આ જન્મ મોંઘો મનુજને પ્રભુની કૃપાથી પ્રાપ્ત થાય છે, ૧/૧

 ૧/૧ સત્સંગ કર ૧૮

આ જન્મ મોંઘો મનુજને પ્રભુની કૃપાથી પ્રાપ્ત થાય છે,
તેમાં વળી સહુ ઇંદ્રિયો અંત:કરણ પર્યાપ્ત છે,
બહુ ખાનપાને ગાનતાને છલકતું છે ઘર સભર,
તો મોક્ષ માટે હૃદયથી સત્સંગ કર સત્સંગ કર.
લક્ષ્મી મળી તો નિર્ધનોનાં શ્રેયમાં ઉપયોગ કર,
વિધા મળી તો અજ્ઞ જનમાં જ્ઞાનને સંસ્કાર ભર,
પદવી મળી કીર્તી મળી તો જગતમાં થઇ નમ્ર ફર,
ને મોક્ષ માટે હૃદયથી સત્સંગ કર સત્સંગ કર.
ચડતી અવરની જોઇને તું અંતરે આનંદ ભર,
સરખી દશામાં હોય તે શું મૈત્રીનો લંબાવ કર,
જન દીન હાલત હોય તે પર કર સદા કરુણા નજર,
ને મોક્ષ માટે હૃદયથી સત્સંગ કર સત્સંગ કર.
દશવદન દુર્યોધન ગયા ને કંસનો છે અંશ ક્યાં ?
રે ! ક્યાં સિકંદર જુલ્મી કૈઝર હિટલરોના વંશ ક્યા ?
પણ દુર્ગુણો એના હવામાં છે નિરંતર ખ્યાલ કર,
ને મોક્ષ માટે હૃદયથી સત્સંગ કર સત્સંગ કર.
 

મૂળ પદ

આ જન્મ મોંઘો મનુજને પ્રભુની કૃપાથી પ્રાપ્ત થાય છે,

રચયિતા

ત્રિભુવનભાઇ વ્યાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી