આજ રે મટ્યું દુઃખ મરણનું, મળીયા કૃષ્ણમુરારી,..૪/૪

 આજ રે મટ્યું દુઃખ મરણનું, મળીયા કૃષ્ણમુરારી,

શોભાનિધિ ઘનશામની, છબી અતિ સુખકારી.... આ..
ભટકી બહુ ભવપંથમાં, કુડા કર્મ કરીને,
જ્ઞાન નિધિ ગોપાળને, નિરખ્યા, નેહ કરીને. આ ૧
બહુનામી એના બરદનું, પોતે પણ પાળ્યુ,
મુક્ત કર્યાં નર નાર્યને, અજ્ઞાન તે ટાળ્યુ. આ ર
કાળ માયાના રે કોપથી, નિરભય કરી લીધા,
શરણાગત હરિ ભક્તને, અવિચલ સુખ દીધાં. આ ૩
રૂપ નવલ વ્રજરાજનું, જે જન ઉર ધારે,
દેવાનંદ કહે દેખતાં, દિલનાં દોષ નિવારે. આ ૪

મૂળ પદ

આજ હું પામી રે ફલ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી