Logo image

ભજો ભાવશું અખંડ જપમાળા રે, માળા ટાળે છે મન કેરા ચાળા રે

ભજો ભાવશું અખંડ જપમાળા રે,
		માળા ટાળે છે મન કેરા ચાળા રે		...ભજો૦ ૧
હરિનું એક એક અંગ ઉર ધારો રે, સ્વામિનારાયણ નામ ઉચ્ચારો રે	-૨
જપો જુગલ ચરણ સુખકારી રે, ઊર્ધ્વરેખાદિક ચિહ્ન સંભારી રે		-૩
દશ આંગળીની માળા દશ જાણો રે, ફણા જુગલની જુગલ પ્રમાણો રે	-૪
પાની જુગલ ગુલફ જુગ શોભે રે, માળા ચાર ફેરી જન મન લોભે રે	-૫
જંઘા જુગલ જાનુ જુગ વંદે રે, માળા ચાર ફેરી સંત આનંદે રે		-૬
ઉરુ જુગલની માળા જુગ ફેરે રે, નાભિ વર્તુલ સમાન પ્રીતે હેરે રે	-૭
નાભિ ઉદર જુગલ સ્તન જોઈ રે, માળા ચાર ફેરી રહે જન મોહી રે	-૮
ભુજ જુગલ હરિના સુખકારી રે, માળા ફેરી જાય દાસ બલિહારી રે	-૯
કર આંગળીની માળા દસ કા’વે રે, જોતાં ભક્તને આનંદ ઊપજાવે રે	-૧૦
કંઠ ચિબુકની માળા જુગ ફેરી રે, મુખ પંકજ ઉમંગે રહે હેરી રે		-૧૧
મુખ નાસિકા જુગલ દૃગ હેરે રે, માળા ચાર ચારે અંગ જોઈ ફેરે રે	-૧૨
કાને કુંડળ વહાલાને જુગ કા’વે રે, ફેરી માળા ઉભય દાસ મન ભાવે રે	-૧૩
જોતાં જુગલ ભ્રકુટિ ડરે કાળ રે, પ્રેમે જોઈ દાસ જપે જુગ માળ રે	-૧૪
ભાલ તિલક સહિત વહાલું લાગે રે, જપે માળા એક દાસ અનુરાગે રે	-૧૫
માથે પાઘ તોરા સહિત રૂપાળી રે, ફેરે માળા જન જુએ વનમાળી રે	-૧૬
એવી રીતે થઈ માલિકા પચાસ રે, જપે જન્મમરણ કરે નાશ રે		-૧૭
સ્વામિનારાયણ દેવે માળા દીધી રે, પ્રેમે મુક્તાનંદે ઉર ધારી લીધી રે	-૧૮
 

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
મુક્તાનંદ સ્વામી
વિવેચન:
આસ્વાદ : ગુજરાતી ભાષાના સાક્ષર કવિ દલપતરામે જેની વાણીને ‘ગંગાના પ્રવાહ’ તરીકે બિરદાવી છે એ સંતકવિ સ.ગુ. મુક્તાનંદ સ્વામીના વ્યક્તિત્વમાં રૂપ અને ગુણનો અદ્‌ભુત સમન્વય થયો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એમનું સ્થાન સંપ્રદાયના માળખામાં મોભ સમું વિશિષ્ટ અને ગુણમૂલક હતું. મહારાજ એમને હંમેશા ગુરુ સમાન આદર ને પ્રેમ આપતા. શ્રીજીમહારાજની સીધી પ્રેરણા ને સૂચનથી રચાયેલા આ પદમાં મુક્તાનંદ સ્વામીની ભાવસભર રજૂઆત અને ધર્મપ્રેરક વાણીનો પરિચય થાય છે. ધર્મમાર્ગમાં પ્રભુની પ્રસન્નતાનાં જે સાધન ગણવામાં આવ્યા છે એમાં જપનું મહત્વ ધ્યાન જેટલું જ ઊંચું આંકવામાં આવે છે. જપમાળાનું મહત્વ બતાવતાં મુક્તમુનિ પ્રથમ પંક્તિમાં જ કહે છે: ‘માળા ટાળે છે મન કેરા ચાળા રે’ માળાનો ઉલેખ અહીં નામસ્મરણ યા જપના સંદર્ભમાં થયેલો છે.પ્રભુના નામનું સ્મરણ કે જપ યાને રટણ કરવાથી મન શાંત થાય છે. મનને વસવા એક હરીનામરૂપ માળો મળી જાય છે ! મનનો મુળગત સ્વભાવ બહુ ચંચળ છે. નવરું મન ગમે ત્યાં ચાળા ચુંથતું ફરે છે. પાંચવિષયમાં આડે અવળે ગમે ત્યાં ચાળા ચુથતા મનને શાંત કરવાનો સીધો ઉપાય છે જપમાળા! હવે આ માળા કેવી રીતે કરાવી એનું નિરૂપણ કરતાં કવિ કહે છે : ‘ હરિનું એક એક અંગ ઉર ધારો રે. સ્વામિનારાયણ નામ ઉચ્ચારો રે.’ નામસ્મરણમાં પણ શ્રીજીના અનેક નામ પૈકી “સ્વામિનારાયણ “ નામ બહુ પ્રભાવશાળી છે. જન્મ-મરણના ફેર ટાળી નાખે એવું પ્રતાપી એ નામ છે. નામસ્મરણની જપમાળાનું મંગલાચરણ પ્રભુના ચરણારવિંદના ધ્યાનથી કરતાં કવિ કહે છે: જાપો જુગલ ચરણ સુખકારી રે , ઊર્ધ્વરેખાદિ ચિહ્‌ન સંભારી રે.’ પ્રભુના જુગલ ચરણના સર્વે ચિહ્‌ન સંભારી એ અક્ષરાતીત ચરણની શોભાને ધ્યાનના મંગલ પ્રારંભે આત્મામાં ધારીને ‘સ્વામિનારાયણ’ મહામંત્રનો ઉચ્ચાર કરવાની વિકતિ કવિએ બહુ સુંદર રીતે સમજાવી છે. હવે પ્રભુના ચરણારવિંદનિ એક એક આંગળીનું નોખું ધ્યાન કરી દશ આંગળીની નોખા ધ્યાન સાથે દશ માળા ફેરવવાની છે. શ્રીજીની ફણા અને જંઘાનું ધ્યાન કરી એક એક માળા, એમ જુગલ ફણા અને જંઘાના ધ્યાન સાથે ચાર માળા કરવાની સૂચના કવિએ આપી છે. શ્રીહરિના ઉદરની શોભા વર્ણવતા સ્વામી નાભિને વર્તુળ સમાન વર્ણવી ઉદરના ધ્યાન સાથે બે માળા કરવાનું કહે ફેરવવાનું કહી આગળ ગાય છે; ‘ભુજ જુગલ હરિના સુખકારી રે, માળા ફેરી જાય દાસ બલિહારી રે.’ શ્રીહરિના ઉભય હસ્ત સુખકારી છે, પ્રભુ હંમેશા એના ભક્તોને આનંદ જ આપે છે. હવે પ્રભુના એ વરદ હસ્તની નાજુક આંગળીઓનું ધ્યાન કરતા એક આંગળીની એક એમ દશ આંગળીના નોખા ધ્યાન સાથે દશ માળા કરવાની છે. શ્રીજીના કંથ અને ચીબુકના ધ્યાન સાથે બે માળા તથા મુખ નાસિકા સહિત મુખારવિંદની શોભાના મધુર ધ્યાન-સ્મરણ સાથે દશ માળા કરવાનો કવિએ બહુ ઋજુતાથી –કોમળતાથી બોધ કર્યો છે. ‘કાને કુંડલ વહાલાને જુગલ કા’વે રે, ફરી માળા ઉભય દાસ મન ભાવે રે,’ કુંડળ સહિત કાનના ધ્યાન સાથે બે માળા તથા પ્રભુની બે ભૃ‌કુટિનાં ધ્યાન સાથે બે માળા કરવાની છે. પ્રભુની ‌ભૃ‌કુટિથી કાળ ડરે છે. પણ ભક્તો ભગવાનની એ ભૃ‌કુટિનાં દર્શન કરી પરમ શાંતિ પામે છે. શ્રીજીનું તિલક સહિતનું ભાલ કવિને બહુ ગમે છે, તેના ધ્યાન સાથે એક માળા કરી પ્રભુના મસ્તકની તોરા સહિતની રૂડી પાઘના ધ્યાન સાથે વળી એક માળા કરવાથી પચાસ માળાની જપમાળા પૂર્ણ થાય છે. અંતે આ જપમાળાનો મહિમા કવિ કહે છે: ‘જપે જન્મમરણ કરે નાશ રે’ આ રીતે જે શ્રી સ્વામિનારાયણ ભગવાનની પચાસ માળા જપે છે તેના જન્મમરણ ટળી જાય છે. આ કીર્તનની રચનાથી પ્રસન્ન થઇ ભગવાન શ્રી સ્વામીનારાયણે‌ મુક્ત મુનિને સ્વહસ્તે માળા દીધેલી જે ખૂબ ખૂબ મહિમા સાથે સ્વામીએ લઈને હૈયે ચાંપી. આ પદનો ઢાળ ગેયતાની દ્રષ્ટિએ આકર્ષક છે. સ્વામીએ સીધો બોધ એટલી પ્રાસાદિક શૈલીમાં આપ્યો છે કે સાંભળવો ખૂબ ગમે એવો છે. મુક્તાનંદ સ્વામીનો ભક્તિભાવ સમગ્ર કાવ્યમાં પ્રગલ્ભપણે પ્રગટ થાય છે.
ઉત્પત્તિ:
એકવાર શ્રીજીમહારાજ ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં લીંબતરુ નીચે સભા કરીને બિરાજમાન હતા ને સભામાં મોટા મોટા સંતો તથા દેશદેશના હરિભક્તો બેઠા હતા. મહારાજે સભામાં વાત કરતાં કહ્યું : “ આજે શયની એકાદશી છે.*( એ દિવસ અષાઢ સુદ એકાદશી – દેવપોઢી એકાદશીનો હતો.) માટે સભામાં બેઠેલા સર્વેએ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે એક એક અધિક નિયમ અમારી પાસે આવી ગ્રહણ કરી જાવો અને એ નિયમ આજથી માંડીને કાર્તિક સુદ પ્રબોધિની એકાદશી સુધી પાળવો.” શ્રીજીમાંહારાજનો આદેશ મળતાં સભામાં બેઠેલા સંત હરિભક્તો એક પછી એક ઊઠીને મહારાજ પાસે જઈ નિયમ લઈ પાછા પોતાની જગ્યાએ બેસી જતા. કોઈકે સો‌ પ્રદક્ષિણા કરવાનો નિયમ લીધો, તો કેટલાકે સો દંડવત્‍ કરવાનો ને કેટલાકે સો – બસો માળા ફેરવવાના નિયમ રાખ્યા. સભામાં બેઠેલા સર્વેએ નિયમ લીધો, પણ સ. ગુ. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું: ‘સ્વામી! તમે કેમ નિયમ લેવા ઊઠતા નથી?” મુક્તમુનિએ ઊભા થઈ હાથ જોડીને મહારાજને કહ્યું: “મહારાજ! હું તો દરરોજ પચાસ માળા ફેરવું છું, એથી અધિક માળા મારાથી નથી થઇ શકતી. એટલે હું નિયમ લેવા ઊઠયો નથી.” મહારાજ કહે “ આખા દિવસમાં ફક્ત પચાસ જ માળા? પણ સ્વામી ! તમે એ તો કહો તમે માળા ફેરવો છો કેવી રીતે?” મુક્તમુનિ મહારાજનો પ્રશ્ન સાંભળી નેત્ર મીંચી ગયા. મહારાજ તો અંતર્યામી છે, બધું જાણે છે છતાં આજે મનુષ્યભાવ બતાવી અજાણ્યા થઇ પૂછે છે.સ્વામીએ કહ્યું: “મહારાજ! હું તો શાંતિથી એકાગ્ર ચિત્તે આપની નખશિખ મૂર્તિ પ્રથમ અંત:કરણમાં ધારીને પછી ચરણારવિંદથી આરંભીને પ્રત્યેક અંગ ધારતાં પચાસ માળા ફેરવું છું.એમ કરતાં વચ્ચે જો કોઈ સંકલ્પ થાય તો માળા ગણવાની નહિ.” આ સંભાળીને મહારાજ અત્યંત પ્રસન્ન થઇ બોલ્યા: “ સંતો! સાંભળો ...... મુક્તાનંદ સ્વામીની આ પચાસ માળા પાસે તમારી પાંચસો માળાઓ કાંઈ નહિ ને હજાર માળા એ કાંઈ નહિ! બેરખા ફેરવવાથી કાંઈ માળા નથી થતી; અમારી મૂર્તિનું અખંડ અનુસંધાન ન રહે એવી માળાનું શું પ્રયોજન? સાધન પણ સમજીને કરવાં જોઈએ. માળા કરતી વખતે તમે જેના નામનું રટણ કરો છો, જેના નામની માળા જાપો છો, એના સ્વરૂપના સ્મરણ વિના અન્ય માયિક સંકલ્પો થયા કરે તો એ જપયોગ ફળે શે રીતે?” સંતો સમજી ગયા કે પ્રભુની મૂર્તિના સંબંધ વગરની સર્વ ભક્તિ વૃથા છે. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું: ‘સ્વામી! અમે જે રીતે પચાસ માળા ફેરવો છો એનું વિશદ વિવરણ કરતુ એક કીર્તન રચો, જેથી સંપ્રદાયના સત્સંગીઓની ભાવી પેઢીને પણ એમાંથી પ્રેરણા મળે.” મુક્તાનંદ સ્વામી કહે: “ભલે મહારાજ! જેવી આપની આજ્ઞા” અને શ્રીજીના સૂચન પ્રમાણે મુક્તમુનિએ ‘ ભજો ભાવ શું અખંડ જપમાળા રે’ એ પદાવલિની રચના કરી સત્સંગને ભેટ ધરી. આ ગરબી પદાવલિમાં મુક્તાનંદ સ્વામીએ જપમાળા કરતી વખતે શ્રીહરિના એક એક અંગ કેવી રીતે ધારવા તેની સુંદર વિકતિ બતાવી છે. *( શ્રી સહજંદ સ્વામી ચરિત્ર- વાત ૫૮ (પૃ . ૧૦૯))
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025