ગિરિધર ગોકુલથી ગયારે, તે દહાડાથી વ્રજનારીજી;૨/૬

પદ ૨૯૪ મું(૨/૬)
 
ગિરિધર ગોકુલથી ગયારે, તે દહાડાથી વ્રજનારીજી;આઠેં પહોર અતિ દુ:ખમાં ફરે, વ્યાકુલ વ્રહની મારી.  ઓધવ કેહેજોજી૦ ૧
વ્રહ અગ્નિમાં તન બળેરે, મારું મન મળવા અકળાયેજી;જંપ ન થાયે મારા જીવમાં, મને મંદિર ખાવા ધાયે.  ઓધવ૦ ૨
પીડા પ્રીતમ વિયોગનીરે, મને ક્ષણું એક નથી રહેવાતીજી;રોતાં જાયે દિન રાતડીરે, મારી આવે ભરાઇ છાતી.  ઓધવ૦ ૩
ચિતડામાં ચિંતા ઘણીરે, મને અન્ન નવ ભાવે ઉચાટેજી;હૈડામાં હોળી બળે, મને વિસારી શા માટે.  ઓધવ૦ ૪
વાલમ ક્ષણુંયે ન વિસરેરે, મારા ઉરમાં ખટકે આવીજી;પ્રેમાનંદનો નાથજી, ક્યારે મળશે હેતે બોલાવી.  ઓધવ૦ ૫ 

મૂળ પદ

વિનતડીરે વ્રજનારનીરે, કેહેજો વહાલાજીને જાઇજી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી