આજ મહેળાવમાં પ્રાણ પ્યારો ભલે આવ્યા રે ૧/૧

આજ મહેળાવમાં પ્રાણ પ્યારો ભલે આવ્યા રે,
	ભલે આવ્યા રે મારે હૈડે ભાવ્યા રે...આજ૦ ટેક.
વડતાલે જાતા હતા પ્રતિષ્ઠા માટે,
અમારા ગામ આવ્યા વાલમજી વાટે,
	અતિશે સંતો-ભક્તો સાથે લાવ્યા રે...આજ૦ ૧
આનંદ થયો છે મને અંગો રે અંગ,
નાચીશ કૂદીશ હું તો શ્રીજીને સંગ,
	હૈયાના હાર મારે ગામ આવ્યા રે...આજ૦ ૨
ચાલો ચાલોને સહુ સખીઓ ચાલો,
એ આવ્યા જુઓ આવ્યા આપણો વાલો,
	જ્ઞાનજીવન કહે આજ ભાગ્ય જાગ્યાં રે...આજ૦ ૩

 

 

મૂળ પદ

આજ મહેળાવમાં પ્રાણ પ્યારો ભલે આવ્યા રે

મળતા રાગ

આજ શ્રીહરિ ને સંતો રાસ રમે રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ઉત્પત્તિ

તા.૦૮/૧૨/૨૦૦૧, મહેળાવ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી