મારા પ્યારા પ્યારા ઘનશ્યામજી, તુજ વિના રહ્યું નહિ જાય, આવો એકવાર ૧/૧

મારા પ્યારા પ્યારા ઘનશ્યામજી,

તુજ વિના રહ્યું નહી જાય આવો એકવાર.

તમે દિવ્ય મહાસુખ ખાણ પ્રભુ,

તારા વિના જીવ્યું નહી જાય

                        મળો એકવાર. મારા પ્યારા….ટેક

પ્રાણથી પણ તમે પ્યારા છો,શ્વાસ તણા આધારા છો.

શું કહું શ્રીજી હૈયા મારા, મુજ નયનના તારા છો,

તારા માટે તડપી તડપી મરું,અન્ન જલ  ભાવે નહિ કાંઇ

                          આવો એકવાર.મારા પ્યારા…૧

તારી અલૌકિક મૂર્તિમાં, મારૂ વળગ્યું છે હૈયું,

છેટું હવે નથી રહેવાતું,ઘણીવાર તમોને મેં કહ્યું,

હવે દયા લાવો હરી હઠીલા.આવુ તમને પિયું ન સોહાય,

                          મળો એક વાર.. મારા પ્યારા…૨

જ્ઞાન જીવનના જીવન છો,આત્માના પણ આત્મા છો.

સર્વત્ર તમે પૂર્ણ પ્રભુ,એક સર્વોપરી પરમાત્મા છો.

એવા આપને અખંડ અનુભવું,બીજુ જોતું નથી મારે કાંઇ

                          આવો એકવાર...મારા પ્યારા…૩ 

મૂળ પદ

મારા પ્યારા પ્યારા ઘનશ્યામજી, તુજ વિના રહ્યું નહિ જાય, આવો એકવાર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
સોલી કાપડિયા
અજાણ રાગ
સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૬
Studio
Audio
0
0