મારા વાલાજી, વારણીયે જાઉં હું કરી વાતું રે, ૩/૪

સુણ સાહેલી સદજાનંદ સંગાથે. એ ઢાળ.
પદ-૩ ૪૯૪
મારા વાલાજી, વારણીયે જાઉં હું કરી વાતું રે,
તારી વાત વિના,
અલબેલાજી અમે નથી રેવાતું રે.    મા.ટેક.
વાલા હસી હસીને વદજો વેણા રે,
જોજો અમ પર કરી પ્‍યારાં નેણા રે,
વળી મર્મ ભર્યા મારજો મેણા રે.     મા.૧
તારી વાત વિના દુઃખડું દલમાં રે,
નાવે સુખ બીજે કોયે પળમાં રે,
મન ગોઠે નહી જુઠા ગલમાં રે.        મા. ર
વાલા વાત તારી સુંદર સારી રે,
સુણી મન વરતી લોભે મારી રે,
કરો લાવી લટકાં વાતું વારી રે.       મા.૩
હું તો સાંભળીશ નહી બીજું કાને રે,
કરો વાત તમે રુડે તાને રે,
સુણી નિષ્‍કુળાનંદ આનંદ માને રે.   મા. ૪

મૂળ પદ

મારા મનમાં વસી, મોહનજી મર્માળી મુર્ત્ય તારી રે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી