Logo image

મારી અવિચળ ચૂંકને રાખજો, મારી ચૂડીનો ભંગ ન થાય, માગું વર નાથજી

મારી અવિચળ ચૂંકને રાખજો, મારી ચૂડીનો ભંગ ન થાય,
					માગું વર નાથજી-ટેક.
રહે કેસર પીર લલાટમાં, રહે સેથો ચાંદલો સદાય-માગું૦ ૦૧
મારા ઘેર રહે સંત સામટા, નિત્ય ગુણ તમારા ગાય-માગું૦ ૦૨
સત્સંગી મળી દેશોદેશના, આવે ઉત્સવ કરવાને આંય-માગું૦ ૦૩
મારે ઘેર રહો ઘનશ્યામજી, મારી સંપત્તિ તમ અર્થે થાય-માગું૦ ૦૪
રાજપાટ ને ગામ ગરાસ છે, ભુવન સહિત તમારાં કહેવાય-માગું૦ ૦૫
જયા લલિતા રમા ને પંચાળી, તેને સમજુ છું મુક્ત સમાન-માગું૦ ૦૬
અમો સૌ મળી તમને સેવીએ, ધરીએ અખંડ તમારું ધ્યાન-માગું૦ ૦૭
કરો મંદિર મોટું મારે આંગણે, રહો પ્રેમથી પ્રાણઆધાર-માગું૦ ૦૮
તેમાં મૂર્તિ પધરાવો વાસુદેવની, તમો પડોશી થાઓ કરી પ્યાર-માગું૦ ૦૯
વળી આ લોકની સુખસંપત્તિ, શ્રીજી આપી પૂરા કરો કોડ-માગું૦ ૧૦
દુરિજનનું મેણું ઉતારવા, પ્રભુ આપજો પુત્રની જોડ-માગું૦ ૧૧
અભયસુતને સુખી રાખજો, રહે અખંડ અભય પરિવાર-માગું૦ ૧૨
અભય વંશ સદા તવ ઉપાસી, એ માગું છું હું ધર્મકુમાર-માગું૦ ૧૩
વળી અભયસુત પહેલા મુજને, શ્રીજી આપજો અક્ષરવાસ-માગું૦ ૧૪
એવી વાણી સુણી જસુબાઈની, વર આપો કહે યુગલદાસ-માગું૦ ૧૫
 

મારી અવિચળ ચૂંકને રાખજો, મારી ચૂડીનો ભંગ ન થાય,
					માગું વર નાથજી-ટેક.
રહે કેસર પીર લલાટમાં, રહે સેથો ચાંદલો સદાય-માગું૦ ૦૧
મારા ઘેર રહે સંત સામટા, નિત્ય ગુણ તમારા ગાય-માગું૦ ૦૨
સત્સંગી મળી દેશોદેશના, આવે ઉત્સવ કરવાને આંય-માગું૦ ૦૩
મારે ઘેર રહો ઘનશ્યામજી, મારી સંપત્તિ તમ અર્થે થાય-માગું૦ ૦૪
રાજપાટ ને ગામ ગરાસ છે, ભુવન સહિત તમારાં કહેવાય-માગું૦ ૦૫
જયા લલિતા રમા ને પંચાળી, તેને સમજુ છું મુક્ત સમાન-માગું૦ ૦૬
અમો સૌ મળી તમને સેવીએ, ધરીએ અખંડ તમારું ધ્યાન-માગું૦ ૦૭
કરો મંદિર મોટું મારે આંગણે, રહો પ્રેમથી પ્રાણઆધાર-માગું૦ ૦૮
તેમાં મૂર્તિ પધરાવો વાસુદેવની, તમો પડોશી થાઓ કરી પ્યાર-માગું૦ ૦૯
વળી આ લોકની સુખસંપત્તિ, શ્રીજી આપી પૂરા કરો કોડ-માગું૦ ૧૦
દુરિજનનું મેણું ઉતારવા, પ્રભુ આપજો પુત્રની જોડ-માગું૦ ૧૧
અભયસુતને સુખી રાખજો, રહે અખંડ અભય પરિવાર-માગું૦ ૧૨
અભય વંશ સદા તવ ઉપાસી, એ માગું છું હું ધર્મકુમાર-માગું૦ ૧૩
વળી અભયસુત પહેલા મુજને, શ્રીજી આપજો અક્ષરવાસ-માગું૦ ૧૪
એવી વાણી સુણી જસુબાઈની, વર આપો કહે યુગલદાસ-માગું૦ ૧૫
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

વિવેચન:
આસ્‍વાદઃ કવિ યુગલદાસે પ્રસ્‍તુત પદમાં જશુબાના હૈયાની અભિલાષાઓને સરળ શબ્‍દોમાં મુખરિત કરી છે. પદ અત્‍યંત સરળ હોવાથી, આસ્‍વાદમાં વિશેષ ટિપ્‍પણી કે વિવરણની આવશ્‍યકતા નથી. પરંતુ અહીં આ કાવ્‍યપ્રસંગ અને કીર્તનનું ચયન વિશેષ પ્રયોજનથી કરવામાં આવ્‍યું છે. આ કાવ્‍ય પ્રસંગ વાંચીને અનેક હરિભકતોના અંતરમાં એક ખાસ સવાલ ઉદ્‍ભવે એવી શકયતા છે. દાદાખાચરને બીજા લગ્ન કરવાની પ્રેરણા શ્રીજીમહારાજે સ્‍વયં આપી હતી. જશુબાએ મહારાજ પાસે મુખ્‍ય જે માંગણી મૂકી 'મારી અવિચળ ચુંકને રાખજો, મારી ચુડીનો ભંગ ન થાય...' એ માંગણી મહારાજે માન્‍ય કેમ ન રાખી? જશુબાના પ્રારબ્‍ધમાં વૈધવ્‍ય લખાયેલું હતું તો વીધિના લેખમાં મેખ મારવી એ તો શ્રીજીમહારાજ માટે કાંઈ મુશ્‍કેલ નહોતું! કાળ, કર્મ અને માયાનો હુકમ મહારાજ અને મુકતો ઉપર ચાલતો નથી. ભગવાન પોતાના આશ્રિત ભકતોના યોગ અને ક્ષેમનું વહન કરે છે. ભકતના જીવનમાં જે કાંઈ દુઃખ કે આપતિઓ આવે છે તે પ્રારબ્‍ધવશ નહી, પરંતુ ભગવાનની ઇચ્‍છાથી ભકતના કલ્‍યાણઅર્થે જ આવે છે. મહારાજે જશુબાના જીવનમાં વૈધવ્યના દુઃખ દ્વારા એમના અનંત જન્‍મોના કર્મો કાપી નાંખી તેમને પરમપદના અધિકારી બનાવી દીધાં હતાં.
ઉત્પત્તિ:
શ્રીજીમહારાજના અંતેવાસી દાસાનુદાસ ભકતવર્ય દાદાખાચરના પ્રથમ લગ્ન સંવત ૧૮૬૧ની સાલમાં કુમુદાબા સાથે થયાં હતા. કુમુદાબાને કોઈ સંતાન ન થતાં માનસિક રીતે તેઓ સહેજ વ્‍યગ્ર રહેતાં હતા. એમાં વળી તેમના નજીકના કોઈ સગાએ મ્‍હેણું માર્યું કે દાદાની વાંસે તેનું ધન કોણ ખાનાર છે? શ્રીજીમહારાજે જયારે આ વાત સાંભળી, ત્‍યારે કુમુદાબાને બોલાવીને કહ્યું‍: 'કુમુદા, શાસ્‍ત્રમાં કહ્યું છે કે કોઈ સ્‍ત્રીને આધેડવય સુધીમાં સંતાન ન થાય તો એ કુળવાન સ્‍ત્રીએ પોતાના પતિને રાજીખુશીથી બીજા લગ્ન કરવા માટેની સંમતિ આપી દેવી જોઇએ.' કુમુદાબાએ કહ્યું‍: 'મહારાજ, આ બાબતમાં મારી સંપૂર્ણ સંમતિ છે.' બીજે દિવસે દાદાખાચર જયારે અક્ષરઓરડીમાં આવીને શ્રીજીમહારાજ પાસે બેઠા, ત્‍યારે મહારાજે કહ્યું: 'દાદા, કુમુદાબાને હજીસુધી કોઈ સંતાન થયું નથી. વળી હવે તો તેમને દમનો અસાઘ્‍ય વ્‍યાધિ પણ લાગુ પડયો છે. કાલે તમારા સગા સંબંધીના મ્‍હેણાં ટોણાં સાંભળી અમને ખૂબ દુઃખ થયું છે. માટે અમારી એવી ઇચ્‍છા છે કે તમે બીજા લગ્ન માટે જરૂર વિચારો.' દાદાખાચરે આ સાંભળી અત્‍યંત ગમગીન ચહેરે મહારાજના પગ પકડીને યાચના કરતા કહ્યું: 'મહારાજ, મારા ઉપર મહેર કરો. મારે હવે ફરીથી આ વિષમ સંસારમાં નથી બૂડવું. દયાળુ, કૃપા કરીને મને ફરી લગ્ન માટે આગ્રહ ન કરો.' મહારાજે હસીને કહ્યું‍: 'દાદા, અમે તમને દુઃખી કરવા માટે ફરી નથી પરણાવતા. પરંતુ અમારી તો એવી ભાવના છે કે તમે જેમ સંતોની સેવા કરો છો, તેમ વંશપરંપરા સુધી તમારી પ્રજા પણ તમારી માફક સંતોની અને સત્‍સંગની સેવા રીતિ ચાલુ રાખે.' આ સાંભળી દાદાખચર કંઈક કુણાં પડયા. તેમણે મહારાજની ઇચ્‍છાને શિરોમાન્‍ય કરતા કહ્યું‍: 'મહારાજ, આપની આ ભાવના એ આપનો મારા પ્રત્‍યેનો નિર્વ્યાજ પ્રેમ છે. આપની ઇચ્‍છાને હું આપની આજ્ઞા માનીને શિરોમાન્‍ય રાખું છું. પરંતુ મારી એક અરજ છે પ્રભુ, આપ સ્‍વયં મને પરણાવવા જાન જોડીને સાથે પધારો તો મને લગ્ન કરવા કબુલ છે.' મહારાજે હસીને તરત જ પોતાની અનુમતિ આપતા કહ્યું, 'ભલે દાદા, અમે પણ જાનમાં તમારી સાથે આવી તમારા રથના સારથી બનીશું.' સં. ૧૮૮૧માં દાદાખાચરના લગ્ન ભટવદરના નાગપાલ વરુની દીકરી જશુબા સાથે થયાં. લગ્ન બાદ મીંઢળ છોડયા પછી જશુબા શ્રીજીમહારાજના દર્શને આવ્‍યાં. મહારાજને ચરણવંદના કરીને જશુબાએ પ્રાર્થનાપૂર્વક કહ્યું‍: 'મહારાજ, આપની અપરંપાર કૃપાથી જ મને આવો ઉત્તમ પરિવાર અને પ્રભુપરાયણ પતિ પ્રાપ્‍ત થયા છે. અમારા આ ગઢ દરબાર, ગામ ગરાસ, જમીન જાગીર, ખેતર ખળું સઘળું ય આપનું છે. પ્રભુ અમારા આ ઘર આંગણે જ આપ મોટું મંદિર કરો જેથી સાધુ સંતો અને આપનો સદાયનો સહવાસ અમને મળી રહે. દયાળુ! દુરિજનનું મ્‍હેણું ટાળવા મારે ખોળે બે દીકરા રમે એવા રૂડાં આશિષ મને આપો.' આ સાંભળી શ્રીજીમહારાજે રાજી થઈને તથાસ્‍તુ કહી પોતાનો વરદ હસ્‍ત જશુબાને મસ્‍તકે મૂકયો. ત્‍યાં તો વળી જશુબા આગળ બોલ્‍યાં: 'મહારાજ, પ્રત્‍યેક સ્‍ત્રી માટે એના જીવનનું સૌથી મહત્‍વનું સુખ એનું સૌભાગ્‍ય છે. દયાળું, કૃપા કરીને મને એવા આશીર્વાદ આપો કે મારી ચુડી ચાંદલો અખંડ રહે!' આ સાંભળીને મહારાજે જશુબાના માથેથી પોતાનો હાથ પાછો ખેંચી લીધો. મહારાજે મૌન રહીને માત્ર સહજ સ્‍મિત કરીને જશુબાને વિદાય કર્યા‍. શ્રી સ્‍વામિનારાયણ સંપ્રદાયની તવારીખ કહે છે કે દાદાખાચર સંવત ૧૯૦૯માં ધામમાં પધાર્યા હતા‍. જયારે જશુબા સંવત ૧૯રરની સાલમાં અક્ષરવાસી થયાં હતાં. જશુબાએ મહારાજ પાસે જે જે માગ્‍યું હતું તે એક પતિવ્રતા ભારતીય નારીના સાચા હદયની યાચના હતી. સત્‍સંગમાં બહેનોને એમાંથી પ્રેરણા મળે માટે સદ્‍ગુરુ યુગલદાસજીએ એ યાચનાને કીર્તનના સ્‍વરૂપમાં ઉતારી છે 'મારી અવિચળ ચુંકને રાખજો, મારી ચુડીનો ભંગ ન થાય, માગું વર નાથજી.' સંપ્રદાયના સાહિત્‍યમાં યુગલદાસના નામે ફકત આ એક જ કીર્તન ઉપલબ્‍ધ છે. એમના જીવન અને કવન વિષે વિશેષ માહિતી પ્રાપ્‍ત નથી.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025