ઓધવ કહેજો એક સંદેશો વ્રજના નાથને રે લોલ૩/૮

 પદ ૧૯૨૦ મું.૩/૮

ઓધવ કહેજો એક સંદેશો વ્રજના નાથને રે લોલ;
મા વિસારજો પ્રાણજીવન કે ગોપી સાથને રે લોલ. 
રસિયા કરજો અમારી સાર કે અતિ અબળા તણી રે લોલ;
વારે ચઢજો દીનાનાથ કે હવે થઇ છે ઘણી રે લોલ. 
થઇ છે તમ વિના વ્રજનાથ કે સર્વે ઘેલડી રે લોલ;
સંભારીને સુંદર શ્યામ રડે છે સાહેલડી રે લોલ. 
રસિયા આંખે આંસુ ધાર ભુલી ઘરકામને રે લોલ.
વ્હાલા કોકિલા ઉંચે સ્વરસું, પોકારે શ્યામને રે લોલ 
રસિયા આવો પ્રાણજીવન કે વાળો વાનને રે લોલ;
આપો પ્રેમસખીના નાથ કે દરશન દાનને રે લોલ.  ૫ 

મૂળ પદ

સજની પુછોને નંદજીનો લાલ કે કેમ ચંચળ થયા રે લોલ

મળતા રાગ

ઢાળ : વંદું સહજાનંદ રસરૂપ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી