વાલા અષાઢે અમને અનાથ કરીરે, ૨/૧૨

વાલા અષાઢે અમને અનાથ કરીરે,
મેલી મહા દુઃખમાં હાલ્યા હરીરે.
આવો કષ્ટ કેમ શકશું જો તરી.મા. ૧
વાલા વરસાળો વરસશે વેરીરે, સમે સાંભરશો વાલમ લેરીરે.
દેતાં દર્શન વસન સુંદર પેરીરે.મા. ર
ચડી ચાખડીયે આવતા ચાલીરે, હરતા તાપ આપ દર્શન આલીરે.
વળી વાત કરતા વાલી વાલી.મા. ૩
એહ વિસારે કેમ વિસરીયેરે, સુખ સંભારી નયણાં ભરીયેરે.
નાથ નિષ્કુળાનંદના આવું નવ્ય કરીયેરે.મા. ૪

મૂળ પદ

મારા પ્રાણજીવન, આવડલું અમ સાથે રે કહો કેમ કીધુ

મળતા રાગ

ઢાળ : સુણો ચતુર સુજાણ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી