માથાને સાટે ન મેલુંરે, મન માન્યા ૪/૪

માથાને સાટે ન મેલુંરે, મન માન્યા,

માથાને સાટે ન મેલું. તમસું બાંઘ્યું મેં બેલુંરે. મ.

સુર સતી ભરે પગલું પેલું, મરવામાં મન માનેલુંરે. મ.૧

શિશ સાટે સુખ જાણું મેં સેલુંરે, એ તો આપ્યું અમે વેલુંરે. મ.ર

હાથમાં શિશ લઇ હવે ખેલું, તન મન ત્રણ કરેલુંરે. ૩

નિષ્કુળાનંદ કહે મન માહેલું, તમને જોઇને લોભેલુંરે. મ.૪

મૂળ પદ

પ્રીતમ પ્રાણપ્યારારે, મનમોહન પ્રીતમ પ્રાણપ્યારા.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી