સ્નેહેથી સંતો ગાવા લાગ્યા, રાગ પ્રભાતિ ભાવે રે ૨/૧૦

સ્નેહેથી સંતો ગાવા લાગ્યા, રાગ પ્રભાતિ ભાવે રે;
	ભાતભાતની રૂડી વિનંતી, શ્રીહરિને સંભળાવે રે...સ્નેહે૦ ૧
વ્હાલા વાલમ ઉઠો વેલા, વાણું વાયું વનમાળી રે;
	ઊઠોને જીવન દ્યોને દર્શન, રૂડી મૂર્તિ રૂપાળી રે...સ્નેહે૦ ૨
મોહન મીઠી મીઠી વાણી, બોલોને પ્રાણ પ્યારા રે;
	શ્રીજી સ્નેહે હેત દેખાડી, આપો આનંદધારા રે...સ્નેહે૦ ૩
જ્ઞાનજીવન કહે નંદ સંતોને, શ્રીજીમાં સ્નેહ અપાર રે;
	એવા ભક્તો વ્હાલા હરિને, જેને પ્રભુમાં પ્યાર રે...સ્નેહે૦ ૪

 

 

મૂળ પદ

દાદાને દરબાર પોઢયા છે વાલો, સહજાનંદ અવતારી રે

મળતા રાગ

પ્રાત: થયું મનમોહન પ્યારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
થયું સવાર
Studio
Audio
0
0