Logo image

નયન ભરી કબ દેખું કિરતાર, શામરી સુરત માધુરી મૂરત

નયન ભરી કબ દેખું કિરતાર...ટેક.
શામરી સુરત માધુરી મૂરત, અધમ જનન કે ઉદ્ધાર...નયન૦ ૧
દર્શ વિના અતિ દુ:સહ વિરહ તન, દુ:ખ કો વાર ન પાર...નયન૦ ૨
સહજાનંદ ચરન બિન મોકું, જગ સબ જરત અંગાર...નયન૦ ૩
મન કર્મ વચને મુકુંદ ચરન પર, વાર્યો મેં વારંવાર...નયન૦ ૪
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
મુક્તાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
વિરહ, હિન્દી
વિવેચન:
આસ્‍વાદઃ સદ્‍ગુરુ મુકતાનંદ સ્‍વામી જ્ઞાની કવિ છે. એમની વાણીને કવિશ્વર દલપતરામે 'ગંગાના પ્રવાહ' સાથે સરખાવી છે. પરંતુ પ્રસ્‍તુત પદ મુકતમુનિને નરસિંહ અને મીરાની કક્ષાથી પણ મુઠી ઉંચેરા પ્રેમીભકત તરીકે પ્રસ્‍થાપિત કરે છે. અહીં પ્રેમમગ્ન ભકતહ્યદય મીઠી વિરહવેદનાને કવિએ કમનીય શબ્‍દોમાં કંડારી છે. કાવ્‍યમાં લય તો સ્‍વાભાવિકપણે હોય છે, પરંતુ લય સ્‍વર સાથે ભળીને વિયોગ વ્‍યંજનામાંથી વ્‍યકત થાય ત્‍યારે એમાંથી નીપજતું સંગીત અત્‍યંત મર્મસ્પર્શી અને કયારેક તો હદયવિદારક નીવડે છે. એક સનાતન આઘ્‍યાત્‍મિક રહસ્‍ય છે કે જયાં સુધી પરમાત્‍માના પ્રેમમાં પાગલ પ્રેમીભકતના અંતરમાં પરમાત્‍માના દિવ્‍ય સ્‍વરૂપનો સાક્ષાત્‍કાર થતો નથી, ત્‍યાં સુધી એનું અંતર સતત વિરહની આગમાં સળગતું જ રહે છે. પછી ભલેને એ ભકત અહોનિશ ભગવાનની સમિપે જ રહેતો હોય. સ્‍થૂળ જુદાઈ એ વિરહવ્‍યથાનું કોઈ કારણ નથી અને સ્‍થૂળ ભૂમિકા પર થતું મિલન એ વિરહવેદનાનું શમન નથી. પરંતુ સાધનદશાનું એક સત્‍ય એ પણ છે કે પ્રિયતમના સંયોગે પાંગરતો પ્રેમ એના વિયોગે વૃદ્ધિ પામે છે. વિરહમાં મનની એક ભાવનાત્‍મક સ્‍થિતિ બને છે. એ સ્‍થિતિમાં મન પ્રિયતમ પ્રભુના અંતરસ્‍થ સ્‍વરૂપમાં વધુ ને વધુ રસલીન બને છે. પરિણામે વિરહના વિષાદને સ્‍થાને અંતરમાં પરમાત્‍મા પ્રત્યેના પ્રગાઢ પ્રેમનો આનંદાત્‍મક અનુભવ થાય છે. આ આનંદની તન્‍મય અવસ્‍થામાં ભકત અને ભગવાન વચ્‍ચે અદમ્‍ય અનુસંધાન થાય છે. કવિનો આર્તનાદ છે- 'નયનભર કબ દેખું કિરતાર....' નજરો ભરી ભરીને નિરખ્‍યા પછી પણ એમની આંખો સાંવરિયાની શામરી સુરત અને માધુરી મૂરતને જોવા માટે સતત તડપયા કરે છે. પ્રિયતમ પતિતપાવન છે, અધમ ઉઘ્‍ધારક છે, એવી કવિને પ્રતીતિ છે. પ્રેમ અને વિરહ એ એક જ સિક્કાની બે બાજુ જેવા છે. પ્રેમ કરવો એ તો પોતાના પેટમાં જ કટારી મારવા બરાબર છે. વિયોગની વ્‍યથા અસહ્ય છે. એમાં માત્ર મન જ નહીં, તન પણ તપ્‍યા કરે છે. અંતે કવિ કબૂલ કરે છે કે સહજાનંદ પિયુ વિના આ સમગ્ર સંસાર મને હોળીના હુતાશન જેવો ભાસે છે, કારણ કે મન, કર્મ અને વચનથી કવિ એ કામણગારા કિરતાર પર કુરબાન છે! મુકતાનંદ સ્‍વામીએ રાગ યમન કલ્‍યાણની બંદિશમાં ગાયેલી આ વિરહવિભાવનામાં વિપ્રલંભ વિયોગશૃંગાર‍ની વ્‍યાપકતા અનુભવાય છે. મુકતાનંદ સ્‍વામી શ્રી સ્‍વામિનારાયણ સંપ્રદાયના આદિ કવિ છે. તેમનું પૂર્વા‍શ્રમનું નામ મુકુંદદાસ હતું તેથી તેમણે ઘણી રચનાઓ દાસ મુકુંદના નામે કરેલી જોવા મળે છે. .................................................................. *પ્રસંગ સંદર્ભ : શ્રી હરિચરિત્રામૃતસાગર (પૂર ત્રીજું, તરંગ-૪૬, ૪૭) a
ઉત્પત્તિ:
સંવત ૧૮૬૦ની સાલમાં શ્રીજીમહારાજ પોતાના સમસ્‍ત સંતમંડળ સાથે સૌરાષ્‍ટ્રની ધીંગી ધરા ઉપર રમણ કરી રહ્યા હતાં તે દરમયાન રાજા હઠીસિંહ જાડેજાના ઉષ્‍માભર્યા આમંત્રણને માન આપીને ગોંડલ પધાર્યા હતા. રાજાએ શ્રીહરિનું ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગત કર્યું. ગોંડળી નદીના તીરે આવેલા ઉપવનમાં બાંધેલા બેનમૂન બંગલામાં સ્‍વામીશ્રી સહજાનંદજીમહારાજને ઉતારો આપવામાં આવ્‍યો. રાજાએ શ્રીજીમહારાજને સોનેમઢી અંબાડી હાથી ઉપર બેસાડી ગોંડલ ગામમાં ભવ્‍ય શોભાયાત્રા કાઢી. આ ચિરસ્‍મરણિય શોભાયાત્રામાં ક્ષત્રિય ડોસાભાઈ, વિપ્ર જેઠાભાઈ, મીઠાભાઈ, શેઠ રૂડો અને રાધવજી‍, સુથાર જીવરામ અને પ્રાગજી, મુસ્‍લિમ ભકત શેખજી અને જીવન ઇત્‍યાદિ ગોંડલના અગ્રગણ્‍ય હરિભકતોએ અતિ ઉત્‍સાહભેર ભાગ લીધો. મહારાજની સવારી રંગેચંગે રાજમહેલ પહોંચી. રાજદરબારમાં રાજાએ પ્રભુને પ્રેમપૂર્વક સુવર્ણના સિંહાસન પર બેસાડી તેમની ષોડશોપચારે ભાવપૂર્વક પૂજા કરી. મઘ્‍યાહ્ન થયો હોવાથી મહારાજ મૂળજી અને જેરામ બ્રહ્મચારીએ તૈયાર કરેલ દૂધપાક-પૂરીનો સ્‍વાદુ થાળ જમ્‍યા, પછી સંતોને જમાડી રાજપરિવારને પોતાની પ્રસાદીનો થાળ મોકલવ્‍યો. વામકુક્ષિ બાદ મહારાજ ફરી સિંહાસન પર આરૂઢ થયા. રાજા હઠીસિંહ પોતાના સમસ્‍ત પરિવાર સાથે શ્રીહરિની સમીપે બેઠા. શ્રીજીમહારાજે રાજાને પૂછયું: 'રાજન, બોલો આપની શી ઇચ્છા છે ? સંતો કીર્તન-ભકિત આદરે કે જ્ઞાનવાર્તા કરે?' રાજાએ કાંઈ જવાબ ન આપ્‍યો. હઠીસિંહ બાપુ હજી અસમંજસમાં હતા. પ્રભુજી પ્રત્‍યે પારાવાર પ્રેમ હોવા છતાં એમના અંતરમાં સંશયનો કીડો સતત સળવળ્‍યા કરતો કે આ કળિકાળમાં પ્રગટ પરમાત્‍માનું પ્રાગટય હોય ખરું? ખરેખર આ સહજાનંદ સ્‍વામી ભગવાન હશે ખરા? હૈયે જે વાત હતી તે હોઠે આવતી નહોતી. મહારાજ એમની મનોવ્‍યથા પામી ગયા. તેમણે તરત જ સંતોને કીર્તન આરાધના આરંભવાની આજ્ઞા આપી. દુકડ, સરોદ અને સિતાર જેવા અનેકવિધ વાદ્યો લાવીને સંતોએ સંગીતની સૂરાવલિ છેડી. મુકાતાનંદ અને મોટા દેવાનંદ સ્‍વામીએ સરોદના તાર ખેંચ્‍યા. પ્રેમસખી પ્રેમાનંદ સ્‍વામીએ દુકડને ટકોરી તૈયાર કર્યા. જ્ઞાનાનંદ સ્‍વામીએ સિતારના તાર ઝણઝણાવ્‍યા. સુખાનંદ સ્‍વામીએ ફૂંક મારી બંસરીમાં પ્રાણ પૂર્યા. વાજિંત્રોના વાદ્ય સંગીતથી વાતાવરણ જામતાં જ મુકતાનંદ સ્‍વામી રાગ યમન કલ્‍યાણનો આલાપ લઈ પોતાનું સ્‍વરચિત પદ ' નયનભર કબ દેખું કિરતાર ' નું મુખડું ગાવા લાગ્‍યા. કીર્તનના શબ્‍દે શબ્‍દે સાંભળનારના અંતરમાં ભકિતભાવમાંથી નૈસર્ગિક રીતે નિષ્‍પન્ન થતો પ્રભુપ્રેમ પ્રગટવા લાગ્‍યો. સ્‍વામીની આંખોમાંથી એમનો શ્રીહરિ પ્રત્‍યેનો અદમ્‍ય અનુરાગ અનરાધાર આંસુરૂપે વહી રહ્યો હતો. અંતરાની કડી - 'સહજાનંદ ચરણ બિન મોકું, જગ સબ જરત અંગાર' ગાતા સ્‍વામીની વિરહવ્‍યથાએ માઝા મૂકી. સુખાનંદે સ્‍વામીના ખભે હાથ મૂકી એમને ભાવનાની રસસમાધિમાંથી જાગૃત કર્યા‍. સ્‍વામિએ અંતિમ ચરણ ગાઈ કીર્તનની સમાપ્‍તિ કરી. શ્રીજીમહારાજે અત્‍યંત પ્રસન્ન થઈને સ્‍વામીને કહ્યું: સ્વામી, તમારા આવા ભકિતરસથી ભરપૂર પદો અમને અત્‍યંત ગમે છે. ભકતના અંતરનો આવો પ્રેમભાવ જ તેને ભગવાનના સ્‍વરૂપમાં રસબસ કરે છે. તમે મેઘપુરમાં જે કાફી રાગના પદો રચેલા તે હવે રાજા હઠીસિંહને સંભળાવો.' મહારાજનો ઈશારો સ્‍વામી સમજી ગયા. તેમણે તરત જ કાફી રાગ છેડી 'પ્રગટકે ગુન હમ ગાવે...’પદ ઉપાડયું. આખોય રાજદરબાર મુકતમુનિના મનમોહક સંગીતની સુરમય સૂરાવલિઓમાં ખોવાઈ ગયો. સ્‍વામી આજે મન મૂકીને ગાઈ રહ્યા હતાઃ 'પ્રગટ ભકિત અરૂ પ્રગટ પ્રાપ્‍તિ, પ્રગટ વિના મન નાવે' રાજાના અંતરમાં આ સાંભળી સહેજ સહેજ અજવાળું થવા લાગ્‍યું. તેને થયું: આ તો બહુ મુદ્દાની વાત થઈ રહી છે. એને ઉંડાણથી સમજવી પડશે. કીર્તન સમાપ્‍તિ થતાં રાજાએ મહારાજને પ્રાર્થના કરતા કહ્યું મહારાજ, આ કીર્તનમાં કવિ શું કહેવા માંગે છે એની જો સુચારુ સ્‍પષ્‍ટતા થાય તો અત્રે બેઠેલાં સહુને બહુ સમાસ થાય. આ સાંભળી મહારાજે મુકતમુનિને સાન કરીને કીર્તનનું રસદર્શન કરાવવાની આજ્ઞા આપી. મુકાતાનંદ સ્‍વામી શ્રીજીમહારાજની ચરણવંદના કરી બોલ્‍યા: 'રાજન, પ્રગટની ઉપાસનાની વાત જ નોખી છે. સાંભળો.... પ્રગટ કે ગુન હમ ગાવે, પ્રગટ દર્શકું પાવે, પ્રગટ બીના જે ભૂત ભવિષ્‍ય હૈ, સો સુપને મેં ન ભાવે.' અમે તો પ્રગટ પરમાત્‍મા ભગવાન શ્રી સ્‍વામિનારાયણના જ ગુણ ગાઈએ છીએ અને તેમનાં જ દર્શન કરીએ છીએ. ભગવાનના જે અવતારો ભૂતકાળમાં થઈ ગયા અને ભવિષ્‍યમાં જે થવાના છે એનો અમને સ્‍વપ્‍નમાં પણ સંકલ્‍પ થતો નથી. આ લોકમાં કેટલાય યોગીઓ અને તપસ્‍વીઓ પરોક્ષ ભગવાનના ગુણગાન ગાય છે, પરંતુ પ્રગટ પરમાત્‍માની ઓળખાણ વિના એ બધું કુશકા ખાંડવા બરાબર વ્‍યર્થ છે . જેમ પ્રગટ જળ વિના તરસ છિપાતી નથી, પ્રગટ સૂર્ય વિના સુર્યના હજારો ચિત્રની મદદથી અંધકાર ટળતો નથી, સ્‍વપ્‍નમાં પંચામૃત ભોજન જમીને તૃપ્તિ નો ઓડકાર આવતો નથી તેમ પ્રગટ પરમાત્‍માની ઉપાસના વિના મુમુક્ષુનું મન કયારેય પરોક્ષની ભકિતથી શાંતિ પામતું નથી. 'પ્રગટ મોક્ષ કા પથ બતાવે, પ્રગટ ભાવ ઊર આવે, પ્રગટ નવલ પ્રભુ પ્રગટ પ્રેમરસ, પ્રગટ સો ભરભર પાવે. સાચા સદ્‍ગુરુ જ રાજન; મોક્ષની રાહ બતાવે છે. પ્રગટની ઉપાસના જ કલ્‍યાણનો પરમ હેતુ છે.' મૂકત મુનિના મુખેથી પ્રગટની આવી અદભુત જ્ઞાનવાર્તા સાભંળીને રાજા હઠીસિંહના અંતરના સર્વે સંશય ટળી ગયા. સદ્‍ગુરુ ગુણાતીતાનંદ સ્‍વામી ઘણીવાર એમ કહેતાઃ 'મુકતાનંદસ્‍વામી જેવા સંત વાતો કરતા હોય તો બે હજાર માણસોની સભા બેઠી હોય તો પણ એ સર્વના અંતરના સમાધાન થતા જાય.' સ્‍વામીના કીર્તનમાં, એમની વાતોમાં અને એમની વાણીમાં એવો પ્રભાવ હતો.* કાવ્‍યકૃતિ: નયનભર કબ દેખું કિરતાર. ટેક. શામરી સુરત માધુરી મૂરત, અધમ જનકે ઉદ્ધાર. નયન. ૧ દરશ બિના અતિ દુઃસહ વિરહ તન, દુઃખ કો વાર ન પાર. નયન. ર સહજાનંદ ચરન બિન મોકું, જગ સબ જરત અંગાર. નયન. ૩ મન કર્મ વચને મુકુંદ વચન પર, વાર્યો મૈં વારંવાર. નયન. ૪

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025