વ્રજના વાસીની રે વાલા વાર કિજીયે રે, ૩/૬

વ્રજના વાસીની રે વાલા વાર કિજીયે રે,

લીજે લીજે શામળિયાજી રે સાર,

દિજે દિજે દિજે રે દરશન દાનને રે, કીજે કીજે વાલા મન વિચાર. વ્ર.૧

બાલપણા માંયે રે પિયા પ્રીતડી રે, કરી કરી અંતર મનને રે એક,

અધ ક્ષણ અમથી રે અલગા રેતા નહિ રે,

અલબેલા આપીયાં સુખ અનેક. વ્ર. ર

શરીરમાં સાલેરે સનેહનાં સુખડાં રે, સ્થલ સ્થલ પ્રત્યે મનોરથ થાયે,

ઇહાં બેસી હરિ રે અમને બોલાવતારે,

સંભારતાં હેત હૈયે ન સમાયે. વ્ર. ૩

પળે પળે પીયુ રે પ્રેમે કરી પોષિયાં રે,

સંતોષિયા શામળિયે દઇ સુખ,

નિષ્કુળાનંદના રે નાથ નથી વિસર્યું રે,

દિન દિન વણ દિઠે દલ દુઃખ. વ્ર. ૪

મૂળ પદ

અલબેલા આવોરે આજ અમ પાસળેરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી