આજ શ્રીહરિ ને સંતો સ્નાન કરે છે, સ્નાન કરે છે મારું હૈયું ઠરે છે ૧/૧

આજ શ્રીહરિ ને સંતો સ્નાન કરે છે,
 	સ્નાન કરે છે મારું હૈયું ઠરે છે...ટેક.
જુઓ સંત પર શ્રીજી જળ વરસાવે,
વાલાને વાલા સંતો સ્નાન કરાવે;
 	પાણી ઉડાડે ને મન હરે છે...આજ૦ ૧
અમારાં ભાગ્ય અહો દર્શન થયાં,
કોટી ભવોનાં પાપ બળી રે ગયા;
 	શ્રીજી ને સંતો આનંદ કરે છે...આજ૦ ૨
પ્રસાદીનું જળ સખી માથે ચડાવો,
મહા અલૌકિક આજ લઈ લો લ્હાવો;
 	પ્રસાદીનું જળ બધાં દુ:ખ હરે છે...આજ૦ ૩
ભાગ્યશાળી થઈ ગયો આજ જ્ઞાનજીવન,
લાખો કરોડો રાજી થયા સહુ ભક્તજન;
 	રાજીપો એક જ કલ્યાણ કરે છે...આજ૦ ૪
 

મૂળ પદ

આજ શ્રીહરિ ને સંતો સ્નાન કરે છે

મળતા રાગ

આજ શ્રીહરિ ને સંતો રાસ રમે રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
અભિષેક
Studio
Audio
0
0