જાઉં વાલમજીના વેણાપર વારીરે, જાઉં વેણાપર વારી બલિહારીરે, ૨/૪

૩૪૩ પદ ર/૪
 
જાઉં વાલમજીના વેણાપર વારીરે, જાઉં વેણાપર વારી બલિહારીરે, ટેક.
વાતડી કરીને મારું મન વશ કીધું, લીધી મને ભવથી ઉગારી રે. જાઉં.૧
મૂર્તિ મનોહર મનમોહનની, જીવનદોરી છે જો મારી રે. જાઉં.૨
જગજીવન મુને પ્રાણથી પ્યારો, હઇડાનો હાર હજારી રે. જાઉં.૩
પ્રેમાનંદ કહે પ્રાણજીવનને, રાખું મારા ઉરમાં ઉતારી રે. જાઉં.૪

મૂળ પદ

રાખું લોચનિયાંમે જીવન મારાને રાખું, જીવન મારા પ્રાણ પ્યારાને,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી