વાલા આશુ માસે આનંદકારીરે, વાત સાંભરે છે વણ સંભારીરે.૫/૧૨

વાલા આશુ માસે આનંદકારીરે, વાત સાંભરે છે વણ સંભારીરે.
હીરો હાથે થકી હું બેઠી હારીરે.મા. ૧
દેખી દીપમાલા ઝાળ થાશેરે, ખાલી મંદિરીયેરે કેમ ખમાશેરે.
જોઇ જીવડલો મારો જાશે.મા. ર
કેને જમાડીશ અન્નકોટ કરીરે, જાતા રહ્યા જમનારા તમે હરિ રે.
ખાધી ખોટ મોટી એ અમે ખરી.મા. ૩
દઇ સુખ અમને દોવટેરે, આજ ઉતારીયાં દુઃખને ત્રટેરે.
નાથ નિષ્કુળાનંદના આવું નવ ઘટેરે.મા. ૪

મૂળ પદ

મારા પ્રાણજીવન, આવડલું અમ સાથે રે કહો કેમ કીધુ

મળતા રાગ

ઢાળ : સુણો ચતુર સુજાણ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી