Logo image

એક સમે શ્રી હરિ સ્વામી, તેડાવિયા નિજ જન,

 

કુંદનપુર વિવા રચ્યો એ ઢાળ.
એક સમે શ્રી હરિ સ્વામી, તેડાવિયા નિજ જન,
વચનામૃત વરસાદ કરવા, પોતે થયા પરસન.
શ્રી હરિ કે સૌ સાંભળો, નરનારી સંત સમેત,
સર્વ સિદ્ધાંતનું સારછે, હૈયે ધરજો કરી હેત.               ર 
તને કરી મેં તપાસીયું, જો હોયે ઉપાધિ અનેક,
શ્રી બદ્રીપતિનાં બળ થકી, મારા અંતરમાં નહિ એક.  ૩
અન્ય અંતર અવિલોકિયાં, મન બુદ્ધી ચિત અહંકાર,
પકડી જુજવું પુછતાં, એ ચોખાં દીઠાં ચાર.               ૪
ગુનો ઘણો ગાફલાઇનો, અતિ જોયો અમે આજ,
તેનું કારણ હું આત્મા, કાંતો મને મળ્યા મહારાજ.      પ
બળ લઇને એ બેઉનું, પોખે પાંચે ઇંદ્રિયે પંડ,
મુક્ત મટીને બધ બને, પછે ન રહે જ્ઞાન અખંડ.        ૬
પાંચે ઇંદ્રિના, પ્રિછવિ, ભિન્ન ભિન્ન ભાંખું ભોગ,
જેણે કરી આ જીવને, થાયે જનમ મરણ રોગ.           ૭
મારા જાણીને મુજને, હૈયે આવ્યું હેત અત્યંત,
નિષ્કુળાનંદ એમ હરિ કહે, સહુ સાંભળજો તમે સંત.   ૮   
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
વિવેચન:
આસ્વાદ: શ્રીજીમહારાજના વચનામૃતો અસંખ્ય છે, તેમાંથી સર્વજીવહિતાવહ સર્વગ્રાહ્ય વચનામૃતોનું સંકલન પ્રમુખ પાંચ નંદ સંતવર્યોએ કરી વચનામૃત ગ્રંથ તૈયાર કર્યો છે. એમાં સંકલિત ન થઇ શક્યા હોય એવા પણ ઘણાં વચનામૃતો નંદ સંત કવિઓના કીર્તનરૂપે આજે પણ પ્રાપ્ય છે. સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામીનું પ્રસ્તુત પદ શ્રીજીમહારાજના એક મહત્વપૂર્ણ વચનામૃતનું પદ્યસ્વરૂપ છે. એકવાર શ્રીજીમહારાજ સભામાં સર્વે સંતો અને સત્સંગી નરનારીઓને સંબોધીને કહે છે: 'આજે સર્વે સિધ્ધાંતના સારરૂપ વાત અમે કરીએ છીએ તેને હેત કરીને હૈયામાં ધારજો. ભગવાન શ્રી નરનારાયણના પ્રતાપે ગમે તેટલી ઉપાધી આવવા છતાં અમારા અંતરમાં એનો લેશમાત્ર પણ અંતરાય થતો નથી. અમે અન્ય લોકોના પણ અંતર તપસ્યા ત્યારે અમે દીઠું કે એ સર્વેને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ચારેયના ગુણધર્મો સ્પષ્ટપણે વર્તે છે. ભગવાનના ભક્તને જો પંચ વિષય અંતરાય કરતા હોય તો તે બાબતમાં અમે આજે જોયું કે એમાં સૌથી મોટો ગુનો તો એ હરિભક્તની ગાફલાઈનો છે. જે ગાફલાઈ રાખશે તેને પ્રમાદ અને મોહ એ બંને નડ્યા વિના નહી રહે. હું આત્મા છું અને મને મહારાજ જેવા પરાત્પર પરબ્રહ્મ ઇષ્ટદેવરૂપે મળ્યા છે. એ બંને સત્યનું બળ રાખીને જો પંચ જ્ઞાનેન્દ્રિય સહિત આ પિંડને ભોગવે તો એ મોટો મુક્ત હોય તો પણ એનું જ્ઞાન અખંડ રહેતું નથી. માટે પાંચે ઇન્દ્રિયો અને એના ભોગને જ્ઞાને કરીને ઓળખી એ પંચ વિષયો માત્ર ભગવાન સંબંધી જ ભોગવવા, જે જીવો એ પંચ વિષયો જગત સંબંધી જ ભોગવ્યા કરે છે તેમનો જન્મમરણરૂપી રોગ ક્યારેય મટતો નથી. તમને સર્વેને અમારા ગણીને તથા મારા હૈયામાં તમારા પ્રતિ હેત હોવાથી તમારા હિતની આ વાત આજે કરી છે તેને સદાય જીવંત રાખજો.' આ પછીના પળોમાં સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામીને રસ, શબ્દ, સ્પર્શ, રૂપ તથા ગંધ ઈત્યાદિ પંચ વિષય દ્વારા થતું જીવનું પતન તથા તેને જીતવાનો ઉપાય બતાવ્યો છે. જ્ઞાનોપદેશનું આ પદ મુમુક્ષુને માટે દીવાદાંડીરૂપ છે.
ઉત્પત્તિ:
સદ્‍ગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો'માં એક રમૂજી પ્રસંગ આવે છે. એકવાર ગઢપુરમાં શ્રીજીમહારાજે મૂળજી બ્રહ્મચારીને આજ્ઞા કરી કે તમે બાઈઓની સભામાં જઈને કહી આવો કે કોઈએ સભાપ્રસંગમાં અંદર અંદર ગ્રામ્યકથા કરવી નહી. મૂળજી બ્રહ્મચારી તો સમજ્યા ન સમજ્યા ને દોડ્યા, બાઈઓની સભામાં જઈને કીધું: 'મહારાજે રામકથા ન કરવાની આજ્ઞા કરી છે, માટે હવે પછી સભામાં રામકથા ન કરવી.' મહારાજ જયારે જમવા પધાર્યા ત્યારે લાડુબાએ પૂછ્યું: મહારાજ, તમે રામકથા ન કરવાની આજ્ઞા કેમ કરી?' મહારાજ કહે, 'આ મૂળજી બ્રહ્મચારીએ અર્થનો અનર્થ કરી નાખ્યો. અમે એમ કહ્યું હતું કે સભા ચાલતી હોય ત્યારે અંદર અંદર ગ્રામ્યવાર્તા ન કરવી એટલે કે ગામ ગપાટા ન મારવા, અને એમણે કહી દીધું કે રામકથા ન કરવી.' આમ કહીને મહારાજ હસ્યા. સામાન્યત: જે માણસોને વધારે પડતું બોલવાની આદત હોય છે તેનાથી જરૂરી સાથે બિનજરૂરી વાતો પણ અનાયાસે થઈ જતી હોય છે. વધારે પડતી નિખાલસતા જેમ વ્યવહારમાં અડચણો ઊભી કરે છે, તેમ વધારે પડતો વાતોડિયો સ્વભાવ ભક્તિસાધનામાં બાધક છે. ગ્રામ્યવાર્તા કરવાથી મન ચંચળ બનીને પંચ વિષયોમાં એવું ગુંચવાય છે કે ધ્યાનભજનમાં પછી કેમે કરીને ચોટતું જ નથી. શ્રીજીમહારાજના સમયમાં જે માણસોને ગ્રામ્યવાર્તાનું વ્યસન રહેતું તેમની ઉપર મહારાજની પ્રસન્નતા નહિવત્‍ થતી. એવા તુચ્છ બુધ્ધિના લોકોને શ્રીહરિ ક્યારેય પોતાની પાસે આવવા દેતા નહી. દાદાખાચરના એક કારભારીને ગ્રામ્યવાર્તા કરવાની અતિ આદત હોવાથી મહારાજ તેને પોતાની પાસે વધુ સમય બેસવા દેતા નહી. એકવાર શ્રીજીમહારાજ સાળંગપુર પધાર્યા હતા. એ વખતે શ્રીહરિ સાથે આવેલા પાર્ષદો સાવ નવા હતા. તે પાર્ષદોને ગ્રામ્યવાર્તા કરવા સાંભળવાનો ભારે ચસ્કો હોવાથી મહારાજે તેમને તત્કાળ રજા આપી દીધી. ત્યારબાદ શ્રીજીમહારાજે સંત હરિભક્તોની સભામાં વાત કરી: 'જે મનુષ્યને આંખ અને કાન એ બે ઇન્દ્રિયો વશ નથી વર્તતી તેમનું અંતર હંમેશાં ડહોળાયેલું જ રહે છે. પરિણામે તેઓ પંચ વર્તમાન સંબંધી કોઈ નિયમો પાળી શકતા નથી. જ્યાં ગ્રામ્યવાર્તા (Gossip) થતી હોય ત્યાં જેના કાનની વૃત્તિ ખેચાતી હોય તે જયારે ધ્યાન - ભજન કરવા બેસે ત્યારે એ શબ્દો સાંભરી આવે અને પરિણામે મન ક્યારેય ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહી. માટે જેણે પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવી હોય તેને હંમેશાં સાવધાન રહેવું. મન અને ઇન્દ્રિયોની વૃત્તિઓને અહોનિશ પરમાત્માના સ્વરૂપમાં જ રાખવી, મુમુક્ષુને અંત:કરણમાં જે ગાફેલતા રહે છે, પ્રમાદ રહે છે તેને લીધે તેની પંચ જ્ઞાનેન્દ્રિયો વધુને વધુ પંચ વિષયો ભોગવે છે. પરિણામે આવા બદ્ધજીવોને જન્મમરણરૂપી સંસૃતી ક્યારેય ટળતી નથી.’ સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી ત્યારે તે સભામાં હાજર હોવાથી તેમણે શ્રીજીમહારાજની આ મહત્વપૂર્ણ જ્ઞાનવાર્તાને કીર્તનનાં સ્વરૂપમાં વણી લીધી. 'એક સમે શ્રીહરિ સ્વામી, તેડાવિયા નિજ જન, વચનામૃત વરસાદ કરવા, પોતે થયા પ્રસન્ન.' નિષ્કુળાનંદ સ્વામીને શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ, ઈત્યાદિ પંચ વિષય સંબંધી શ્રીહરિના જ્ઞાનોપદેશને આવરી લેતા આઠ પદો રચ્યા છે. એમાનું પ્રથમ પદ અત્રે આસ્વાદ અર્થે પ્રસ્તુત છે.
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025