આડો આવ્યો મહાદુઃખનો દરિયાવ, પાર કેમ પામીએ રે લોલ ૯/૧૨

૬૬૫         પદ-૯/૧૨

આડો આવ્યો મહાદુઃખનો દરિયાવ, પાર કેમ પામીએ રે લોલ II
મુજને મેલી તેણે મધ,તણાતી સ્વામીએરે લોલ                      II૧II
તોય મારા પાપી પ્રાણ ન જાય, દોષ કેને દૈયે રે લોલ II
તે તો છે વેરણ વિધાતાનો વાંક, એમ સમજી રૈયે રે લોલ        II૨II
ઉછેર્યા અધરા અમૃત પાઇ, ભીડીને ભુજમાં રે લોલ II
તેણે કર્યો તરત અમારો ત્યાગ, તેતો વાંક મુજમાં રે લોલ       II૩II
પ્રેમદાને પીયુ રિઝાવ્યાની રીત, વાલે બહુ વાવડી રે લોલ II 
ભૂમાનંદ કે એનો શો વાંક II  મુને નહીં આવડી રે લોલ      II ૪II

મૂળ પદ

જેઠે જુવતીના જીવન પ્રાણ, મેલી મથુરા ગયા રે લોલ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી