સાંભળને તું જન, બેકાબૂ ન બન, સંભારી હરિ, તું શોક ન કર ૧/૧

સાંભળને તું જન, બેકાબૂ ન બન,
સંભારી હરિ, તું શોક ન કર (૨)
 	આવ્યા જે અહીં, તે રહેશે નહિ...સંભારી૦ ટેક.
આ રડી રડીને શું રે વળે, રડવાથી તે પાછા નહિ આવે,
માટે ધીરજ રાખો રખાવો તમે, કરો ધૂન-ભજન તો દુ:ખ જાવે (૨)
 	કરો કથા-કીર્તન, મનાવી લ્યોને મન...સંભારી૦ ૧
કોઈ વાત ન કરશો બીજી-ત્રીજી, થાવાનું હતું તે તો થઈ ગયું,
થાય શાંતિ સહુને એમ જ કરો, જાવાનું હતું તે તો જતું રહ્યું (૨)
 	હવે પાછું આવે નહિ, કોઈ પણ દન...સંભારી૦ ૨
આ જીવન એક’દિ જાવાનું, એ સત્ય સ્વીકારી ખુશ રહો,
જીવો જીવન એવું કે સૌને ગમે, વળી અંતે તો અક્ષરધામ લહો (૨)
 	કહે જ્ઞાનજીવન, કરો હરિ રટન...સંભારી૦ ૩
 

મૂળ પદ

સાંભળને તું જન, બેકાબૂ ન બન, સંભારી હરિ, તું શોક ન કર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
મનહર ઉધાસ
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
શ્રદ્ધાંજલી
Studio
Audio
0
0