વીચારે વીર મહંત મોટા જો પરમારથી.૩/૮

વીચારે વીર મહંત મોટા જો પરમારથી.

વીચારે વીર સંત તો નહીં જ આપ સ્વારથી. ૧

વીચારે વીર પ્રમારથ બુદ્ધિ જેની પ્રગટી.

વીચારે વીર ભીનભાવ મનથી ગયો મટી. ર

વીચારે વીર આપ પર ભાવ જેને ભાગીયો.

વીચારે વીર આતમા વીવેક એક જાગીયો. ૩

વીચારે વીર પરને ઇછે છે સુખ આપવા.

વીચારે વીર જનમ મરણ જાળ કાપવા. ૪

વીચારે વીર સંત તો સગા છે સઉ જનના.

વીચારે વીર દયાળુ દીસે છે મોટા મનના. પ

વીચારે વીર અનંત ઉધરીયા સંત સંગથી.

વીચારે વીર પ્રસિદ્ધ પુરાણે તે છાના નથી. ૬

વીચારે વીર પાર્ય કર્યા અપાર અધમને.

વીચારે વીર નીરણે નથી તેનો નિગમને. ૭

વીચારે વીર સંત તો સઉનું સુખધામ છે.

વીચારે વીર નિષ્કુળાનંદ એ શું કામ છે. ૮

મૂળ પદ

શ્રી રામ રામ વાયક વિવેકસું ઉચારિયે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી