ઘનશ્યામ નામને હું જાઉં વારણે જો, ૪/૪

૭૫૪ પદ ૪/૪
 
ઘનશ્યામ નામને હું જાઉં વારણે જો,પુરુષોત્તમ પ્રગટ્યા અમ કારણે જો. ઘન.૧
આવ્યા દીનતણા દુઃખ કાપવા જો,નિજ જનને વાંછિત સુખ આપવા જો. ઘન.૨
આવ્યા અધર્મના મૂળ ઉખાડવા જો,કલિમળ રૂપ મતને પાછો પાડવાજો. ઘન.૩
ધરી મૂર્તિ મુનિ મનમોહની જો,જાદુગારી વહાલાજીની જોહની જો. ઘન.૪
વશિકરણ ભર્યા એનાં વેણ છે જો,સ્નેહ કરુણા ભર્યા એનાં નેણ છે જો. ઘન.૫
અધમ ઓધારણ ભકત વત્સલ ટેક છે જો,પ્રેમાનંદના સ્વામી એવા એક છે જો. ઘન.૬ 

મૂળ પદ

સહજાનંદજી સનેહી સુખધામ છે જો,

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી