ છટા છટા રે...૫
શ્વેતવૈકુંઠદાસ શ્રીહરિ કે, પડત ચરનમેં લટા લટા રે		...૬
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
ભજન, જપ, રટણ, નામ સ્મરણ,, શબ્દાવર્તન
વિવેચન:
આસ્વાદ : શ્રીજીમહારાજના ચરણસ્પર્શથી પાવન થયેલી તીર્થ-સલિલા ઉન્મત્તગંગામાં સ્નાનમાત્રથી જ જેમના અસદ્ ગતિને પામેલા પિતાશ્રીનો ઉદ્ધાર થઇ ગયો એવા સ. ગુ. શ્રી શ્વેતવૈકુંઠાનંદ સ્વામીએ પોતાના સ્વાનુભવે જ શ્રીહરિનો અપરંપાર મહિમા આત્મસાત કરીને એમનો અનન્ય આશ્રય કર્યો હતો. તેથી જ એમના પ્રસ્તુત પદમાં એના શબ્દે શબ્દે પ્રભુ શ્રી સ્વામિનારાયરણનો પારાવાર મહિમા એની પારાકાષ્ઠાએ પ્રગટે છે. કવિના મતે સમસ્ત જગતમાં એ જ સૌથી મહાન છે- એ જ સૌથી શ્રેષ્ઠ છે જેને ભગવાન શ્રી સ્વામિનારાયણનું અખંડ અનુસંધાન રહે છે, જેના અંતરમાં સતત શ્રીહરિનું સ્મરણ સહજ સ્વભાવે થયા કરે છે. શ્રીજીમહારાજે સ્વયં શ્રીમુખે આ જ વાતને (ગઢડા પ્રથમના પહેલા) વચનામૃતમાં અનુમોદન આપ્યું છે. શ્રીજીમહારાજ કહે છે: ‘જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી, કારણ કે ભગવાનની મૂર્તિ તો ચિંતામણી તુલ્ય છે. જેમ ચિંતામણી કોઇ પુરુષના હાથમાં હોય તે પુરુષ જે જે પદાર્થ ને ચિંતવે તે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મુર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે, તે તો જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઇચ્છે તો તત્કાળ દેખે છે તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમોહોલ આદિક જે જે ભગવાનના ધામ છે તેને પણ દેખે છે.’ જેને આ પ્રમાણે અહોનિશ અંતર પ્રભુપરાયણ રહ્યા કરે છે તેનું મન અનાયાસે જ સંસારના વ્યાપારોમાંથી અનાસક્ત થઇ જાય છે. શ્રીજીમહારાજના પ્રથમ દર્શનથી જ કવિના અંતરમાં અપાર શાંતિ અને અકારણ આનંદના ઓઘ ઉતરી આવ્યા હતા. તેથી કવિ ગાય છે: જેણે જેણે પણ શ્રી સહજાનંદના દર્શન કર્યા છે એના ત્રિવિધ તાપ – આધિ, વ્યાધિ અને ઉપાધિ ટળી ગયા છે. મોટા મોટા વિદ્વાન પંડિતો તથા અલમસ્ત યોગીઓ પણ ઠેર ઠેર ફરીને શ્રી સ્વામિનારાયણ ભગવાનનો મહિમા પ્રગલ્ભપણે ગાય છે. સંતદાસજી એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ‘સત્સંગિજીવન’ ગ્રંથના રચયિતા મહામુનિ શ્રી શતાનંદજી પ્રખર વિદ્વાન તેમ જ ઉચ્ચ કોટીના સિદ્ધ પુરુષ હતા. તેમણે શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીનો પ્રગલ્ભ મહિમા ઠેઠ બદરિકાશ્રમમાં જઇને ગાયો હતો, એટલું જ નહિ આસામના મહામુક્ત દલુજીને પણ શ્રીહરિનો અપરંપાર મહિમા સમજાવ્યો હતો અને તેથી મોટા મોટા જટાજૂટ જોગી મુનિઓ શ્રી સહજાનંદ શ્રીહરિનું અખંડ ધ્યાન ધરી રહ્યાં છે. કવિ કહે છે, જેને જેને પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અનન્ય આશ્રય કર્યો છે તેમની વાત જ નિરાળી છે. શ્રીજીમહારાજનો આવો અતુલિત મહિમા અંત:કરણપુર્વક સમજીને કવિ કૃતકૃત્યભાવે શ્રીહરિના ચરણોમાં આળોટીને પોતાના અંતરના આરતભર્યા ભાવોની ભવ્ય ભાવાંજલિનો અનોખો અર્ઘ્ય અર્પણ કરે છે. ખડી હિન્દી બોલીમાં રચાયેલું પ્રસ્તુત પદ સુગેય છે. રાગ ઠુમરીમાં એની બંદિશ કાવ્યના શબ્દલાલિત્ય તથા ભાવમાધુર્યને સુસંગત છે.
ઉત્પત્તિ:
વર્ષો પહેલાંની વાત છે. રાજસ્થાનના જોધપુર ગામના એક મારવાડી કુટુંબમાં એક વાર અચાનક એક ગોઝારી ઘટના બની ગઇ. એક નાનકડા કુમળા કળી સમા બાળકની જનેતા એને નોંધારો મૂકીને સ્વધામે સિધાવી જતાં બાળકના પિતાને માથે જાણે આભ ફાટી પડ્યું. છતાં પણ હૈયે હિંમત ધરીને એ અકિંચન બાપે પેટે પાટા બાંધીને પણ પુત્રને જતન કરીને ઉછેર્યો. પરંતુ તૂટેલું ગાડું તાણી-તૂસીને ખેંચવા જતાં કેટલું ચાલે? પુત્ર ૨૨ વર્ષનો થયો ત્યારે તેના પિતાનું એક દિવસ અચાનક અવસાન થયું. પુત્ર સદાચારી હતો – સંસ્કારી હતો – ગુણીયલ હતો. તેણે પિતાની અંતિમક્રિયા, શ્રાદ્ધ, સરવણું સંપુર્ણ શ્રદ્ધા સાથે કર્યા, છતાંય પુત્રમાં અતિશય આસક્તિ ધરાવતા પિતાનો જીવ પુત્રમાં અટકી ગયો, એમની‌ અસદ્‌ગતિ થઇ, ભુત થઇને ભટકતો પિતા તેના પુત્રને વારંવાર દેખાયા કરતો. પુત્ર ભારે વિસામણામાં મૂકાયો. તેણે પિતાની સદ્‌ગતિ માટે શાસ્ત્રોમાં સૂચવાયેલા સઘળા ઉપાયો તેમ જ વિધિ-વિધાનો કર્યા, પરંતુ તેના સર્વ પ્રયત્નો વ્યર્થ નિવડ્યા. અંતે પિતાના કલ્યાણ માટે તેણે તીર્થાટન કરવાનું નક્કી કર્યું. ઘરબાર વેચી સાથે લીધેલા ધનની સુરક્ષા માટે ભગવી કંથા ધારણ કરી તે ચાલી નીકળ્યો. કાશી, મથુરા, ગોકુળ, અયોધ્યા વગેરે તીર્થોમાં ભટકતો ભટકતો તે ગિરનારની ગરવી કંદરાઓમાં આવી તેણે દામોદર કુંડમાં સ્નાન કર્યું, દેવના દર્શન કર્યા, બાવા-જતિ-જોગીઓના આશીર્વાદ લીધા પરંતુ કેમેય કરીને તેના પિતાની સદ્‌ગતિ ન થઇ. યુવાનને તેનો બાપ સતત પડછાયાની જેમ પાછળ ને પાછળ આવતો દેખાયા કરતો, તેથી રાત્રે પણ નિરાંતે નિદ્રા આવતી નહિ. અંતે એ કંટાળ્યો. એને થયું, પિતાનું પ્રેત મારો પીછો છોડે એમ લાગતું નથી, એના કરતાં આ દેહ જ છોડી દઇ જીવન ટુંકાવી દઉ તો જ આમાંથી છૂટાય. બીજે દિવસે સવારે ઊઠીને આત્મહત્યા કરીશ એવા મનસૂબા સાથે તે સૂઇ ગયો. એ રાત્રે સ્વપ્નમાં એને દ્વારિકાધીશના દર્શન થયા. દ્વારિકાધીશે તેને કહ્યું: સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં ગઢપુર ગામ છે, ત્યાં પ્રગટ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ બિરાજે છે. તું શીઘ્ર ત્યાં જા અને એમનો આશ્રય કર. એ તારા પિતાનો અવશ્ય ઉદ્ધાર કરશે. .’ બીજે દિવસે વહેલી સવારે ઊઠીને એ યુવાન ગઢપુર તરફ ચાલી નીકળ્યો. સતત ચાલતા ત્રણ દિવસે એ ગઢપુરની સીમમાં આવેલી ઘેલા નદીના કાંઠે પહોંચ્યો. ઘેલામાં ડુબકી દેતાં જ યુવાને પરમ શાંતિ અનુભવી. વર્ષોથી દેખાતું તેના પિતાનું પ્રેત એકાએક દેખાતું બંધ થઇ ગયું. સ્નાન-સંધ્યા આટોપી તેણે મંદિરમાં આવી ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા. મંદિરની સામે આવેલી સાધુઓની જાયગામાં તે સ. ગુ. શ્રી મુક્તાનંદ સ્વામીને મળ્યો. મીઠો આવકાર આપીને સ્વામીએ એને પૂછ્યું: ‘મહાત્માજી, આપનું નામ શું છે? આપ ક્યાંથી પધારી રહ્યાં છો?’ સ્વામીના મધુર વચનો સાંભળતાં જ યુવાન જાણે સ્વપ્નભંગ થતો હોય એમ ચમક્યો. એનું ધ્યાન હવે પોતે પહેરેલા ભગવા વસ્ત્રો પર જતાં એણે સહેજે ભોંઠપ અનુભવી. તરત જ તે નિખાલસભાવે બોલ્યો: ‘સ્વામીજી, હું કોઇ સાધુ-સંત કે મહંત-મહાત્મા નથી. હું તો એક સામાન્ય ગૃહસ્થનો પુત્ર છું. મેં જે ભગવા વસ્ત્રો પહેર્યાં છે તે તો મુસાફરીમાં સલામતી અને અનુકૂળતા અર્થે જ છે. મારે ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરવા છે!’ મુક્તાનંદ સ્વામીએ કહ્યું: ‘તમને શ્રીજીમહારાજના દર્શન જરૂર થશે. થોડી ધીરજ રાખો, ભગવાનશ્રી આજે જ કારિયાણીથી અહીં પધારવાના છે...’ બપોર પછી શ્રીજીમહારાજ કારિયાણીથી ગઢપુર પધારી અક્ષર ઓરડીમાં બિરાજ્યા હતા. મુક્તિ મુનિ એ મુમુક્ષુ યુવાનને લઇને મહારાજના દર્શને ગયા. શ્રીહરિના દર્શન કરતાં જ યુવાનના અંતરમાં આનંદના ઓઘ ઉતર્યા. મહારાજે તેની સામે એક નજર કરી મુક્ત મુનિને તેનો પરિચય પૂછ્યો. સ્વામીએ એનો પરિચય આપ્યો ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા: ‘સ્વામી, આ ભક્તના પિતા અતિ પુત્ર મોહને કારણે અસદ્‌ગતિ પામ્યા હતા એ વાત સાચી, પરંતુ આ ભક્તે ઘેલા નદીમાં સ્નાન કર્યું ત્યારે જ તેના પિતાના આત્માની સદ્‌ગતિ થઇ ગઇ છે. માટે હવે તે નિશ્ચિંતપણે ઊંઘી શકશે.’ પછી મહારાજે મૂળજી બ્રહ્મચારીને કહ્યું: ‘બ્રહ્મચારી, આ ભક્તે ત્રણ દિવસથી કાંઇ ખાધું નથી. સતત ચાલીને એ થાકી ગયા છે, માટે પહેલાં અમારા થાળની પ્રસાદી એમને જમાડો. પછી એમના આરામની વ્યવસ્થા કરો.’ મૂળજી બ્રહ્મચારીએ તેને ભોજન કરાવ્યું, સંત-સમાગમ, ભગવત્ દર્શન અને ભોજનપ્રસાદ આ બધું અહીં સરળતાથી સહજસ્વભાવે પ્રાપ્ત થતાં એ યુવાનનો દિવસોનો થાક પળોમાં ઉતરી ગયો. એનું અંતર પ્રફુલ્લિત થઈ ગયું. એ રાતે તે નિરાંતે ઊંઘ્યો. સવારે ઊઠી સ્નાનાદિ નિત્યવિધિમાંથી પરવારી તે દાદાખાચરના દરબારમાં શ્રીજીમહારાજના સાંનિધ્યમાં ભરાયેલી સંત-હરિભક્તોની સભામાં આવીને બેઠો. શ્રીજીમહારાજે તેને પૂછ્યું: ‘ભક્તરાજ તમે હવે શો વિચાર કર્યો? તીર્થયાત્રા આગળ વધારવી છે કે અહીં અમારી પાસે અઠેદ્વારકા કરીને રહેવું છે?’ યુવાને વિનમ્રતાથી જવાબ આપ્યો: ‘પ્રભુ તીર્થાટન તો પિતાની સદ્‌ગતિ અર્થે કરવા નીકળ્યો હતો. મારો એ હેતુ આપના ચરણમાં સિદ્ધ થયો, માટે હવે તો અહીં જ આપની સેવામાં રહેવું છે!’ શ્રીજીમહારાજે તેને પાર્ષદની દીક્ષા આપી લક્ષ્મીવાડીમાં રહી ફૂલવાડીની માવજત કરવાની સેવા સોંપી. પાંચેક વરસ પાર્ષદ તરીકે ફૂલવાડીની સેવા કર્યા પછી એકવાર તેમણે શ્રીજીમહારાજને વિનંતી કરી: ‘પ્રભુ, મારે સાધુ થવું છે.’ મહારાજે કહ્યું: ‘પાર્ષદરૂપે તમે સેવા કરો જ છો ને? તેમાં કાંઈ મુશ્કેલી હોય તો કહો.’ ભક્તરાજે ફરી આજીજીપુર્વક કહ્યું: ‘મહારાજ, પાર્ષદરૂપે મુશ્કેલી તો કાંઈ જ નથી, પરંતુ મારે તો તમારી કથાવાર્તા સાંભળવી છે અને સંતોની સેવા કરી બ્રહ્મરૂપ થવું છે. પાર્ષદ તરીકે એ લાભ નથી મળતો, તેથી મારે સાધુ થવું છે.’ શ્રીજીમહારાજ તેમની મુમુક્ષતા તેમ જ સંતસેવા માટેની ત્વરા જોઇ અત્યંત પ્રસન્ન થયા અને તેમને સાધુ માટેની ભગવતી દીક્ષા આપી તેમનું નામ શ્વેતવૈકુંઠાનંદ પાડ્યું. સ. ગુ. શ્રી શ્વેતવૈકુંઠાનંદ સ્વામીએ શ્રીજીમહારાજના સાંનિધ્યમાં રહી તેમ જ નંદસંતોના સેવાસમાગમ દ્વારા બ્રાહ્મીસ્થિતિ પ્રાપ્ત કરી હતી. તેમની ખડી હિન્દી ભાષામાં રચાયેલ કાવ્યરચનાઓ સત્સંગ સાહિત્યમાં અનેરી છાપ ઉપસાવે છે. શ્રીહરિના સ્વધામગમન બાદ તેઓ વડતાલ મંદિરમાં રહી સત્સંગની સેવા કરતા હતા. કાવ્યકૃતિ: સબહી બરન મેં વોહી બડે જીન, સ્વામિનારાયણ રટા રટા રે. સ્વામિનારાયણ જેહી મન રાચે, સંસાર તિનકો ખટા ખટા રે. સહજાનંદ કો દર્શન જીન કીનો, ત્રિવિધતાપ સૌ કટા કટા રે. સ્વામિનારાયણ કો મુખ ગાવે, પંડિત જોગી ભટા ભટા રે. સહજાનંદ કો ધ્યાન ધરી મુનિ, શિર ધરી કે બડી જટા જટા રે. સ્વામિનારાયણ આશ્રય જીન કીનો, તિનકી ઔર હૈ છટા છટા રે. શ્વેતવૈકુંઠાનંદ શ્રીહરિકે, પડત ચરનમેં લટાલટા રે.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025