મનની વાતો મનમાં, રહી રહી ગઈ રહી રે.૧/૮

 મનની વાતો મનમાં, રહી રહી ગઈ રહી રે;
	માલમી વિના મનની, કેની આગે દેખાડું કહી રે...મનની૦ ટેક.
અરધી વાત ઉચ્ચારતાં, આવે અંતર વિચાર થઈ રે;
	પછે પૂરું પ્રકાશતાં મારું, હૈડું હાલે નહિ રે...મનની૦ ૧
સાચું કહેતાં સંતાપ છે, કહોને કેમ કરીએ ભઈ રે;
	જીભાને રાખું જાળવી રે, રખે વધુ જાતી તું વઈ રે...મનની૦ ૨
વણખપવાળાને વારતા, જો દાખીએ દિલ દઈ રે;
	શ્રદ્ધા વિનાના સાંભળી ઉઠે, આપે અવળું લઈ રે...મનની૦ ૩
જેને દેહને સુખે સુખ છે, તેને દઈએ શીખામણ સહી રે;
	નિષ્કુળાનંદ ન બોલવું, રહેવું મને મૌન ગ્રહી રે...મનન૦ ૪ 
 

મૂળ પદ

મનની વાતું મનમાં રઇ ગઇ રઇરે.

મળતા રાગ

પરજ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી