આ વ્રતપુરી વાલો મારો ઘર માની રહેતા ૧/૧

આ વ્રતપુરી વાલો મારો ઘર માની રહેતા;
	ઘર માનીને રહેતા હરિ આનંદ સૌને દેતા રે...ટેક.
આ બ્રહ્માંડમાં સૌથી મોટું, ધામ બનાવ્યું વાલે;
પોતાની મૂર્તિ પોતાને હાથે, આંહીં પધરાવી વાલે;
	હરિકૃષ્ણ મહારાજ રૂપે આંહીં સદાય સુખડાં દેતા રે...આ૦ ૧
રામનૌમી ને પ્રબોધિનીના, કરિયા ઉત્સવ વાલે;
ચરોતરવાસી સુખડાં માણે, ગજવ્યું ગુજરાત વાલે;
	ભરતખંડના સર્વે મનુષ્યો વ્રતપુરી ખેંચાતા રે...આ૦ ૨
શિક્ષાપત્રી લખી વડતાલે, ધર્મ ફેલાવ્યો વાલે;
સંપ્રદાયનું બાંધ્યું બંધારણ, ગાદી સ્થાપી વાલે;
	ગ્રંથો પ્રગટયા ઝાઝા આંહીં, સંવાદો થાતા રહેતા રે...આ૦ ૩
રંગે રમ્યા ને રાસ રચાવ્યા, જોબનપગીના વાલે;
વાસણ સુતારના ઘરમાં રહીને, આનંદ આપ્યો વાલે;
	જ્ઞાનજીવન આ વ્રતપુરીમાં, વચનામૃત રેલાતાં રે...આ૦ ૪
 

મૂળ પદ

આ વ્રતપુરી વાલો મારો ઘર માની રહેતા

મળતા રાગ

સારંગપુર વાલો મારો હેતે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી