મારે મન વસીયા રે, ગુણવંતા ગિરધારી, શ્યામ વિના મુને કામ ન સૂઝે ૮/૧૦

મારે મન વસિયો રે, ગુણવંતો ગિરધારી...ટેક.
શ્યામ વિના મુને કામ ન સૂઝે, વિરહની વેદના ભારી...મારે૦ ૧
કાનકુંવર સારું મેં સજની, લોકની લાજ વિસારી...મારે૦ ૨
કાળજડું કોરીને પેઠી, કાન નયન કટારી...મારે૦ ૩
દીવાની સરખી થઈ ડોલું, હાંસી કરે નરનારી...મારે૦ ૪
ઘાયલની ગતિ ઘાયલ જાણે, શું જાણે સંસારી...મારે૦ ૫
મુક્તાનંદ મોહનને મળતાં, થઈ રહી જગથી ન્યારી...મારે૦ ૬
 

મૂળ પદ

મારું મન હરિયું રે, શામળિયે સુખ દઈને

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી