અવતાર ને અવતારીનો, જેને વિવેક થાય.
તે જાય અક્ષરધામમાં, મહામુક્ત કેવાય. ૧
અવતારી અવતાર ને, સરખા જેહ જાણે;
તેને વિવેકી ન જાણવો, કહું શાસ્ત્ર પ્રમાણે. ૨
ચક્રવર્તી ભૂપાલને, કેવો ખંડીયો રાજા;
તે તો વિવેકી કહે નહી, કહે મૂર્ખસમાજા. ૩
સમુદ્ર ને સરોવરને, કેમ સરખું લેવાય;
અવતાર ને અવતારીને, તુલ્ય નવ કેવાય. ૪
તારાના ગણ છે નભમાં, વલી જાણ્યો ત્યા ચંદ;
તેને બરોબર લઇ કહે , કૈયે મતીના મંદ. ૫
વડવાનલ વલી વહનીને, કહે તુલ્ય મસાલ;
જાણે તેમ અવતારી ને, હોય બુદ્ધિના બાલ. ૬
ચિંતામણી ને હિરામણી, તેને એક જે જાણે.
તેને મંદમતી જાણવો, કહું શાસ્ત્ર પ્રમાણે. ૭
અવતાર ને અવતારીમાં, ભેદ અનંત અપાર;
દ્રષ્ટાંત પ્રમાણે જાણજ્યો, ખોટું નથી લગાર. ૮
અપાર મહિમા નાથનો, તે તે નવ કેવાય;
જેવા જાણે માહારાજને, તેવો તે થાય. ૯
અગણિત મહિમા જુક્ત છે સ્વામી સહજાનંદ;
અવિનાશાનંદ નિશ્ચે કહે, ધારી પ્રભુ સુખકંદ. ૧૦