મારું મનડું મોહ્યું છે ઘનશ્યામમાં, મારે જાવું છે અક્ષરધામમાં ૧/૧

 મારું મનડું મોહ્યું છે ઘનશ્યામમાં, મારે જાવું છે અક્ષરધામમાં...ટેક.
એની મૂર્તિમાં મન મારું રહ્યું વળગી;
સખી એના વિના નહિ રહું અળગી;
	મારું ચિત્ત ન લાગે કોઈ કામમાં...મારે૦ ૧
પ્યારા પ્યારા છે સહજાનંદ સ્વામી;
છબી હરિની હૈયામાં ગઈ જામી;
	મને ગમતું નથી કોઈ ઠામમાં...મારે૦ ૨
મને ગમતી નથી હવે વાત બીજી;
જ્ઞાનજીવન કે’ મારો આધાર શ્રીજી;
	સાચું સુખ છે મારે મારા શ્યામમાં...મારે૦ ૩
 

મૂળ પદ

મારું મનડું મોહ્યું છે ઘનશ્યામમાં, મારે જાવું છે અક્ષરધામમાં

મળતા રાગ

જીવ શાને ફરે છે ગુમાનમાં

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત
તમે એક સાંભરો
Studio
Audio
0
0