આધુનિક જ્ઞાની બ્રહ્મસ્વરૂપ નિરૂપણ લેશ ન જાણે ૩/૪

 આધુનિક જ્ઞાની બ્રહ્મસ્વરૂપ નિરૂપણ લેશ ન જાણે
ભોળા જનને મિથ્યા જ્ઞાન કથી તન સુખને માણે. ||ટેક||
જુઓ શુકજી નિર્ગુણ નિષ્ઠ રયા, જેના વિષય વિકાર સહુ દુર થયા
તોય કૃષ્ણ કથા કહી આણી દયા. આધુ.૧
વળી તરુમાં રહી ઉતર દીધા, તેમ સર્ગ નર્ક વરણન કીધા
શ્રી કૃષ્ણ ચરણ ઉર ધરી લીધા. આધુ.૨
જુઓ શંકર બ્રહ્મજ્ઞાની મોટા, જેને વિધિ નિષેધ ન ક્યાં ખોટા 
જગ ખળ જ્ઞાની વાળે ગોટા. આધુ.૩
જુઓ જડભરત બ્રહ્મસ્વરૂપ થયા, જેણે કર્મ ધર્મને સત્ય ક્યાં. 
મંજુકેશાનંદ તે તેમ રહ્યા આધુ.૪

મૂળ પદ

ખળ જ્ઞાનીના લક્ષણ સર્વ બતાવું રૂડી રીતે,

રચયિતા

મંજુકેશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી