સાંભળને તું જન બે કાબૂ ન બન, સંભારી હરિ, તૂં શોક ન કર, ૧/૧

સાંભળને તૂં જન, બે કાબૂં ન બન,
સંભારી હરિ, તૂં શોક ન કર,
આવ્યા જે અહી, તે રહેશે નહિ...સંભારી ટેક.
આ રડી રડીને શું રે વળે, રડવાથી તે પાછા નહિ આવે,
માટે ધીરજ રાખો રખાવો તમે, કરો ધૂન-ભજન તો દુઃખ જાવે,
કરો કથા-કીર્તન, મનાવી લ્યોને મન...સંભારી-૧
વાત ન કરશો બીજી-ત્રીજી, થાવાનું હતું તે તો થઇ ગયું,
થાય શાંતિ સહુને એમજ કરો, જાવાનું હતું તે તો જતું રહ્યું,
હવે પાછું આવે નહિ, કોઇ પણ દન...સંભારી-૨
આ જીવન એકદિ' જાવાનું, એ સત્ય સ્વીકારી ખુશ રહો,
જીવો જીવન એવંુ કે સૌને ગમે, વળી અંતે તો અક્ષરધામ લહો,
કહ જ્ઞાનજીવન, કરો હરિ રટન...સંભારી-૩

મૂળ પદ

સાંભળને તૂં જન

મળતા રાગ

ગૈરો પે કરમ, અપનો પે સિતમ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
મનહર ઉધાસ

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0