મૂર્તિરૂપી માળામાં વિરામ રે, મને કરાવોને ઘનશ્યામ રે ૧/૨

મૂર્તિરૂપી માળામાં વિરામ રે, મને કરાવોને ઘનશ્યામ રે,
રોમેરોમ તમારામાં રાખો રે, મારા બીજા ઘાટ ટાળી નાંખો રે...૧

મને કરો સદા મૂર્તિમય રે, ભૂલ્યે પણ દેશો મા બીજું કંઈ રે,
મારા શુભાશુભ જે વિચાર રે, તેથી કાઢો વ્હાલા મને બહાર રે...૨

માયા છોડાવી મૂર્તિ આપો રે, મારાં સર્વે બંધન હરિ કાપો રે,
દેખુ સહુમાં એક હું તમને રે, બીજું કાંઈ ન દેખાય મને રે...૩

હાથ જોડી હરિ પાયે પડી રે, વળી વિનવું વ્હાલા રડી રડી રે,
જ્ઞાનજીવન માંગે ભીખારી રે, આપો આટલું હરિ અવતારી રે...૪

 

 

મૂળ પદ

મૂર્તિરૂપી માળામાં વિરામ રે, મને કરાવોને ઘનશ્યામ રે

મળતા રાગ

ચોપાઈ : સંત બોલે તે ભેળો હું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત
તમે એક સાંભરો
Studio
Audio & Video
0
0