Logo image

જનમ સુધાર્યો રે હો મારો, મળિયા નટવર નંદદુલારો

જનમ સુધાર્યો રે હો મારો, મળિયા નટવર નંદદુલારો...ટેક.
કરુણા અતિશે રે હો કીધી, ભવજળ બૂડતાં બાંય ગ્રહી લીધી...૧
મુજ પર અઢળક રે હો ઢળિયા, કરુણા કરી ઘેર બેઠા મળિયા...૨
મન દૃઢ કરિયું રે હો મોરારી, હવે હું થઈ રહી જગથી ન્યારી...૩
આનંદ ઉરમાં રે હો ભારી, શિર પર ગાજે ગિરિવર ધારી...૪
નિરભે નોબત રે હો વાગી, કહે મુક્તાનંદ ભ્રમણા ભાંગી...૫
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
મુક્તાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
કરુણા,કૃપા,દયા,ઉપકાર, મુક્તાનંદ સ્વામી, આનંદ,હર્ષ,હરખ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
સ્થળ :
કાલવાણી
વિવેચન:
વિવેચન ૧ -;આસ્વાદઃ- ‘જનમ સુધાર્યો રે હો મારો, મળીયા નટવર નંદ દુલારો.’ આ કીર્તનના એક એક શબ્દ પ્રેમથી ભરેલા છે. પ્રેમ અને આનંદ હંમેશાં સાથે જ રહે છે. જ્યાં પ્રેમ ત્યાં આનંદ, જ્યાં આનંદ ત્યાં પ્રેમ. મુક્તમુનિના અંતરનો આનંદ ‘શ્રીહરિના મિલનનો છે’ એમ કહેવા કરતાં ‘મળેલા શ્રીહરિને ઓળખ્યાનો છે.’ એમ કહેવુ વધારે વ્યાજબી છે. શ્રીહરિ મળે તો ઘણાને, પણ ઓળખે વિરલા જ. પારસમણિ પાસે જ હોય પણ આનંદ તો ઓળખે ત્યારે જ થાય. ઓળખાણ ત્યારે જ થાય જ્યારે ઓળખાવનારા મળે. ઓળખાવનારા ન મળે તો શ્રીહરિ સામે ઊભા હોય છતાં ન ઓળખાય. મુક્તમુનિને રામાનંદ સ્વામી જેવા ઓળખાવનારા મળ્યા. આખરે મુક્તાનંદ સ્વામીની જીવનસરિતા સહજાનંદ સિંધુમાં સમર્પિત થઈ ગઈ. સરિતા ગમે તેવી સુંદર હોય પણ સાગરને મળ્યા સિવાય રેતીમાં સમાઈ જાય તો એની સુંદરતા વિધવાનાં શણગાર જેવી અડવી લાગે. સોહાગણ સુંદરી જેવી સાર્થક ન લાગે. ઘણાંનાં જીવન ભારે સુંદર હોય. લલિત કળાઓથી ભરેલાં હોય પણ જો એમની જીવનધારાઓ શ્રીહરિ રૂપી સાગર સાથે સંગમ ન રચે તો એ જીવનધારાઓ નિરર્થક છે. સ્વામી કહે છે કે અમારી જીવનધારાઓ સફળ થઈ ગઈ કારણ કે અમને નટવર નંદદુલારો હજરાહજૂર મળ્યો. ‘મળિયા નટવર નંદ દુલારો’ દેવતાઓને ઈર્ષા આવે એવાં ધનસંપતિ, ઐશ્વર્યો, માનસન્માન મળવાથી જન્મ સુધરતો નથી. સંત અને શ્રીહરિ મળે તો જ જન્મ સુધારે છે. અજ્ઞાની જીવ પડછાયા જેવાં માયિક સુખો માટે દેવોને દુર્લભ માનવ દેહને વેડફી નાખે છે. પ્રભુ પોઢાડ્યાની પામરીનાં બાળોતિયાં કરે તે ગાંડો ગણાય. આ જીવન પ્રભુ પોઢાડવાની પામરી જેવું કીમતી અને પવિત્ર છે. એમાં વિષયની ગંદકીનાં પોટલાં ન બંધાય. ઘી, સાકર, લોટ, પાણી અને લાકડાં તો એનાં એ જ હોય પણ કરતાં આવડે તો ફૂંક મારો ને દાણેદાણો નોખો થઈ જાય એવી લાપસી થાય અને ન આવડે તો જાતજાતનાં રમકડા બને એવો ચીકણો પિંડો થાય. ચોપાટ રમતા આવડે તો કૂકરી ઘરમાં જાય અને ન આવડે તો ગાંડી થઈને બાજી બગાડી નાખે. આપણા માનવજીવનનું પણ આવું જ છે. જીવતા આવડે તો જનમારો સુધરે, નહિતર એળે જાય. મુક્તાનંદ સ્વામી અહીં ‘સુધાર્યો’ શબ્દ વાપરે છે. એનો ભાવ એ જ છે કે ‘અમે તો અણઆવડતથી અમારા જીવનની બાજી બગાડી રહ્યા હતા. પણ કરુણા કરી ગુરુદેવે સમયસર અમારી બગડતી બાજીને સુધારી લીધી. અમારી હારની બાજીને જીતમાં પલટાવી નાખી.’ હવે તો બ્રહ્માનંદ સ્વામી કહે છે તેમ ‘મારો સફળ થયો જનમારો હું પરણી પ્રીતમ પ્યારો’ ‘મળ્યા નટવર નંદદુલારો’ આ પંક્તિમાં ‘નટવર’ શબ્દ સાંકેતિક છે. સ્વામી કહેવા માગે છે કે ‘આ નટવરે ભાતભાતના વેશ કાઢી અમને છેતર્યા. અમારી સાથે સંતાકૂકડી રમ્યો. અમને સાચી ઓળખાણ ન થવા દીધી. વંદન કરીએ સદ્‍ગુરુ રામાનંદ સ્વામીને કે એમણે અમારી આંખ ખોલી નહીંતર આ નટવરની માયાનો પાર અમે પામ્યા ન હોત. સદ્‍ગુરુની કૃપાદ્રષ્ટિથી અમને ખબર પડી કે લોકોને સમાધિઓ કરાવનારો આ નીલકંઠ કોઈ કામણટૂમણિયો બાવો નથી, પણ કામણગારો કાનુડો છે.’ ‘મુજ પર અઢળક રે હો ઢળિયા’ અઢળક ઢળવાનો અર્થ છે ‘ઘડો પૂરે પૂરે ઢોળાય જાય તેમ સર્વસ્વ ન્યોછાવર કરવું.’ સ્વામી કહે છે, ‘શ્રીહરિએ અમારા ઉપર પુષ્કળ મહેર કરી. ન્યોછાવરી અમારે કરવાની હોય એને બદલે એ મારા ઉપર ન્યોછાવર થયા. એની અનરાધાર અષાઢની હેલી જેવી કૃપા તો જુઓ. ‘કરુણા કરી ઘેર બેઠાં મળિયા’ સામાન્ય નિયમ એવો છે મહેનત વગર ઘેરબેઠાં કાંઈ ન મળે જ્યારે અમને તો સ્વયં લક્ષ્મીપતિ નારાયણ ઘરબેઠા મળ્યા. આ માત્ર એની કરુણા સિવાય કેમ સંભવે આ મિલન અમારા પુરુષાર્થનું ફળ નથી? એમની કૃપાનું ફળ છે.’ ‘જેને મેળવવા માટે જોગીઓ જંગલમાં ધ્યાનની ધૂણીઓ ધખાવે છે. જેને મેળવવા માટે તપસ્વીઓ કઠોર તપશ્ચર્યાઓ કરે છે. જેને મેળવવા માટે રાજામહારાજાઓ રાજવૈભવ છોડીને વનવાસ વેઠે છે. એવા શ્રીહરિને શોધવા અમે નીકળ્યા નહોતા પણ શબરીની ઝૂંપડીએ સામે ચાલીને રામ પધારે એમ આ ‘નીલકંઠવર્ણી’ સામે ચાલી અમને શોધતા શોધતા લોજ પધાર્યા. આ એમની કરુણા નથી તો બીજું શું છે?’ અહીં એક બીજો મર્મ છે. ઘરે બેસે એને જ શ્રીહરિ મળે. જેની બુદ્ધિ હરાયા ઢોરની જેમ જ્યાંત્યાં રખડ્યાં કરે એને શ્રીહરિ ન મળે. ઘરે બેસવું એટલે સદ્‍ગુરુના ચરણમાં બેસવું. સદ્‍ગુરુ શ્રીહરિને રહેવાનું ધામ છે. ભાગવતજીમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે ‘साधवो हृदयं मह्यम्’ ‘હે ઉદ્ધવ! સાધુઓ મારું હૃદય છે. હૃદયમાં જેમ આત્મા રહે છે તેમ સાધુમાં હું રહું છું.’ મુક્તાનંદ સ્વામીના જીવનની અદ્‍ભુતતા એ છે કે એમણે સદ્‍ગુરુને શોધવા જેવો અથાગ પ્રયાસ કર્યો છે એવો શ્રીહરિને શોધવા નથી કર્યો. સદ્‍ગુરુ રામાનંદ સ્વામીના મિલન પછી મુક્તાનંદ સ્વામી પૂર્ણ ભરોંસાથી એમના ચરણમાં બેસી ગયા. શ્રીહરિનો ભેટો કરવાની જવાબદારી હવે ગુરુની હતી. ગુરુકૃપા સ્વામી ઉપર એવી વરસી કે શ્રીહરિ સ્વામીને સામેથી શોધતા આવ્યા. એક નિયમ છે ગુરુ ગોત્યા મળે, હરિ ગોત્યા ન મળે. ગુરુ મળી જાય તો હરિને ગોતવા ન પડે. એ સામે ચાલીને આવે. શબરી ક્યાં રામને શોધવા ગઈ હતી? એ તો ગુરુવચનમાં વિશ્વાસ રાખી જીવનભર રાહ જોતી બેઠી રહી. હવે શબરીને શોધવાનું કામ રામનું હતું. અનંત બ્રહ્માંડોમાં વિહરતા હરિને ગોતવા ક્યાં જવું? બહેતર છે એવું કરવું કે એ જ આપણું સરનામું પૂછતો આવે! ભગવાન સ્વામિનારાયણ નાના હતા ત્યારે છપૈયા ગામની બહાર ઉત્તરાદિ બાજુ પીપળાના ઊંચા વૃક્ષ ઉપર ચઢીને ચારેય બાજુ જોતા. નાના બાળમિત્રો પૂછે, ‘ઘનશ્યામ, એટલે ઊંચે ચઢીને શું કરો છો?’ ઘનશ્યામ હસીને જવાબ દેતા, ‘જોઉં છુ ભારતમાં મારા પ્રેમી ભક્તો કઈ બાજુ વસે છે? મારે મોટા થઈને એમની પાસે જવું છે.’ મન દ્રઢ કરિયું રે હો મુરારી, હવે હું તો થઈ રહી જગથી ન્યારી, સ્વામી કહેવા માગે છે, ‘શ્રીહરિ તો કરુણા કરીને મળ્યા પણ એમને ઓળખવામાં અમારા બુદ્ધિનાં આવરણો અમને આડાં આવતાં હતાં. અમારા હૃદયાકાશમાં સંશયનાં વાદળાં ઘેરાયાં કરતાં હતાં. સદ્‍ગુરુની કૃપારૂપી પવને એ વાદળાં વિખેરી નાંખ્યાં. વડલો જેમ રૂઢમૂળ થઈ મજબૂત બને એમ અમારા મનમાં નિષ્ઠાનાં મૂળ મજબૂત થયાં. હવે સંશયોનાં વાવાઝોડાં એને ઉખાડી શકે તેમ નથી.’ અહીં સ્વામી ભગવાનને ‘મુરારી’ કહે છે. મુર નામના અસુરને માર્યો માટે ભગવાન ‘મુરારી’ છે. સ્વામી કહેવા માંગે છે કે અમારા અંતરમાં પણ સર્વ ઉપદ્રવો અને દોષોનાં મૂળ સમા અજ્ઞાન અને અહંકારરૂપી મુરદાનવે કબજો જમાવ્યો હતો. મુરારીનું મિલન થતાં એ મુરદાનવ હવે નાશ પામ્યો. ‘હવે હું તો થઈ રહી જગથી ન્યારી’ જગતનો કાદવ ભારે ચીકણો છે. એમા ખૂંત્યા પછી બહાર નીકળવું મુશ્કેલ છે. પણ શ્રીહરિએ કૃપા કરી અમારો હાથ પકડી અમને બહાર કાઢી લીધા. પ્રેમાનંદ સ્વામી કહે છે. ‘બાંય ઝાલીને કાઢી લીધા બારણે રે લોલ.’ જે સમયે અમારી નાવડીને તારણહારની જરૂર હતી ત્યારે જ શ્રીહરિ અમારા તારણહાર બન્યા. અમારો બેડો ભવસાગર ��ાર ઉતાર્યો. સંસારરૂપી ખારા સાગરમાંથી ઉગારી શ્રીહરિએ અમને અક્ષરધામરૂપ મીઠાં મહેરામણને કિનારે મૂક્યા. ‘હવે હું તો થઈ રહી જગથી ન્યારી’ આ પંક્તિનો એક બીજો પણ ભાવ છે. જગત અને ભગત વચ્ચે ઊઠીને આંખે વળગે એવો ભેદ છે. એક માયામાં રાચે છે, બીજો માધવમાં રાચે છે. એક સંશયગ્રસ્ત છે, બીજો નિર્વિકલ્પ છે. એક વિષયાનંદ માણે છે, બીજો બ્રહ્માનંદ માણે છે. મુક્તાનંદ સ્વામી કહે છે, ‘હે હરિ! તમારી કૃપાથી અમે જગતના જીવોથી નોખા તરી આવ્યા. જગદીશ મળ્યા પછી જગતમાં કોણ રોકાય? અમૃતનો સાગર મળે પછી છાસની આશ કોણ સેવે? ‘આનંદ ઉરમાં રે હો ભારી, શિરપર ગાજે ગિરિવરધારી.’ આકશમાં અષાઢી મેઘની ગર્જનાઓ થાય અને વનના મોરલા આનંદથી નાચવા લાગે એમ પ્રેમ અને કરુણાથી ભરેલા શ્રીહરિના મિલનથી સ્વામીના મનનો મોરલો નાચી રહ્યો છે. સ્વામીના આનંદથી ઝૂમતા હૈયામાંથી ઉપરની પંક્તિઓ ઊઠી છે. આનંદનો ભાર હૈયું ઝીલી નથી શકતું એટલે નર્તન અને કીર્તન દ્વારા આનંદ બહાર વહી રહ્યો છે. સ્વામીના અંતરમાં શ્રીહરિને ઓળખવામાં હવે કોઈ ભ્રાંતિ નથી, કોઈ સંશય નથી. આ પંક્તિમાં કેટલીક જલ્દી ન સમજાય તેવી વિરોધાભાસી વાત પણ છે. ગિરિધર હૈયામાં બિરાજે એ તો સમજી શકાય આ તો માથે બિરાજે છે. પાછો ગાજે છે. એક તો ગિરિરાજ ગોવર્ધન ભારે વજનદાર, એમાં પાછો ગિરિધર ઉમેરાય તો માથા ઉપર ભાર ન લાગે? આ પંક્તિ ભારે ભાવગંભીર છે. મોટે ભાગે જીવ માથા ઉપર માયાના ભાર લઈને ફરે છે, ચિંતાનો ભાર લઈને ફરે છે, જાતજાતની ઉપાધિઓનો ભાર લઈને ફરે છે અને હેરાન થાય છે. મુક્તાનંદ સ્વામી ચતુરસુજાણ સંત છે. એણે માથા ઉપર માયાના ભારને બદલે ગિરિધરને ધાર્યા છે. મુક્તાનંદ સ્વામીના સઘળા ભાર એ ગિરિધરે પોતાની ટચલી આંગણી ઉપર ઉઠાવી લીધા છે. સ્વામીને હવે કોઈ ચિંતા નથી, ઉપાધિ નથી, તર્કવિતર્ક નથી, શંકાકુશંકા નથી. બસ આનંદ-આનંદ અને આનંદ છે. જોકે આનંદનો પ્રવાહ તો પહેલાં પણ અંતરમાં વહેતો હતો. પણ જાતજાતના ભારથી દબાઈ ગયો હતો. ગિરિધારીએ એ બધા ભાર ઉપાડી લીધા એટલે આનંદનો પ્રવાહ પાછો પ્રગટ થઈ ગયો. અહીં અલૌકિકતા એ છે કે શ્રીહરિ ગિરિધારી હોવા છતાં હળવા ફૂલ છે અને મુક્તમુનિને પણ હળવા ફૂલ કરી દીધા છે. ગિરિધર થઈને હળવા ફૂલ રહેવું, હળવા ફૂલ કરવા એ વાત જરા વિરોધાભાસી લાગે! તુલસીદાસજી પણ રામાયણમાં આવી કેટલીક વિરોધભાસી વાત કરે છે. ‘શ્રી ગુરુ ચરન સરોજ રજ નિજમન મુકુર સુધાર’ સદ્‍ગુરુના ચરણકમળની રજ મારા મનરૂપી દર્પણને નિર્મળ કરનારી છે. સામાન્ય દ્રષ્ટિએ રજથી તો દર્પણ મલિન બને પણ સદ્‍ગુરુના ચરણની રજ ભારે કામણગારી છે. એના છંટકાવથી મનરૂપી દર્પણ મલિન થવાને બદલે સ્વચ્છ બને છે. આવી જ વિરોધાભાસી વાત શ્રીહરિના ચરણરૂપી નૌકાની છે. શાસ્ત્રો કહે છે ‘શ્રીહરિના ચરણરૂપી નૌકાને શિર પર ધારવાથી ભવસાગર તરી જવાય છે.’ અહીં નૌકામાં બેસવાની વાત હોય તો બરાબર. અહીં તો નૌકાને માથા ઉપર ધારવાની વાત છે. આ વાત કેટલી વિરોધાભાસી લાગે? પણ શ્રીહરિનો માર્ગ જ એવો અલૌકિક છે કે અહીં વિરોધાભાસમાં જ બધું સીધું ચાલે! ગિરિધારી યોગેશ્વર છે. યોગકાળમાં પારંગત છે. પહાડ જેવો દેહ હોવા છતાં એને રૂના પોલ જેવા હળવા થતાં આવડે છે. રાઈના દાણા જેવો દેહ હોય છતાં બ્રહ્માંડ કરતાંય ભારે થતાં આવડે છે. શ્રીહરિની કૃપાથી હનુમાનજી મહારાજ જેવામાં પણ જો આ યોગકળા હોય તો ભગવાનમાં કેમ ન હોય! માટે ગોવિંદ ગિરિધારી હોવા છતાંય હળવો ફૂલ છે. એટલું જ નહીં એ ગિરિધારીને જે માથા ઉપર ધારે એને પણ હળવા ફૂલ બનાવી દે છે. ‘શિર પર ગાજે ગિરિવરધારી’ આ ગિરિધારી પાછો ગાજતો ગિરિધારી છે. માથે ઊભો ઊભો જાણે ગર્જના કરીને કહે છે, ‘સ્વામી! ભરોંસો રાખજો, હિંમત રાખજો, ચિંતા કરશો નહીં. તમારા સઘળા ભાર ઉપાડનારો હું બેઠો છું.’ અથવા તો ગિરિધર ઉપાધિઓની સામે ગર્જના કરી પડકાર ફેંકતાં કહે છે, ‘જેટલી ઉપાધીઓને આવવું હોય એટલી આવો. પણ ખબરદાર! યાદ રાખજો... મારા ભક્તની રક્ષા હું કરું છું. જેમ પૂર્વ ગોવર્ધન પહાડધારી વ્રજવાસીઓની રક્ષા કરી હતી તેમ જ મારા સંતની રક્ષા કરીશ.’ ઘણી વાર એવું બને કે ‘ગાજ્યા મે વરસે નહીં.’ ધરતી તરસી હોય, મેઘ આવે, ગાજે ને ચાલતો થાય તો ધરતીને ભારે નિરાશા થાય. જગતમાં ઘણા માણસો આ જ રીતે ગરજવાનું જ કામ કરે. પણ વરસવાનું નામ લેતા નથી. ચૂંટણીમાં નેતાઓ કેટલા ગાજે છે! પણ એમાંથી વરસનારા કેટલા? આ ગિરિધારી દંભી રાજનેતાઓ જેવો નથી. એ ગાજે છે સાથે અનરાધાર વરસે પણ છે. ગિરિધારી બેઠા હોય પછી વ્રજવાસીઓને ચિંતા ન હોય. વ્રજની પહાડ જેવી મુસીબતોને એણે ટચલી આંગળીએ ટાળી દીધી છે. વ્રજવાસીઓની જેમ જ મુક્તમુનિના જીવનમાં પણ વારંવાર કેટલાંય સંકટો આવ્યા છે. ક્યારેક પુરમાં તણાયા તો ક્યારેક કોઈએ વિષ દીધાં. પણ શ્રીહરિ સ્વામીની સર્વ પ્રકારે રક્ષા કરતા રહ્યા. સ્વામી કહે છે, ‘હે હરે! તમે અમારી સઘળી મુસીબતોના ભાર હરી લીધા છે. અમને હળવા ફૂલ જેવા કરી દીધા છે. ઇન્દ્રના ત્રાસથી વ્રજની રક્ષા કરી એમ અંત:શત્રુના ત્રાસથી અમારી રક્ષા કરી છે. અમારા અંતરમાં આનંદનાં પૂર આવ્યાં છે. આનંદ ઉરમાં રે હો ભારી, શિર પર ગાજે ગિરિવરધારી; નિરભે નોબત રે હો વાગી, કહે મુક્તાનંદ ભ્રમણા ભાંગી. જૂના જમાનામાં વિવિધ સમયે વિવિધ વાજિંત્રોનો ઉપયોગ થતો. પ્રાત:કાળે ચોઘડિયાં વાગે, લગન ટાણે ઢોલશરણાઈઓ વાગે, શત્રુના આક્રમણ સમયે ચેતવણીના ઢોલ વાગે, રણમેદાનમાં શૂરવીરોને પાનો ચડાવવા બૂંગિયા ઢોલ વાગેલ. શત્રુઓનો ભય દૂર થાય ત્યારે નિર્ભયની નોબતો વાગે. સ્વામી કહે છે, ‘નિરભે નોબત રે હો વાગી.’ ‘હે ભગવાન! તમે અમને નિર્ભય કર્યા. બહારના શત્રુઓ કરતાંય અંતરના શત્રુઓ ભારે વસમા છે. અંત:શત્રુઓનાં આક્રમણ સામે ભલભલાને ભાગવું પડ્યું છે. યોગની સિદ્ધિઓથી દિશાઓને જીતનારા પણ અંત:શત્રુ સામે હારી ગયા છે. ભલભલા ઋષિમુનિઓ કામ, ક્રોધ વગેરે શત્રુઓ સામે ઝૂકી ગયા છે. રાવણ જેવા જગતજીત યોદ્ધાઓએ પણ પોતાના અંતરના દોષ પાસે કાયરોની જેમ તણખલાં મોઢામાં લીધાં છે. અમે પણ અમારા અંત:શત્રુઓથી મારાં ખાતા હતા, ભયભીત હતા. પણ તમારી કૃપાથી અમારા એ અંત:શત્રુઓનો પરાજય થયો છે.’ ‘શિરપર ગાજે ગિરિવરધારી’ અમારી રક્ષા કરતાં તમે અમારી માથે ને માથે ઊભા છો. તમારી ગર્જનાએ સર્વ શત્રુઓને ભયભીત કરી ભગાડી દીધા છે. હવે અમારી કાયાનગરીના દશેય દરવાજા સુરક્ષિત છે. ચેતવણીના ઢોલના સ્થાન હવે નિર્ભયની નોબતોએ લીધાં છે. તમારી કૃપાએ અમારી નગરીમાં વિજયમહોત્સવ ઊજવાય રહ્યો છે. હવે કાળ, કર્મ માયાનો કોઈ ભાર નથી કે અમને ભયભીત કરી શકે. કારણ કે અમને સમર્થ ગિરિધારી રૂપે શ્રીહરિ મળ્યા છે. ‘કહે મુક્તાનંદ ભ્રમણા ભાગી’ અત્યાર સુધી અમારા અંતરમાં જાતજાતની ભ્રમણાઓ હતી. સત્યમાં અસત્યના આરોપણ હતાં, અસત્યમાં સત્યનાં આરોપણ હતાં. ભ્રમણાઓ અમને ભયભીત કરતી હતી. રાત્રિના અંધકારે ચાલતા માણસને પાણીના રેલામાં સર્પની ભ્રાંતિ થાય. માણસ ભયભીત થાય, ચીસ પાડે, ભાગી જાય. પણ જે સમયે અજવાળું થાય અને દેખાય કે સર્પ નથી પણ પાણીનો રેલો છે તો એ જ સમયે એની ભ્રાંતિ અને ભ્રાંતિથી જન્મેલો ભય દૂર થઈ જાય. મન હળવું ફૂલ જેવું થઈ જાય. સ્વામી કહેવા માંગે છે, ‘અત્યાર સુધી અમે અજ્ઞાનનાં અંધકારને લીધે ભાતભાતની ભ્રમણાઓમાં જીવતા હતા. અમને પાણીના રેલામાં સર્પ દેખાતા હતા. અમે ભયભીત થઈને ભાગતા હતા. પણ આપના અવતરણે અમારા અંતરમાં અજવાળું થયું. હવે અમે ભ્રમણા અને ભયથી મુક્ત થયા. આપનું અવતરણ તો હતું જ, પણ ઓળખાણ નહોતી. આપ અમારી સામે જ ઊભા હતા પણ અમે આંખો બંધ કરીને બેઠા હતા. એટલે અંધકાર અમારો પીછો છોડતો નહોતો. ભ્રમણાઓ અમારો કેડો મૂકતી ન હતી. સદ્‍ગુરુ રામાનંદ સ્વામીની કૃપાથી અમારી આંખો ઊઘડી તો અંધકારની જ્ગ્યાએ અજવાળું પાથરતાં પ્રકાશના સ્વામીને જોયા. હવે તો અમારે ‘નિરભે નોબત રે હો વાગી, કહે મુક્તાનંદ ભ્રમણા ભાંગી’. વિવેચન ૨ ભાવાર્થઃ- પ્રગટ સ્વરૂપ ઓળખાતાં મારો જન્મ સફળ થઈ ગયો. મનુષ્ય ભાવરૂપ સમુદ્રમાં બૂડી જતો હતો, પણ કૃપા કરી મારું કાંડું ઝાલી લીધું II૧II આજ મારા ઉપર તો અઢળક ઢળ્યા છે. દયા કરીને ઘેર બેઠાં મળ્યા છે II૨II માયાવી જગતનો ભય ટાળી પ્રગટ પુરુષોત્તમમાં મન દ્રઢ કર્યું છે. અનિશ્ચયવાળા ભક્ત સમુદાયમાંથી હું તો ન્યારી થઈ છું…. II ૩II આ ભગવાનનાં આનંદમાં હૈયું હિલોળે ચડ્યું છે. મારા શિર ઉપર તો એક સહજાનંદ સ્વામી જ છે. II૪II પ્રગટ સ્વરૂપના નિશ્ચયની નોબત એવી વાગી કે લોકડિયાનો ભય તો શું, પણ પ્રત્યક્ષ સ્વરૂપમાં રહેલ મનુષ્યભાવ પણ ટળી ગયો. સ્વામી કહે છે કે, હવે તો તદ્ન ભ્રમણા ભાંગી ગઈ છે. II૫II રહસ્યઃ- પદ લાલિત્યમાં પ્રગટ પ્રભુને પામ્યાનો પમરાટ પ્રસરે છે. સહજાનંદ મિલનના ભાવોલ્લાસની અભિવ્યંજના કવિનાં કાવ્યને પરપોષક બની રહે છે. ભારી, શિર, ગિરિ, ધારી, જેવા વર્ણ અને શબ્દનું જે અનુપ્રાસત્વ સિદ્ધ થાય છે. તે ખરેખર આકર્ષક છે. મનની ગ્રંથી તૂટ્યાનો અને પ્રગટ સ્વરૂપ ઓળખાયાનો આનંદ ચરણે ચરણે ઝીલાયો છે. જે સર્વથા અવર્ણનીય છે. પદ પ્રાસાદિકની દ્રષ્ટિએ સુગેય છે. ઢાળ લોકઢાળ છે. તાલ હીંચ છે.
ઉત્પત્તિ:
ઉત્પત્તિ ૧ પૂર્વભૂમિકા અને ઇતિહાસ ‘જનમ સુધાર્યો રે હો મારો’ આ કીર્તન મુક્તાનંદ સ્વામીની રચના છે. નંદ-સંત-કવિઓએ ભક્તિસાહિત્યને અભરે ભર્યુ છે. નંદ-સંતોના કીર્તનોમાંથી કેટલાક અસાધારણ રસ ઝરે છે. જેમ કે ‘રૂડા સંતની કહુ રીતડી રે’ જેવા કીર્તનોમાંથી ધર્મરસ ઝરે છે. ‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના’ જેવાં કીર્તનોમાંથી વૈરાગ્યરસ ઝરે છે. ‘અનુભવી આનંદમાં બ્રહ્મરસનાં ભોગી રે’ જેવા કીર્તનોમાંથી જ્ઞાનરસ ઝરે છે. ‘બિસર ન જાજા મોરે મીત’ જેવા પદોમાંથી પ્રેમરસ ઝરે છે. પ્રેમનાં પણ બે અંગો છે : સંયોગ અને વિયોગ, નંદસંતનાં હૃદય ક્યારેક શ્રીહરિના સંયોગમાં આનંદથી ઝૂલે છે, તો ક્યારેક શ્રીહરિના વિયોગમાં વિરહની વેદનાથી ઝૂરે છે. મોટે ભાગે નંદસંતોનાં કીર્તનોમાં ‘પ્રગટ શ્રીહરિ’ મળ્યાનો આનંદ રસ વધારે વરસે છે. “આજ મેં તો ભેટ્યા રે અંકભર પ્રગટ હરિ” આ પદમાં આનંદસાગરે માઝા મેલી છે. સાથોસાથ વિશિષ્ટ વાત એ છે કે આ સર્વોત્તમ અનુભવનો અહંકાર નંદસંતોના અંતરને સ્પર્શી શકતો નથી. બ્રાહ્મીસ્થિતિએ પહોંચ્યા પછી પણ એમણે પોતાને નગણ્ય ગણી શ્રીહરિના ચરણની સેવા શ્રેષ્ઠ માની છે. એમના અંતરમાં બ્રહ્મભાવ જાગે છે પણ અહંભાવ શૂન્ય છે. એટલે તો એમનાં પદોમાંથી ભરોભાર ‘દૈન્યરસ’ પણ ઝરે છે. ‘હું તો છું ધણી નગણી નાર્ય તોય તમારી રે’ મુક્તાનંદ સ્વામીના આ શબ્દો ભારોભાર દૈન્ય અને સમર્પણથી ભર્યા છે, આશ્ચર્ય તો એ છે કે નંદસંતોના દૈન્યમાં ઓશિયાળાપણું નથી પણ સમર્થ સ્વામી મળ્યાનું આત્મગૌરવ છે. શ્રીહરિની વાત કરવી એ અલગ વાત છે અને શ્રીહરિ પ્રગટ મળે એ અલગ વાત છે. રોમરોમમાં પ્યાસ ભરી હોય અને અચાનક શીતળ જળનું પરબ મળી જાય તો કેવો આનંદ થાય! આવો જ આનંદ શ્રીહરિના પ્રગટ મિલનનો છે. નંદસંતોના હૃદયમાં હરિમિલનની પ્યાસ ભરી હતી. સહજાનંદ સ્વામીનું મિલન થતાં એ પ્યાસ શાંત થઈ. નંદ સંતોના રોમરોમમાંથી આનંદના ઝંકાર ઊઠ્યા અને એ ઝંકારમાંથી અણમોલ કીર્તનોની રચના થઈ. ‘જનમ સુધાર્યો રે હો મારો મળિયા નટવર નંદ દુલારો’ આ કીર્તન ઝીલણીયું કીર્તન છે. વાજિંત્રોના તાલે એક બોલે અને બીજા ઝીલે એને ઝીલણીયું કીર્તન કહેવાય. નંદસંતોનાં ઝીલણીયાં કીર્તનોની કોઈ આગવી ભાત અને આગવો પ્રભાવ છે. આ ઝીલણીયાં કીર્તનો ઝીલનારાઓને આનંદના ઝૂલે ઝૂલતા કરી દે છે. ક્યારેક ક્યારેક તો સત્સંગીઓનો સમુદાય બે સરખા ભાગે સામસામે ઓડા બાંધીને બેસે, કીર્તનોની એક પછી એક કડીઓને સામસામે ઝીલે, ત્યારે નાદબ્રહ્મની આ રમઝટમાં આનંદનો મહાસાગર માઝા મેલે! એમાંય જ્યારે કીર્તન સાથે નર્તન ભળે ત્યારે તો વાત જ અનોખી થઈ જાય! શરદ ઋતુની ચાંદનીમાં કાન-ગોપીઓના રાસમંડળ હેલે ચઢે એ અદ્‍ભુતદ્રશ્ય આંખોથી પીવાનું જ હોય, એનું વર્ણન કરવામાં વાણી વામણી બને. ‘જનમ સુધાર્યો રે હો મારો’ આ કીર્તન આવી જ કોઈ હરિમિલનની આનંદની હેલીમાંથી અવતર્યું છે. કેડે ધોતી હોય, ખભે ચાદર અથવા ખેસ હોય, માથે નરસિંહ મહેતા જેવી કાનટોપી હોય, ગળામાં તુલસીની માળા હોય, હાથમાં કરતાલ હોય, આનંદપૂર્ણ હૈયે નૃત્ય થતું હોય એવી અલૌકિક ભાવદશામાં મુક્તાનંદ સ્વામીએ સમુદ્રી તરંગોના તાલ ભરેલું આ કીર્તન રચ્યું એમ લાગે છે. આમેય મુક્તાનંદ સ્વામી નૃત્ય કળામાં ભારે પ્રવીણ હતા. સંતોના ઇતિહાસમાં મુક્તાનંદ સ્વામી જેવી બહુમુખી પ્રતિભા ઓછી જોવા મળે. સ્વામી સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત હતા. બ્રહ્મસૂત્રો ઉપર એમણે ભાષ્યની રચના કરી છે. પ્રાકૃત અને વ્રજ ભાષામાં તો એમની અસંખ્ય રચનાઓ છે. કવિ પણ હોય અને મધુર કંઠ પણ હોય એવો સુભગ સંગમ દુર્લભ છે. ઘણા કવિઓની કવિતાઓ ચોટદાર અને રસાળ હોય પણ કંઠ કાગડાને શરમાવે તેવો હોય! એ ગાય તો વૈશાખનંદનનો આલાપ લાગે! જ્યારે મુક્તમુનિની વાત જ નોખી. એ ઉત્તમ કવિ તો હતા. સાથે સાથે ગાનકળામાં એટલાજ પ્રવીણ હતા અને નૃત્યનું તો મૂર્તિમંત રૂપ હતા. રચવું, ગાવું ને નાચવું એ બધું એકમાં જ હોય એવું ભાગ્યે જ બને. વળી નવાઈની વાત એ હતી કે આનંદ ઉત્સવથી ભરપૂર આ સંત પાછા ધીર, ગંભીર અને શાંતમૂર્તિ હતા. એમની મધુર વાણી ઊકળતા હૈયાને શાંત કરતી. ગમે તેવો ગુસ્સે થયેલો માણસ સ્વામી પાસે આવે એટલે ટાઢો હિમ જેવો થઈ જાય. સ્વામી અનેક આશ્ચર્યકારક સદ્‍ગુણોનો સંગમ હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામી ‘મા’ ગણાય છે. ‘મા’ એને કહેવાય જે પોતાના ધાવણથી બાળકનું પોષણ કરે. મુક્તાનંદ સ્વામીના હૃદયમાં ભાગવત ધર્મનું ધાવણ ભારોભાર ભર્યુ હતું. વચનામૃતમાં ભગવન સ્વામિનારાયણ કહે છે ‘એકાંતિક ભાગવત સંતનાં સમાગમથી ભાગવત ધર્મનું પોષણ થાય છે. ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભગવદ્‌ ભક્તિને શાસ્ત્રો ભાગવત ધર્મ કહે છે. જે સંતના જીવનમાં ભાગવત ધર્મ કપડાંનાં તાણા વાણાની જેમ વણાયો હોય તે જ સંત ભાગવત ધર્મનું પોષણ કરી શકે. મુક્તાનંદ સ્વામી ધર્મપોષક સંત હતા, ધર્મપ્રચારક નહીં. પોષણ કરવું અને પ્રચાર કરવો એ બેયમાં બહુ મોટો તફાવત છે. કોઈના ઘરે બાળકોનો જન્મ થાય, ગામની ગલી ગલીએ એની જાણ થાય એને પ્રચાર થયો કહેવાય. પણ પ્રચારથી બાળક જીવી ન શકે. બાળકને જીવવા માટે તો માનું ધાવણ જોઈએ. માનાં સ્તનમાં ધાવણ ન હોય તો જેમ જન્મનો પ્રચાર થાય એમ થોડી વારમાં મરણનો પણ પ્રચાર થાય. પ્રચાર કરે તેને સેલ્સમેન કહેવાય, સંત ન કહેવાય. પ્રચાર તો જેને પોતાનો માલ વેચવાનો હોય તે કરે. સંતો માલસામાન વેચનારા વેપારી નથી. સંતો તો પ્રભુનો પ્રસાદ વહેંચનારા પરમહંસો છે. એવા સાધુઓ વેપાર કરે તોય તેમનો વેપાર દુનિયાથી ન્યારો હોય. ‘અમે રે વેવારિયા સંતો રામનામના’ સંતાનોનું પોષણ કરવું એ માનું કર્તવ્ય નથી, સ્વભાવ છે. કર્તવ્યમાં તો એક પ્રકારનો ભાર અનુભવાય, સ્વભાવમાં ભાર ન હોય. સ્વભાવમાં તો કર્યા સિવાય રહેવાય નહીં. જ્યાં સુધી બાળક માનું ધાવણ ન ધાવે ત્યાં સુધી માને ચેન ન પડે. ગાયને જ્યારે પારસો ચડે ત્યારે એનાં આઉ ફાટ ફાટ થતાં હોય. જ્યારે વાછરડું ધાવે અથવા દોહવામાં આવે ત્યારે ગાયનાં દર્શન કરવા જેવા હોય. ગાયનાં રોમરોમમાંથી આનંદ ઝરતો હોય. ગાય આનંદમાં હીંહોરા નાખતી હોય, તેનાં મુખ ઉપરથી ભારોભાર સંતોષ અને આનંદ વરસતો હોય. આવી જ સ્થિતિ સંતોની છે. આવી જ ભાવાતીત અવસ્થાએ વેદોનાં અવતરણ થયાં છે. આવી જ ભાવમયી અવસ્થાએ ભાગવતજીનાં ગાન થયાં છે. આવી જ ભાવપૂર્ણ અવસ્થાએ ગીતામૃતનાં દોહન થયાં છે. ભાગવત સંતના રોમે રોમમાં હરિરસ ભર્યો છે. વાછરડાં જેવો મુમુક્ષુ મળે એટલે પ્રવચન દ્વારા અથવા તો નેત્રો દ્વારા એ રસ વરસવા માંડે છે. વાછરડું ગાયને ધાવતું હોય ત્યારે તે બેયની અલૌકિક અવસ્થાને ગુણાતીતાનંદ સ્વામી ‘સમાગમ’ કહે છે. મુક્તાનંદ સ્વામી ગાય જેવા પોષક સંત છે. મુક્તાનંદ સ્વામીનું હૃદય માની જેમ અકારણ કરુણા અને પ્રેમથી ભરેલું છે. આવા સંતના સમાગમથી ભાગવત ધર્મનું પોષણ થાય છે. એટલા માટે સત્સંગમાં મુક્તાનંદ સ્વામી ‘મા’ ગણાય છે. આમ હોવા છતાંય મુક્તાનંદ સ્વામી સાથે ભગવાન સ્વામિનારાયણના મિલનનો આરંભકાળ સંશયથી ભરેલો રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણની કેટલીક વાતો મુક્તાનંદ સ્વામી નહોતા સ્વીકારી શકતા. ભગવાન સ્વામિનારાયણ એ સમયે નીલકંઠ બ્રહ્મચારી અથવા નીલકંઠવર્ણીના નામે ઓળખાતા. નીલકંઠ બ્રહ્મચારીમાં સહજ રીતે અલૌકિક ઐશ્વર્ય ભર્યુ હતું. એ અલૌકિક ઐશ્વર્યનો અનુભવ મુક્તાનંદ સ્વામીને પણ અવારનવાર થતો. થોડી વાર તો ઐશ્વર્ય દર્શનથી સ્વામીના અંતરમાં અહોભાવ ઊઠતો પણ પાછા મનમાં સંશયો જાગતા કે આ બ્રહ્મચારી દંભ તો નથી કરતા ને? સાત્વિક ભજન, સ્મરણ, ઉપાસન છોડી કોઈ મેલી સાધના કે કામણટૂમણમાં તો નથી ફસાયાને?’ વળી સ્વામીના મનમાં થતું કે ‘બ્રહ્મચારી સીધી રીતે જ્ઞાનવાર્તાથી ધર્મનું પોષણ કરે તે ઇચ્છનીય છે પણ આ ચમત્કાર સહારો સારો નથી.’ એક દ્રષ્ટિએ મુક્તાનંદ સ્વામીના મનની વાત ખોટી પણ ન હતી. આધ્યાત્મિક જીવનનું પોષણ સમજણથી થાય તેવું ચમત્કારોના ‘ફાસ્ટફુડ’થી ન થાય. ચમત્કારોના ફાસ્ટફૂડથી ક્ષણિક આનંદ મળે, શાશ્વત આનંદ ન મળે. આમ તો ભગવાન સ્વામિનારાયણે પણ અપાર ઐશ્વર્ય, પ્રભાવ, ચમત્કારો જણાવ્યા બાદ ઘોષણા કરી... ‘અને ચમત્કારના સત્સંગ કરતાં સમજણના સત્સંગને શ્રેષ્ઠ માનીએ છીએ.’ ચમત્કાર તો શોક ટ્રીટમેન્ટ જેવા છે. ભવરોગના ઉપચાર માટે એ કાયમી ઇલાજ નથી. રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી નીલકંઠવર્ણીએ મુક્તાનંદ સ્વામીને કચ્છ દેશમાં વિચરણ કરવા મોકલ્યા અને પાછળથી ‘સમાધિ પ્રકરણ’ ચલાવ્યું. જે કોઈ નરનારી નીલકંઠના દર્શને આવે એને સમાધિ થવા લાગી. અરે ક્યારેક તો પશુપંખીઓને પણ નીલકંઠ સમાધિ કરાવવા લાગ્યા. આ સમાધિલીલા રામાનંદ સ્વામીના જૂના શિષ્યોને ન ગમી. એમણે કચ્છમાં મુક્તાનંદ સ્વામીને જાણ કરી. ‘સ્વામી! જલ્દી આવો, આ યુવાન બ્રહ્મચારીએ તો દાટ વાળ્યો છે. રામાનંદ સ્વામીના કર્યા કારવ્યા ઉપર પાણી ફેરવે છે. સમાધિના નાટક માંડ્યાં છે. તમારા સિવાય આને કોઈ રોકી શકે તેમ નથી. સમાચાર મળતાં મુક્તાનંદ સ્વામીને ભારે દુ:ખ થયું. તેઓ મારતે વેગે કચ્છથી સોરઠ પધાર્યા. નીલકંઠવર્ણી ત્યારે મેઘપુરમાં બિરાજમાન હતા. સ્વામી ત્યાં પધાર્યા આવતાવેંત એમણે નીલકંઠવર્ણીને ઠપકો દીધો. આ ઘટનાની નોંધ લેતાં નિષ્કુળાનંદ સ્વામી ભક્તચિંતામણિમાં મુક્તમુનિના શબ્દો આ રીતે લખે છે : મહારાજ દીયો પાખંડ મેલી, સતસંગમાં ન થાવું ફેલી; સમાધિ કાંઈ નથી સોયલી, મોટા યોગિને પણ દોયેલી. નીલકંઠ સાવ અજાણ્યા થઈ મંદમંદ હસતા બોલ્યા, ‘સ્વામી! અમે કોઈને સમાધિ કરાવતા નથી. કોણ જાણે કેમ! કોઈ અમારી પાસે આવે છે; રામાનંદ સ્વામીનું ભજન કરે છે અને સમાધિ થઈ જાય છે! મુક્તમુનિને થયું કે ‘વર્ણી ઊડાઉ જવાબ આપે છે.’ ત્યાં તો સ્વામીની સાથે કચ્છથી આવેલા સંતદાસજીને સમાધિ થઈ ગઈ. સમાધિમાં રામાનંદ સ્વામીનાં દર્શન થયાં. રામાનંદ સ્વામીએ કહ્યું, ‘મુક્તાનંદજીને કહો સંશય છોડે અને વર્ણીની અનુવૃત્તિમાં વર્તે.’ સમાધિમાંથી જાગી સંતદાસજીએ પોતાના અનુભવની વાત કરી. પણ મુક્તમુનિના ભીતરનો ભરમ ભાંગ્યો નહીં. એને થયું કે ‘નીલકંઠ તો મારી સાથે આવેલા સાધુ ઉપર પણ પોતાની ભૂરકી છાંટી.’ મુક્તમુનિ અંતરમાં અતિ ઉદાસ થઈ ગયા. રામાનંદ સ્વામીએ સ્થાપેલા દિવ્ય ઉદ્ધવ સંપ્રદાયમાં પાખંડનો ઉદય માની એના મનમાં ભારે સંતાપ થયો. નીલકંઠવર્ણી સંતભક્તની મંડળી સાથે મેઘપુરથી કાલવાણી પધાર્યા. એક દિવસ બપોર પછી શ્રીહરિ કાલવાણીના પાદરમાં વહેતી નદીએ સ્નાન કરવા પધાર્યા. મુક્તાનંદ સ્વામી પણ ભારે હૈયે સાથે હતા. ઉદ્ધિગ્ન મન વાળા મુક્તાનંદ સ્વામી સાથે તો ચાલ્યા પણ પાછળ રહી ગયા. નીલકંઠવર્ણીની તો સહજ ઉતાવળી ચાલ એટલે ખૂબ દૂર નીકળી ગયા. મુક્તમુનિને એકલા પાછળ રહી ગયેલા જોઈ ભક્તરાજ પર્વતભાઈ સ્વામીને સથવારો દેવા સાથે રહ્યા. નીલકંઠને દૂર નીકળી ગયેલા જોઈ સ્વામીએ ત્યાં જવાનું માંડી વાળ્યું. નજીકનો સારો આરો જોઈ સ્નાન કરવા રોકાયા. પડખે ખાખરાનું વન હતું. મુક્તમુનિ બહિર્ભૂમિ જવા માટે ખાખરાના વનમાં ગયા પણ અંતરમાં વેદના કોરી ખાતી હતી. એવામાં ખાખરાની ઝાડીમાં પ્રકાશ થયો. પ્રકાશમાં રામાનંદ સ્વામીનાં દિવ્ય દર્શન થયાં. ગુરુદેવ રામાનંદ સ્વામીને જોતાં જ આશ્ચર્યમુગ્ધ મુક્તાનંદ સ્વામીએ દોટ મૂકી સ્વામીના ચરણ પકડ્યા, ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અને બોલ્યા, ‘સ્વામી! તમે અમને આ કેના હાથમાં સોંપ્યા?’ મુક્તમુનિને ઊભા કરી કરુણાસભર હાથ વાંસા ઉપર ફેરવતા રામાનંદ સ્વામી બોલ્યા, ‘મુક્તમુનિ! તમે અમારી વાત કેમ ભૂલી ગયા? હજુ તો નીલકંઠવર્ણી આશ્રમમાં આવ્યા નહોતા ત્યારે અમે કહેતા ‘અમે તો ડુગડુગી વગાડનારા છીએ, ખરા ખેલના ભજવનારા તો હવે આવશે. રામલીલામાં પહેલા ગણેશનો વેશ આવે, પડ બાંધે પછી રામ પધારે. અમે તો ગણેશનો વેશ ભજવનારા છીએ,’ અમારી આ વાતનો મર્મ તમે કેમ સમજી ન શક્યા? મુક્તમુનિ! સંશયો છોડો અને વર્ણીને શરણે થઈ જાવ. અમારાથી વિશેષ હેત એમાં કરો. અમે તમારા ગુરુ છીએ. ગુરુનો પરમ ધર્મ છે કે શિષ્યોને શ્રીહરિના હાથમાં સોંપવા. નીલકંઠવર્ણી ગુરુના પણ ગુરુ છે. અમારા જેવા તો અનંત મુક્તો એમના સેવક છે. માટે સમર્પિત થઈ જાવ.’ આટલું કહી રામાનંદ સ્વામી અદ્રશ્ય થયા. સદ્‍ગુરુ રામાનંદ સ્વામીના વચને મુક્તમુનિનાં અંતરનાં તાળાં ઊઘડી ગયાં. સંશયોના જાળાં ભેદાઈ ગયાં અને અંતરમાં અજવાળાં થયાં અને જીવનભર ભગવાન સ્વામિનારાયણના સેવક થઈને રહ્યા. તો સામે ભગવાન સ્વામિનારાયણે પણ એમને ગુરુતુલ્ય માની સદ્‍ગુરુ રામાનંદ સ્વામી જેવી જ એમની આમન્યા આજીવન જાળવી. સદ્‍ગુરુ રામાનંદ સ્વામીએ જ્યારે દિવ્ય દર્શન આપી મુક્તમુનિના સંશયો દૂર કર્યા, એમના સૂતેલા આત્માને જગાડ્યો, નીલકંઠવર્ણીની સાચી ઓળખ કરાવી ત્યારે મુક્તમુનિનું અંતર ઊભરાવા લાગ્યું. સંશયગ્રસ્ત ધુંઘળી બુદ્ધિનાં આવરણો હટતા મુક્તમુનિને નીલકંઠમાં નારાયણનાં દર્શન થયાં. અને એમના અંતરમાંથી ઉદ્‍ગારો સર્યા. જનમ સુધાર્યો રે હો મારો, આ કીર્તનનો આસ્વાદ માણીએ એ પહેલાં એક અગત્યની સ્પષ્ટતા કરવી જરૂરી છે. મુક્તાનંદ સ્વામી નખશિખ નિર્દોષ સંત છે. મુક્તાનંદ સ્વામી અનુભવી, જ્ઞાની સંત છે. એમનામાં સંશયની સંભાવના અજુગતી લાગે છે. મુક્તાનંદ સ્વામી જે સંશયો થઈ રહ્યા છે એ એમનો લીલાવિહાર છે. લીલા આનુષંગિક હોય, થોડા સમય માટે હોય. કાયમ ન હોય. લીલામાં અનુકરણ હોય, અનુસરણ ન હોય.૦ અધકચરા વિવેચકોને જે કહેવું હોય તે કહે પણ મુક્તાનંદ સ્વામીમાં સંશયનો આક્ષેપ થઈ શકે તેમ નથી. છતાં જે સંશયો દેખાય છે તેની પાછળ એક રહસ્ય છે. ઘણી વાર રોગી પણ અનાડી બાળક કડવી દવા ન પીએ ત્યારે બાળકને બદલે મા પોતે કડવી દવા પીએ. એ કડવાણીની અસર માના ધાવણમાં થાય. એ ધાવણ ધાવવાથી બાળક નિરોગી થાય. મુક્તાનંદ સ્વામીના સંશયો તો બાળકને બદલે માએ પીધેલા કડવાણી જેવા છે. આપણે બધા જીવ અનાડી બાળક જેવા છીએ. આપણાં મન ભારોભાર સંશયોથી ભરેલાં છે. આપણે ઉપર ઉપરથી મોટી મોટી વાતો કરીએ છીએ પણ અંદરથી છીએ. આપણા દુર્ભાગ્ય એ છે કે આપણે નિષ્કપટપણે આપણા સંશયોને પ્રગટ કરી શકતા નથી. કારણ કે , આપણને આપણી આબરૂ જવાની બીક લાગે છે. આપણને આપણાં આભામંડળો ઝાંખાં થવાની બીક લાગે છે. આપણે ઉપરથી સત્સંગનો રૂપાળો અંચળો ઓઢ્યો છે. ઊંચી ઊંચી વાતો કરીએ છીએ પણ હૃદય અનેક ભ્રમણા અને દ્વિધાથી ભરેલું છે. આપણા સંશયો પ્રગટ ન થઈ જાય એની આપણે ભારે કાળજી રાખીએ છીએ કારણ કે જો એ સંશયો જાહેર થાય તો આપણો ઉપરનો આટાટોપ વીખરાય જાય તેમ છે. આપણે ભીતરમાં ભયભીત હોવાથી આપણા સંશયોને દબાવીએ છીએ. મુક્તાનંદ સ્વામી આપણી બીમારીને બરાબર સમજે છે એટલે એમણે આપણા રોગને દૂર કરવા સંશયોની કડવી દવા પીવાની લીલા કરી છે ભગવાન જ્યારે સદેહે પૃથ્વી ઉપર માનવલીલા કરે ત્યારે માયાવી માનવ તો ઠીક, મોટા મુનિવરોને પણ સંશયો થાય તે સહજ છે. એક માત્ર સદ્‍ગુરુનો સમાગમ જ એ સંશયોનો ભંગ કરી શકે. બહુત કાલ કરત સત્સંગા તબ હોવત સંશય કા ભંગા આપણી સંશયગ્રસ્ત સ્થિતિનો અંચળો મુક્તાનંદ સ્વામીએ પોતા ઉપર ઓઢીને આપણને નિ:સંશય કરવાનું કરુણામય કાર્ય કર્યું છે. ઉત્પત્તિ ૨ ઉત્પત્તિઃ- જેમ સંસ્કૃત સાહિત્યમાં શ્રી વાલ્મીકિઋષિને આદ્ય કવિ માનવામાં આવે છે, ગુજરતી સાહિત્યમાં નરસિંહ મહેતાને આદ્ય કવિ માનવામાં આવે છે, એમ આપણા ઉદ્ધવ સંપ્રદાયમાં શ્રીહરિના ગુણાનુવાદ-સાહિત્યમાં મુક્તાનંદસ્વામીને આદ્ય કવિ માનવામાં આવે છે. મુક્તાનંદસ્વામીને નિયમ, નિશ્ચય, પક્ષ, ધર્મ, જ્ઞાન. વૈરાગ્ય, લીલાભક્તિ અને ઉપાસના આદિક મહત્વના વિષયોને આવરી લેતાં કીર્તનો રચવાની શરૂઆત સૌ પહેલા કરેલી. મુક્તાનંદના નામાચરણવાળાં કીર્તનો સૌ પ્રથમ કાલવાણી ગામમાંથી શરૂ કરેલ. તે પહેલાં ઉપલબ્ધ છે એવા ૭૪ જેટલાં પદો બનાવ્યાં છે. તેમાં ‘મુકુંદદાસ’ એવું પૂર્વાશ્રમનું નામ રાખેલ છે. સદ્. રામાનંદસ્વામીએ પીપલાણામાં નીલકંઠવર્ણીને દીક્ષા આપી ‘સહજાનંદસ્વામી’ અને ‘નારાયણમુનિ’ – એ બે નામ ધારણ કરાવ્યાં. પછી બરાબર એક વર્ષે જેતપુરમાં પોતાની ગાદીએ બેસાડ્યા પછી પોતે અંતર્ધાન થયા. ત્યાર પછી શ્રીહરિએ પ્રતાપનાં પૂર વહેતાં કર્યા. જે દર્શન કરે, વાત સાંભળે ને ઝાંઝરનો ઝણકાર સાંભળે તે બધાને સમાધિ થઈ જાય. આ સમય દરમિયાન મુક્તાનંદસ્વામી ભૂજ હતા. સમાચાર મળતાં તરત પીપલાણા પાસેનાં મેઘપુર ગામમાં શ્રીહરિ બિરજતા હતા ત્યાં આવ્યાં. “ જેને તેને સમાધિ ન થાય, અને ન કરાવાય.” એવો ઠપકો શ્રીજી મહારાજને આપ્યો. પછી ત્યાંથી બધા કાલવાણી આવ્યા. ત્યાં ખાખરાનાં વનમાં મુક્તાનંદસ્વામીને રામાનંદસ્વામીએ દર્શન આપી સમજાવ્યા કે, ‘માનો મુક્તાનંદ, માનો ! આ સહજાનંદ જ સાચા ભગવાન છે. ‘હું તો ડુગડુગીનો વગાડનારો હતો.’‘તેજીને ટકોર બસ.’ એ ન્યાય મુક્તાનંદસ્વામીને પૃથ્વી પર વિચરતા પ્રગટ પ્રભુનો સર્વોપરી નિશ્ચય થયો. મંદિરે આવીને ગુરુની ગાદી પર શ્રીહરિને પધરાવી નવરચિત આરતી ઉતારી, પ્રસ્તુત પદ રચતા ગયા અને ગાતા ગયા

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025