આજ મારું ભાગ્ય ઉદે થયું, નીરખ્યા વ્રજપતિ વાલો ૪/૪

આજ મારું ભાગ્ય ઉદે થયું, નીરખ્યા વ્રજપતિ વાલો;
	છેલ છબીલો શામળો, લે’રી નંદજીનો લાલો	-આજ૦ ૧
જરકસી પાઘના પેચમાં, તોરા અધિક વિરાજે,
	મુખશોભા જોઈ માવની, પૂરણ શશી લાજે	-આજ૦ ૨
ભાલ વિશાળ વિરાજતું, નેણાં અતિ અણિયાળાં;
	અતિ ચંચળ રસનાં ભર્યાં, કંકોળેલ કાળાં		-આજ૦ ૩
અંગોઅંગ મૂર્તિ માધુરી, રસિયો ગિરધારી;
	મુક્તાનંદના નાથની, છબી પર બલિહારી		-આજ૦ ૪
 

મૂળ પદ

મન રે માન્યું નંદલાલ શું

મળતા રાગ

રામગ્રી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી