નથી નરને નિધિ સુખની તપ વિન્યા ત્રિલોકને માંયરે, ૬/૮

નથી નરને નિધિ સુખની તપ વિન્યા ત્રિલોકને માંયરે,
પ્રભુ ને પ્રસન કરવા નથી એવો બીજો ઉપાય રે. નથી. ૧
નારાયણની નાભીથી નીસરી તપ આદર્યું બ્રહ્માયરે,
તેણે કરીને તનમાં પામ્યા સામ્રથી સદાયરે. નથી. ર
ઋષભદેવ ભરત ભોમીયે વળી જે જે ત્યાગી કેવાયરે,
તે તે રીઝા તપમાં તેમાં દોષ કેમ દેવાયરે. નથી. ૩
દેવ દાનવ મુનિ માનવી જે કોઇ જગમાં ગણાયરે,
તેતો પામ્યા તપથી મોટી પદવી સદાયરે. નથી. ૪
સર્વે સિદ્ધાંતનું સિધાંત છે વાત પાધરી જો પ્રિછાયરે,
નિષ્કુળાનંદ એ નરને નકી કરવું એ છે ન્યાયરે. નથી. પ

મૂળ પદ

મનની વાતું મનમાં રઇ ગઇ રઇરે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી