મારા પ્રાણજીવન પિયારારે, વાલા લાગોછો.૩/૪

મારા પ્રાણજીવન પિયારારે, વાલા લાગોછો.

લાગો છો વાલા મુને નંદજીના લાલારે,

નાથ નહિ મેલું હવે ન્યારારે. વા. ૧

નિશદિન નિરખું હું હૈયામાં હરખુંરે, નજરે રેજો નાથ મારારે. વા. ર

સુખનારે સિંધુ દયાલ દિનબંધુરે, નટવર નંદ દુલારારે. વા. ૩

નિષ્કુળાનંદના નાથ હાથ જોડીરે, ગાશું ગુણડા તમારારે. વા.૪

મૂળ પદ

તારી લાવન્યમાંયે લલચાણારે. મન મોયું છે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી