Logo image

બારે માસ પૂરા થયા, આવ્યો માસ અધિક, પ્રીતમ તોય ન પધારિયા

બારે માસ પૂરા થયા, આવ્યો માસ અધિક;
	પ્રીતમ તોય ન પધારિયા, ઠેર્યા મથુરા ઠીક...૧
અધિક મહિને અતિ ઘણી, આશા હતી મનમાંય;
	તમ વિના ખાલી સેજડી, મળવા મન અકળાય...૨
પહેલી પ્રીત લગાડીને, રહેવું ન ઘટે દૂર;
	તમ વિના મારા નાથજી, હૈડે દુ:ખ ભરપૂર...૩
બ્રહ્માનંદની વિનતિ, ઉર ધરજો અવિનાશ;
	મહેર કરીને માવજી, તેડી લેજો તમ પાસ...૪
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
વિરહ, શ્રીહરિ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પ્રસંગ :
સુદ, શુક્લ, જેઠ, જ્યેષ્ઠ, દશમ, દશમી, અંતર્ધાન તિથી
વિવેચન:
ભાવર્થઃ- હે મારા પ્રાણ આધાર! બારેમાસ પૂરા થઈ ગયા અને અધિક માસ આવ્યો છતાં હે પ્રીતમજી! તમે કેમ ન પધાર્યા? આ અધિક માસે અવિનાશી આવ્યાની આશા ઘણી હતી. તમારા વિના મારા પ્રેમરૂપી પલંગની પથારી ખાલી રહી. હવે તમને મળવા મારું મન અતિશય અકળાય છે. પહેલાં તમોએ પ્રીત કરી, ને લાડ લડાવ્યા, સુખ આપ્યા, રંગે રગદોળ્યા અને ખાંતે ખવડાવ્યા તો હવે છેટે રહેવું ઘટે ખરું? આપના આધારે જ જીવતાં એવા અમોને તમ વિના અતિ દુઃખ થાય છે. માટે સ્વામી કહે છે કે, “હે અવિનાશી! આ વિનંતી ઉર ધરીને, કૃપા કરીને તમારી પાસે તેડી લેજો.” કહેવાય છે કે આ છેલ્લા પદની છેલ્લી કડી બદલવાની દેવાનંદ સ્વામીએ બ્રહ્માનંદસ્વામીને વિનંતી કરેલ પરંતુ આ લોકમાંથી ઉદાસ થયેલ બ્રહ્મમુનિએ પોતાના શિષ્ય દેવાનંદસ્વામીની આ વિનંતી માન્ય રાખી નથી. પણ બ્રહ્માનંદસ્વામીની આ છેલ્લી વિનંતીને શ્રીહરિએ સ્વીકારી પોતાની પાસે તેડી લીધા એ નિર્વિવાદ છે. રહસ્યઃ- સ્વામીએ બારમાસી પદોમાં ૠતુ વર્ણન સાથે ભૂતકાળમાં શ્રીજી મહારાજે જે જે સુખો જે જે સ્થાને આપેલાં હતાં તેને સંભારી-સંભારીને કઠોર વિરહ વેદના ઠાલવી છે. આ બારમાસી પદાવલીમાં વિશિષ્ટતા એ છે કે બારે-બાર પદોનાં નામાચરણની પંક્તિ એક સરખી છે. જ્યારે તેરમા પદની અંતિમ પંક્તિ કાંઈક જુદી રીતે રજૂ કરાઈ છે. આ બારમાસી પદોમાં જે વિરહવ્યથા વર્ણવાયેલી છે. તે અદ્ભુત છે. તેના પ્રેક્ષણથી ચોક્કસ નક્કી થાય છે કે જો શ્રીજીનો પંચભૂતનો દેહ રાખ્યો હોત તો આવાં વિરહનાં પદો ગાઈ ગાઇને એ દેહમાં પ્રભુને પાછા જરૂર લાવત એમાં જરાયે શંકા નથી. એ બારમાસીનાં પદોનો ઢાળ વિલંબિત ઢાળનો ધોળ છે. તાલ દીપચંદી છે. સુગેય છે. વિનંતી, હેત અને પ્રીતિની પરાકાષ્ઠાનું છે. વળી, બ્રહ્મમુનિની કલમે લખાયેલું આ અંતિમ પદ છે.
ઉત્પત્તિ:
ઉત્પત્તિઃ- શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા પછી શ્રીજી આજ્ઞા પ્રમાણે સદ્ગુરુ બ્રહ્માનંદસ્વામી જટિલ સમસ્યાઓને અવગણીને મૂળી મંદિર કરાવી રહ્યા છે. શ્રીજી ધામમાં પધાર્યાને બે વર્ષ પૂરા થવા આવ્યાં છે. એટલે કે સંવત ૧૮૮૮ના જેઠ માસનો પ્રારંભ થયો છે. એવા સમયે એક દિવસ બ્રહ્માનંદસ્વામીનાં અંતરમાં ઊંડાણમાંથી વિરહાત્મક વિચાર સ્ફૂર્યો, ભૂતકાળમાં ભોગવેલા ભગવાનનાં દર્શ-સ્પર્શના સુખની યાદ ઘૂમવા લાગી. સ્વામી ભૂતકાળમા સરી પડ્યા કે વડતાલ મંદિરનો પડથારો પૂરો થતાં મહારાજ મને પોતાની સાથે લઈ ગયા હતા તેવી જ રીતે જૂનાગઢ મંદિરનો પડથારો પૂરો થતાં પ્રભુએ બોલાવી પોતાની પાસે રાખ્યો હતો. તેમ આજે પણ આ મૂળી મંદિરનો પડથારો પૂરો થઈ ઘૂમટીઓ વળાઈ રહી છે. અને શિખરો પણ થઈ ગયાં છે. છતા મને ધામમાં તેડી જવા પ્રભુ કેમ ન પધાર્યા ? માણકી ઘોડી, પૂંજા ડોડિયા અને મુક્તાનંદ સ્વામીને મહારાજ તેડી ગયા. તો શું મને નહીં તેડી જાય ? આમ, વિચારી વિચારમાં ને વિચારમાં સ્વામી નિશદિન ઉદાસ થવા લાગ્યા અને રોજ વિરહાત્મક પદો રચી ગાતા રહ્યા. તેથી દેવાનંદસ્વામી, તદ્રુપાનંદસ્વામી આદિક શિષ્યમંડળને થયું કે, સ્વામી આ પૃથ્વી ઉપર હવે ઝાઝું નહીં રહે. બ્રહ્મમુનિનું બ્રહ્મત્વ પરબ્રહ્મને મળવા મથવા લાગ્યું છે. શ્રીહરિ સ્વધામ સિધાવ્યા હતા એ જ જેઠ સુદ દશમનો આજે દિવસ છે. પૂજા-પાઠથી પરવારી બ્રહ્મમુનિ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સામે બેસી ગયા. પોતાની પ્રાણજીવનની ઝંખના જોર કરતી જાય છે. કરુણભીના કંઠે વિલાપી પદો ગાઈ રહ્યા છે. એક-બે એમ ત્રણ કલાક સુધી વિરહાત્મક પદો ગાયા અને છેલ્લે વિરહની પરાકાષ્ઠારૂપ બારમાસી પદો શરૂ કર્યાં. ‘જેઠે જીવન ચાલ્યા.” એમ જેઠ માસથી શરૂઆત કરી. સૌ સંતો-ભક્તો મૂળી મંદિરના ઘૂમટમાં એકઠા થઈ ગયા છે. અનેક પ્રકારનાં અપશુકનો થવા લાગ્યાં છે. આકાશમાંથી ઉલકાઓ વર્ષે છે. દિશાઓ પડી ગઈ છે. પ્રચંડ વાયુ વાય છે. મૂળ સોતાં ઝાડ ઉખડી પડે છે. સિતાર સાથે ગાઈ રહેલા બ્રહ્મમુનિના બારમાસી પદોના પોકારથી મંદિરનાં શિખરો ધ્રૂજી ઉઠ્યાં છે. આમ, વિરહાત્મક વાણીથી સૌનાં હૈયા વલોપાત કરવાં લાગ્યાં છે. જોતજોતામાં બાર પદો પૂરાં થયાં. અને પ્રસ્તુત તેરમું પદ સ્વામીએ ઉપાડ્યું, આજે સાઠ વર્ષની વયના બ્રહ્માનંદસ્વામીની કલમે લખાયેલું આ છેલ્લું પદ છે. કહેવાય છે કે આ પદ પૂરુ થતાં પ્રકાશના પૂંજ પથરાયા અને ‘સખા બ્રહ્માનંદ આવો અમારી સેવામાં’ એમ કહેતાંક સહજાનંદસ્વામી પ્રગટ થયા. સૌને દર્શન આપી સખા બ્રહ્માનંદને પોતાના અક્ષરધામમાં તેડી ગયા. પોતાનું સમગ્ર જીવન ઈષ્ટદેવની આજ્ઞા પ્રમાણે સત્સંગને માટે ઘસી નાખ્યું. જેઓએ હંમેશા કાવ્યમંદિરો, પથ્થરનાં મંદિરો અને મુમુક્ષુઓનાં હૃદયમાં ગુણ મંદિરો ચણવાનું જ સેવા કાર્ય કર્યું છે. એવા બ્રહ્મમસ્તીના બ્રહ્માનંદમાંથી સરી પડેલ અંતિમ કાવ્ય પ્રસાદી આરોગી આપણે સૌ ધન્ય બનીએ.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025